By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    19 hours ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    20 hours ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    3 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    5 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન પર સાયબર એટેક
    18 hours ago
    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નિશ્ર્ચિત
    18 hours ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    3 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    3 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    19 hours ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    4 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    5 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    5 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રિપોર્ટ: ભારતમાં અડધી વસ્તીને સારું ભોજન જમવાનાં છે ફાંફા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રિપોર્ટ: ભારતમાં અડધી વસ્તીને સારું ભોજન જમવાનાં છે ફાંફા
રાષ્ટ્રીય

રિપોર્ટ: ભારતમાં અડધી વસ્તીને સારું ભોજન જમવાનાં છે ફાંફા

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 1:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

સતત વિકાસ લક્ષ્ય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 17 વૈશ્વિક લક્ષ્યોનો સમૂહ છે, જે 2015 માં અપનાવવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વિશ્વભરમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 70મી બેઠકમાં બધા દેશોએ મળીને આગામી 15 વર્ષોમાં વિશ્વના સતત વિકાસનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આમાં બીજું અને સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે ભૂખમરો નાબૂદ કરવો. સતત વિકાસ લક્ષ્ય (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG) માં આ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું કે આવનારા 10 વર્ષોમાં વિશ્વના લગભગ તમામ દેશોમાંથી ભૂખમરો નાબૂદ કરવામાં આવશે.

- Advertisement -

2024માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ લાગુ થયાને 10 વર્ષ થઈ ચુક્યા છે. દરમિયાન, તાજેતરમાં ‘ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ’ પર વિશ્વ અહેવાલ 2024 બહાર આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વ તેની નિર્ધારિત મર્યાદાથી લગભગ છ વર્ષ દૂર છે. તેનો અર્થ એ કે, વિશ્વએ જો “ઝીરો ભૂખમરો” ના લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, તો તેણે વધુ 6 વર્ષ રાહ જોવી પડશે.

ગયા વર્ષે પાંચ આંતરરાષ્ટ્રીય એજસીઓ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 10 વર્ષોમાં એટલે કે વર્ષ 2015થી અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વસ્થ આહાર સુધી આર્થિક પહોંચમાં સુધારમાં પ્રગતિ સામાન્ય રહી છે. આ રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ભારત એ કેટલાક દેશોમાંથી એક છે જ્યાં તંદુરસ્ત આહાર પરવડી ન શકે તેવી વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ રિપોર્ટ અનુસાર, ભારતના લગભગ 50 ટકા લોકોને હજુ પણ યોગ્ય પોષણયુક્ત ખોરાક મળતો નથી. એવામાં જાણીએ કે સતત વિકાસ લક્ષ્ય શું છે અને શા માટે ભારતની લગભગ 50 ટકા વસ્તીને યોગ્ય પોષણયુક્ત આહાર નથી મળી રહ્યો.

શું કહે છે રિપોર્ટ

- Advertisement -

તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) જેવી સંસ્થાઓએ ભારતમાં ખાદ્ય અસુરક્ષા અને કુપોષણની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. FAO નો “ધ સ્ટેટ ઑફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ” રિપોર્ટ 2023 જણાવે છે કે લગભગ 50% ભારતીયોને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળતો નથી.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રકાશિત કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કુલ 74.1 ટકા ભારતીયો 2021માં જરૂરી પ્રોટીનયુક્ત ખોરાક લેવા માટે અસમર્થ હતા. ખાદ્ય સુરક્ષા અને પોષણ રિપોર્ટના 2023ના પ્રાદેશિક અવલોકન અનુસાર, ભારતમાં વર્ષ 2020માં 76.2 ટકા ભારતીયો તંદુરસ્ત આહારનો ખર્ચ ઉઠાવી શકવામાં અસમર્થ હોવાની સરખામણીમાં આ થોડો સુધારો છે.

શું છે શૂન્ય ભૂખમરો?

શૂન્ય ભૂખમરો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 2 નો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનો ધ્યેય 2030 સુધીમાં વિશ્વભરમાં ભૂખનો અંત કરવાનો છે, જેમાં કુપોષણને દૂર કરવાનો, ટકાઉ ખાદ્ય ઉત્પાદન પ્રણાલી અને સ્થિતિસ્થાપક કૃષિ પદ્ધતિઓને સુનિશ્ચિત કરવાનો, નાના ખેડૂતોને સમર્થન અને ખાદ્ય વિવિધતા અને પરંપરાગત જ્ઞાન સામેલ છે.

ભારતીયોને શા માટે નથી મળી રહ્યું યોગ્ય ભોજન

  • ગરીબી અને આવકમાં અસમાનતા: ભારતમાં ગરીબીનું સ્તર હજુ પણ વધારે છે અને ઓછી આવક ધરાવતા લોકો મોટી સંખ્યામાં છે. આ લોકો પર્યાપ્ત પોષણયુક્ત ભોજન ખરીદવામાં અસમર્થ હોય છે.
  • ખાદ્ય વિતરણ વ્યવસ્થામાં ખામીઓ: જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને અન્ય સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને વિતરણના અભાવને કારણે, જરૂરિયાતમંદ લોકો સુધી ખોરાક પહોંચતો નથી.
  • ખેતીમાં સમસ્યાઓ: ભારતીય ખેતી પ્રણાલીમાં ઘણી સમસ્યાઓ છે જેમ કે આબોહવા પરિવર્તન, અપૂરતી સિંચાઈ, ખાતરો અને જંતુનાશકોનો અસંતુલિત ઉપયોગ, જેનાથી પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે.
  • વધતી વસ્તી: ભારતની વધતી વસ્તી એ પણ એક મોટો પડકાર છે. ખાદ્ય ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા પર વધતા દબાણને કારણે દરેકને પૂરતો ખોરાક આપવો મુશ્કેલ બની જાય છે.
  • કુપોષણ અને નિરક્ષરતા: ઘણા લોકો પોષણના મહત્ત્વથી વાકેફ નથી અને યોગ્ય આહારનું પાલન કરતા નથી. કુપોષણના કિસ્સામાં, પર્યાપ્ત પૌષ્ટિક ખોરાક મેળવવો વધુ મુશ્કેલ બની જાય છે.
  • બેરોજગારી: બેરોજગારી અને અપૂર્ણ રોજગારની સ્થિતિને કારણે, ઘણા પરિવારો પાસે આવકનો નિયમિત સ્ત્રોત નથી, જેના કારણે તેઓ પર્યાપ્ત અને પૌષ્ટિક ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી.
  • કુદરતી આફતો: પૂર, દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો પણ ખાદ્ય સુરક્ષાને અસર કરે છે. પાક બગડે છે અને વિતરણમાં અવરોધો આવે છે. ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં યોગ્ય રસ્તાઓ અને પરિવહન સુવિધાઓનો અભાવ છે, જેનાથી ખોરાકના પુરવઠામાં અવરોધ આવે છે.

કેવી રીતે આવી શકે છે આ સમસ્યાનું સમાધાન?

એક ડાયટીશીયનના મતે, ભારતીયોને પર્યાપ્ત અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ભારતની સરકારને ઘણા મોરચે સક્રિય પગલાં ભરવાની જરૂર છે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે દેશની સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં સુધારો કરવાની જરૂર છે. આ પ્રણાલીમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાને ઓછી કરવા અને યોગ્ય લાભાર્થીઓ સુધી અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે એવી યોજનાઓ લાવવી જોઈએ જેની મદદથી ખેડૂતોને ખાતર, જંતુનાશક,બિયારણ અને સિંચાઈની સુવિધાઓ પૂરી પાડી શકાય. આ સિવાય ખેતીમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ વધારવો જોઈએ અને પાકના નુકસાનથી બચવા માટે અસરકારક પાક વીમા યોજનાઓ લાગૂ કરવી પણ સરકારની જવાબદારી હોવી જોઈએ. સાથે જ એક વસ્તુ જે સૌથી જરૂરી છે એ છે લોકોને સ્વસ્થ અને સંતુલિત આહારના મહત્ત્વ વિશે જાગૃત કરવા. સામાન્ય રીતે લોકોને લાગે છે કે તેમને દાળ-ભાત અથવા શક-રોટલી ખાઈ લીધા અને તેમનું પેટ ભરાઈ ગયું તો એટલું જ પૂરતું છે. પરંતુ એવું નથી. લોકોમાં એ વાતની જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે કે પ્રોટીન માટે અલગથી બદામ, પનીર અને ચીકન જેવી વસ્તુઓ ખાવામાં આવે છે.

શું છે સતત વિકાસ લક્ષ્ય

સતત વિકાસ લક્ષ્ય એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 17 વૈશ્વિક લક્ષ્યોનો સમૂહ છે, જે 2015 માં અપનાવવામાં આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વિશ્વભરમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ના 17 ધ્યેયો પૈકી બીજો અને સૌથી મહત્ત્વપૂર્ણ છે ભૂખનો અંત. ભૂખને ખતમ કરવા, ખાદ્ય સુરક્ષા મેળવવા અને બહેતર પોષણ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. SDG-2 ખાદ્ય સુરક્ષા, પોષણ, ગ્રામીણ પરિવર્તન અને ટકાઉ કૃષિ વચ્ચેના જટિલ આંતરસંબંધોને પ્રકાશિત કરે છે.

કેવી રીતે માપવામાં આવે છે SDGની પ્રગતિ?

ટકાઉ વિકાસ લક્ષ્યમાં પ્રગતિ થઈ છે કે કેમ તે માપવા માટે 8 લક્ષ્યો અને 14 સૂચકાંકો છે. 8 લક્ષ્‍યાંકોમાંથી 5 લક્ષ્‍યાંક તરીકે નિર્ધારિત કરવામાં આવેલ છે જ્યારે 3ને એ લક્ષ્યોને હાંસલ કરવાના સાધન તરીકે નિર્ધારિત કરવામાં આવેલ છે.

  • ભૂખનો અંત અને ભોજન સુધી પહોંચમાં સુધારો કરવો
  • તમામ પ્રકારના કુપોષણને ખતમ કરવા
  • કૃષિ ઉત્પાદકતા
  • ટકાઉ ખાદ્ય ઉત્પાદન પ્રણાલી અને સ્થિતિસ્થાપક ખેતી પદ્ધતિઓ
  • બીજ, ઉગાડવામાં આવેલા છોડ અને ખેતી અને પાળેલા પ્રાણીઓની આનુવંશિક વિવિધતા; રોકાણ, સંશોધન અને ટેકનોલોજી
  • વેપાર પ્રતિબંધોનું નિરાકરણ કરવું
  • વિશ્વના કૃષિ બજારોમાં ખામીઓનું સમાધાન શોધવું
  • ખાદ્ય કોમોડિટી બજારો અને તેમના ડેરિવેટિવ્ઝમાં ખામીઓને દૂર કરવી

You Might Also Like

ઈરાન પર સાયબર એટેક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નિશ્ર્ચિત

ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ

ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ

ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ

TAGGED: good food, India's population
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓનો ઇસ્કોન મંદિર પર હુમલો, 12000 ભારતીયો પણ હજુ ત્યાં જ છે
Next Article ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય: બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા આપ્યો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

માળિયા (મિં): વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાસંગપર પાસે હાઈવે પર ચક્કાજામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મોરબી: ક્રાઈમ બ્રાંચે રૂપિયા 6.55 લાખના મુદ્દામાલ સાથે બે ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા
ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ
પંચનાથ હોસ્પિટલના સેવાના 5 વર્ષ: અબોલ સેવા અને સચોટ સારવારનો પર્યાય
આબુમાં હેલ્થ સાયન્સ લાઈબ્રેરી એસો.ની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે
ધારાસભ્ય ઉદય કાનગડના ત્રણ વર્ષ પૂર્ણ: ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાન પર સાયબર એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નિશ્ર્ચિત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?