સતત વિકાસ લક્ષ્ય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 17 વૈશ્વિક લક્ષ્યોનો સમૂહ છે, જે 2015 માં અપનાવવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વિશ્વભરમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 70મી બેઠકમાં બધા દેશોએ મળીને આગામી 15 વર્ષોમાં વિશ્વના સતત વિકાસનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આમાં બીજું અને સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે ભૂખમરો નાબૂદ કરવો. સતત વિકાસ લક્ષ્ય (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG) માં આ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું કે આવનારા 10 વર્ષોમાં વિશ્વના લગભગ તમામ દેશોમાંથી ભૂખમરો નાબૂદ કરવામાં આવશે.
- Advertisement -
2024માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ લાગુ થયાને 10 વર્ષ થઈ ચુક્યા છે. દરમિયાન, તાજેતરમાં ‘ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ’ પર વિશ્વ અહેવાલ 2024 બહાર આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વ તેની નિર્ધારિત મર્યાદાથી લગભગ છ વર્ષ દૂર છે. તેનો અર્થ એ કે, વિશ્વએ જો “ઝીરો ભૂખમરો” ના લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, તો તેણે વધુ 6 વર્ષ રાહ જોવી પડશે.
ગયા વર્ષે પાંચ આંતરરાષ્ટ્રીય એજસીઓ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 10 વર્ષોમાં એટલે કે વર્ષ 2015થી અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વસ્થ આહાર સુધી આર્થિક પહોંચમાં સુધારમાં પ્રગતિ સામાન્ય રહી છે. આ રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ભારત એ કેટલાક દેશોમાંથી એક છે જ્યાં તંદુરસ્ત આહાર પરવડી ન શકે તેવી વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતના લગભગ 50 ટકા લોકોને હજુ પણ યોગ્ય પોષણયુક્ત ખોરાક મળતો નથી. એવામાં જાણીએ કે સતત વિકાસ લક્ષ્ય શું છે અને શા માટે ભારતની લગભગ 50 ટકા વસ્તીને યોગ્ય પોષણયુક્ત આહાર નથી મળી રહ્યો.
શું કહે છે રિપોર્ટ
- Advertisement -
તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) જેવી સંસ્થાઓએ ભારતમાં ખાદ્ય અસુરક્ષા અને કુપોષણની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. FAO નો “ધ સ્ટેટ ઑફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ” રિપોર્ટ 2023 જણાવે છે કે લગભગ 50% ભારતીયોને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળતો નથી.
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રકાશિત કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કુલ 74.1 ટકા ભારતીયો 2021માં જરૂરી પ્રોટીનયુક્ત ખોરાક લેવા માટે અસમર્થ હતા. ખાદ્ય સુરક્ષા અને પોષણ રિપોર્ટના 2023ના પ્રાદેશિક અવલોકન અનુસાર, ભારતમાં વર્ષ 2020માં 76.2 ટકા ભારતીયો તંદુરસ્ત આહારનો ખર્ચ ઉઠાવી શકવામાં અસમર્થ હોવાની સરખામણીમાં આ થોડો સુધારો છે.
શું છે શૂન્ય ભૂખમરો?
શૂન્ય ભૂખમરો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 2 નો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનો ધ્યેય 2030 સુધીમાં વિશ્વભરમાં ભૂખનો અંત કરવાનો છે, જેમાં કુપોષણને દૂર કરવાનો, ટકાઉ ખાદ્ય ઉત્પાદન પ્રણાલી અને સ્થિતિસ્થાપક કૃષિ પદ્ધતિઓને સુનિશ્ચિત કરવાનો, નાના ખેડૂતોને સમર્થન અને ખાદ્ય વિવિધતા અને પરંપરાગત જ્ઞાન સામેલ છે.
ભારતીયોને શા માટે નથી મળી રહ્યું યોગ્ય ભોજન
- ગરીબી અને આવકમાં અસમાનતા: ભારતમાં ગરીબીનું સ્તર હજુ પણ વધારે છે અને ઓછી આવક ધરાવતા લોકો મોટી સંખ્યામાં છે. આ લોકો પર્યાપ્ત પોષણયુક્ત ભોજન ખરીદવામાં અસમર્થ હોય છે.
- ખાદ્ય વિતરણ વ્યવસ્થામાં ખામીઓ: જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને અન્ય સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને વિતરણના અભાવને કારણે, જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચતો નથી.
- ખેતીમાં સમસ્યાઓ: ભારતીય ખેતી પ્રણાલીમાં ઘણી સમસ્યાઓ છે જેમ કે આબોહવા પરિવર્તન, અપૂરતી સિંચાઈ, ખાતરો અને જંતુનાશકોનો અસંતુલિત ઉપયોગ, જેનાથી પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે.
- વધતી વસ્તી: ભારતની વધતી વસ્તી એ પણ એક મોટો પડકાર છે. ખાદ્ય ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા પર વધતા દબાણને કારણે દરેકને પૂરતો ખોરાક આપવો મુશ્કેલ બની જાય છે.
- કુપોષણ અને નિરક્ષરતા: ઘણા લોકો પોષણના મહત્ત્વથી વાકેફ નથી અને યોગ્ય આહારનું પાલન કરતા નથી. કુપોષણના કિસ્સામાં, પર્યાપ્ત પૌષ્ટિક ખોરાક મેળવવો વધુ મુશ્કેલ બની જાય છે.
- બેરોજગારી: બેરોજગારી અને અપૂર્ણ રોજગારની સ્થિતિને કારણે, ઘણા પરિવારો પાસે આવકનો નિયમિત સ્ત્રોત નથી, જેના કારણે તેઓ પર્યાપ્ત અને પૌષ્ટિક ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી.
- કુદરતી આફતો: પૂર, દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો પણ ખાદ્ય સુરક્ષાને અસર કરે છે. પાક બગડે છે અને વિતરણમાં અવરોધો આવે છે. ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં યોગ્ય રસ્તાઓ અને પરિવહન સુવિધાઓનો અભાવ છે, જેનાથી ખોરાકના પુરવઠામાં અવરોધ આવે છે.
કેવી રીતે આવી શકે છે આ સમસ્યાનું સમાધાન?
એક ડાયટીશીયનના મતે, ભારતીયોને પર્યાપ્ત અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ભારતની સરકારને ઘણા મોરચે સક્રિય પગલાં ભરવાની જરૂર છે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે દેશની સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં સુધારો કરવાની જરૂર છે. આ પ્રણાલીમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાને ઓછી કરવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે એવી યોજનાઓ લાવવી જોઈએ જેની મદદથી ખેડૂતોને ખાતર, જંતુનાશક,બિયારણ અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડી શકાય. આ સિવાય ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ વધારવો જોઈએ અને પાકના નુકસાનથી બચવા માટે અસરકારક પાક વીમા યોજનાઓ લાગૂ કરવી પણ સરકારની જવાબદારી હોવી જોઈએ. સાથે જ એક વસ્તુ જે સૌથી જરૂરી છે એ છે લોકોને સ્વસ્થ અને સંતુલિત આહારના મહત્ત્વ વિશે જાગૃત કરવા. સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેમને દાળ-ભાત અથવા શક-રોટલી ખાઈ લીધા અને તેમનું પેટ ભરાઈ ગયું તો એટલું જ પૂરતું છે. પરંતુ એવું નથી. લોકોમાં એ વાતની જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે કે પ્રોટીન માટે અલગથી બદામ, પનીર અને ચીકન જેવી વસ્તુઓ ખાવામાં આવે છે.
શું છે સતત વિકાસ લક્ષ્ય
સતત વિકાસ લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 17 વૈશ્વિક લક્ષ્યોનો સમૂહ છે, જે 2015 માં અપનાવવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વિશ્વભરમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના 17 ધ્યેયો પૈકી બીજો અને સૌથી મહત્ત્વપૂર્ણ છે ભૂખનો અંત. ભૂખને ખતમ કરવા, ખાદ્ય સુરક્ષા મેળવવા અને બહેતર પોષણ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. SDG-2 ખાદ્ય સુરક્ષા, પોષણ, ગ્રામીણ પરિવર્તન અને ટકાઉ કૃષિ વચ્ચેના જટિલ આંતરસંબંધોને પ્રકાશિત કરે છે.
કેવી રીતે માપવામાં આવે છે SDGની પ્રગતિ?
ટકાઉ વિકાસ લક્ષ્યમાં પ્રગતિ થઈ છે કે કેમ તે માપવા માટે 8 લક્ષ્યો અને 14 સૂચકાંકો છે. 8 લક્ષ્યાંકોમાંથી 5 લક્ષ્યાંક તરીકે નિર્ધારિત કરવામાં આવેલ છે જ્યારે 3ને એ લક્ષ્યોને હાંસલ કરવાના સાધન તરીકે નિર્ધારિત કરવામાં આવેલ છે.
- ભૂખનો અંત અને ભોજન સુધી પહોંચમાં સુધારો કરવો
- તમામ પ્રકારના કુપોષણને ખતમ કરવા
- કૃષિ ઉત્પાદકતા
- ટકાઉ ખાદ્ય ઉત્પાદન પ્રણાલી અને સ્થિતિસ્થાપક ખેતી પદ્ધતિઓ
- બીજ, ઉગાડવામાં આવેલા છોડ અને ખેતી અને પાળેલા પ્રાણીઓની આનુવંશિક વિવિધતા; રોકાણ, સંશોધન અને ટેકનોલોજી
- વેપાર પ્રતિબંધોનું નિરાકરણ કરવું
- વિશ્વના કૃષિ બજારોમાં ખામીઓનું સમાધાન શોધવું
- ખાદ્ય કોમોડિટી બજારો અને તેમના ડેરિવેટિવ્ઝમાં ખામીઓને દૂર કરવી