By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    41 minutes ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    24 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    27 minutes ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    33 minutes ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    47 minutes ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 hour ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રિપોર્ટ: ભારતમાં અડધી વસ્તીને સારું ભોજન જમવાનાં છે ફાંફા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રિપોર્ટ: ભારતમાં અડધી વસ્તીને સારું ભોજન જમવાનાં છે ફાંફા
રાષ્ટ્રીય

રિપોર્ટ: ભારતમાં અડધી વસ્તીને સારું ભોજન જમવાનાં છે ફાંફા

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 1:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સતત વિકાસ લક્ષ્ય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 17 વૈશ્વિક લક્ષ્યોનો સમૂહ છે, જે 2015 માં અપનાવવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વિશ્વભરમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 70મી બેઠકમાં બધા દેશોએ મળીને આગામી 15 વર્ષોમાં વિશ્વના સતત વિકાસનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આમાં બીજું અને સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે ભૂખમરો નાબૂદ કરવો. સતત વિકાસ લક્ષ્ય (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG) માં આ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું કે આવનારા 10 વર્ષોમાં વિશ્વના લગભગ તમામ દેશોમાંથી ભૂખમરો નાબૂદ કરવામાં આવશે.

- Advertisement -

2024માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ લાગુ થયાને 10 વર્ષ થઈ ચુક્યા છે. દરમિયાન, તાજેતરમાં ‘ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ’ પર વિશ્વ અહેવાલ 2024 બહાર આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વ તેની નિર્ધારિત મર્યાદાથી લગભગ છ વર્ષ દૂર છે. તેનો અર્થ એ કે, વિશ્વએ જો “ઝીરો ભૂખમરો” ના લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, તો તેણે વધુ 6 વર્ષ રાહ જોવી પડશે.

ગયા વર્ષે પાંચ આંતરરાષ્ટ્રીય એજસીઓ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 10 વર્ષોમાં એટલે કે વર્ષ 2015થી અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વસ્થ આહાર સુધી આર્થિક પહોંચમાં સુધારમાં પ્રગતિ સામાન્ય રહી છે. આ રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ભારત એ કેટલાક દેશોમાંથી એક છે જ્યાં તંદુરસ્ત આહાર પરવડી ન શકે તેવી વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતના લગભગ 50 ટકા લોકોને હજુ પણ યોગ્ય પોષણયુક્ત ખોરાક મળતો નથી. એવામાં જાણીએ કે સતત વિકાસ લક્ષ્ય શું છે અને શા માટે ભારતની લગભગ 50 ટકા વસ્તીને યોગ્ય પોષણયુક્ત આહાર નથી મળી રહ્યો.

શું કહે છે રિપોર્ટ

- Advertisement -

તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) જેવી સંસ્થાઓએ ભારતમાં ખાદ્ય અસુરક્ષા અને કુપોષણની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. FAO નો “ધ સ્ટેટ ઑફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ” રિપોર્ટ 2023 જણાવે છે કે લગભગ 50% ભારતીયોને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળતો નથી.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રકાશિત કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કુલ 74.1 ટકા ભારતીયો 2021માં જરૂરી પ્રોટીનયુક્ત ખોરાક લેવા માટે અસમર્થ હતા. ખાદ્ય સુરક્ષા અને પોષણ રિપોર્ટના 2023ના પ્રાદેશિક અવલોકન અનુસાર, ભારતમાં વર્ષ 2020માં 76.2 ટકા ભારતીયો તંદુરસ્ત આહારનો ખર્ચ ઉઠાવી શકવામાં અસમર્થ હોવાની સરખામણીમાં આ થોડો સુધારો છે.

શું છે શૂન્ય ભૂખમરો?

શૂન્ય ભૂખમરો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 2 નો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનો ધ્યેય 2030 સુધીમાં વિશ્વભરમાં ભૂખનો અંત કરવાનો છે, જેમાં કુપોષણને દૂર કરવાનો, ટકાઉ ખાદ્ય ઉત્પાદન પ્રણાલી અને સ્થિતિસ્થાપક કૃષિ પદ્ધતિઓને સુનિશ્ચિત કરવાનો, નાના ખેડૂતોને સમર્થન અને ખાદ્ય વિવિધતા અને પરંપરાગત જ્ઞાન સામેલ છે.

ભારતીયોને શા માટે નથી મળી રહ્યું યોગ્ય ભોજન

  • ગરીબી અને આવકમાં અસમાનતા: ભારતમાં ગરીબીનું સ્તર હજુ પણ વધારે છે અને ઓછી આવક ધરાવતા લોકો મોટી સંખ્યામાં છે. આ લોકો પર્યાપ્ત પોષણયુક્ત ભોજન ખરીદવામાં અસમર્થ હોય છે.
  • ખાદ્ય વિતરણ વ્યવસ્થામાં ખામીઓ: જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને અન્ય સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને વિતરણના અભાવને કારણે, જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચતો નથી.
  • ખેતીમાં સમસ્યાઓ: ભારતીય ખેતી પ્રણાલીમાં ઘણી સમસ્યાઓ છે જેમ કે આબોહવા પરિવર્તન, અપૂરતી સિંચાઈ, ખાતરો અને જંતુનાશકોનો અસંતુલિત ઉપયોગ, જેનાથી પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે.
  • વધતી વસ્તી: ભારતની વધતી વસ્તી એ પણ એક મોટો પડકાર છે. ખાદ્ય ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા પર વધતા દબાણને કારણે દરેકને પૂરતો ખોરાક આપવો મુશ્કેલ બની જાય છે.
  • કુપોષણ અને નિરક્ષરતા: ઘણા લોકો પોષણના મહત્ત્વથી વાકેફ નથી અને યોગ્ય આહારનું પાલન કરતા નથી. કુપોષણના કિસ્સામાં, પર્યાપ્ત પૌષ્ટિક ખોરાક મેળવવો વધુ મુશ્કેલ બની જાય છે.
  • બેરોજગારી: બેરોજગારી અને અપૂર્ણ રોજગારની સ્થિતિને કારણે, ઘણા પરિવારો પાસે આવકનો નિયમિત સ્ત્રોત નથી, જેના કારણે તેઓ પર્યાપ્ત અને પૌષ્ટિક ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી.
  • કુદરતી આફતો: પૂર, દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો પણ ખાદ્ય સુરક્ષાને અસર કરે છે. પાક બગડે છે અને વિતરણમાં અવરોધો આવે છે. ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં યોગ્ય રસ્તાઓ અને પરિવહન સુવિધાઓનો અભાવ છે, જેનાથી ખોરાકના પુરવઠામાં અવરોધ આવે છે.

કેવી રીતે આવી શકે છે આ સમસ્યાનું સમાધાન?

એક ડાયટીશીયનના મતે, ભારતીયોને પર્યાપ્ત અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ભારતની સરકારને ઘણા મોરચે સક્રિય પગલાં ભરવાની જરૂર છે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે દેશની સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં સુધારો કરવાની જરૂર છે. આ પ્રણાલીમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાને ઓછી કરવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે એવી યોજનાઓ લાવવી જોઈએ જેની મદદથી ખેડૂતોને ખાતર, જંતુનાશક,બિયારણ અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડી શકાય. આ સિવાય ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ વધારવો જોઈએ અને પાકના નુકસાનથી બચવા માટે અસરકારક પાક વીમા યોજનાઓ લાગૂ કરવી પણ સરકારની જવાબદારી હોવી જોઈએ. સાથે જ એક વસ્તુ જે સૌથી જરૂરી છે એ છે લોકોને સ્વસ્થ અને સંતુલિત આહારના મહત્ત્વ વિશે જાગૃત કરવા. સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેમને દાળ-ભાત અથવા શક-રોટલી ખાઈ લીધા અને તેમનું પેટ ભરાઈ ગયું તો એટલું જ પૂરતું છે. પરંતુ એવું નથી. લોકોમાં એ વાતની જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે કે પ્રોટીન માટે અલગથી બદામ, પનીર અને ચીકન જેવી વસ્તુઓ ખાવામાં આવે છે.

શું છે સતત વિકાસ લક્ષ્ય

સતત વિકાસ લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 17 વૈશ્વિક લક્ષ્યોનો સમૂહ છે, જે 2015 માં અપનાવવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વિશ્વભરમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના 17 ધ્યેયો પૈકી બીજો અને સૌથી મહત્ત્વપૂર્ણ છે ભૂખનો અંત. ભૂખને ખતમ કરવા, ખાદ્ય સુરક્ષા મેળવવા અને બહેતર પોષણ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. SDG-2 ખાદ્ય સુરક્ષા, પોષણ, ગ્રામીણ પરિવર્તન અને ટકાઉ કૃષિ વચ્ચેના જટિલ આંતરસંબંધોને પ્રકાશિત કરે છે.

કેવી રીતે માપવામાં આવે છે SDGની પ્રગતિ?

ટકાઉ વિકાસ લક્ષ્યમાં પ્રગતિ થઈ છે કે કેમ તે માપવા માટે 8 લક્ષ્યો અને 14 સૂચકાંકો છે. 8 લક્ષ્‍યાંકોમાંથી 5 લક્ષ્‍યાંક તરીકે નિર્ધારિત કરવામાં આવેલ છે જ્યારે 3ને એ લક્ષ્યોને હાંસલ કરવાના સાધન તરીકે નિર્ધારિત કરવામાં આવેલ છે.

  • ભૂખનો અંત અને ભોજન સુધી પહોંચમાં સુધારો કરવો
  • તમામ પ્રકારના કુપોષણને ખતમ કરવા
  • કૃષિ ઉત્પાદકતા
  • ટકાઉ ખાદ્ય ઉત્પાદન પ્રણાલી અને સ્થિતિસ્થાપક ખેતી પદ્ધતિઓ
  • બીજ, ઉગાડવામાં આવેલા છોડ અને ખેતી અને પાળેલા પ્રાણીઓની આનુવંશિક વિવિધતા; રોકાણ, સંશોધન અને ટેકનોલોજી
  • વેપાર પ્રતિબંધોનું નિરાકરણ કરવું
  • વિશ્વના કૃષિ બજારોમાં ખામીઓનું સમાધાન શોધવું
  • ખાદ્ય કોમોડિટી બજારો અને તેમના ડેરિવેટિવ્ઝમાં ખામીઓને દૂર કરવી

You Might Also Like

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ

રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!

કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી

લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!

TAGGED: good food, India's population
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓનો ઇસ્કોન મંદિર પર હુમલો, 12000 ભારતીયો પણ હજુ ત્યાં જ છે
Next Article ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય: બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા આપ્યો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાષ્ટ્રીય

રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?