By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    18 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    18 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    19 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    19 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    19 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ
ગુજરાતરાજકોટ

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ

Khaskhabar Editor
Last updated: 2021/07/14 at 3:23 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટનાં વિકાસનાં શિલ્પી અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા : ડો. પ્રદિપભાઇ ડવ

સમય પાલન અરવિંદભાઇનો મોટામાં મોટો ગુણ : ગોવિંદભાઇ પટેલ

અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય : જ્યોતીન્દ્રભાઇ મહેતા

સામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી રહી છે : જેરામભાઇ વાંસજાળીયા

અરવિંદભાઇ મણીઆરના કાર્યકાળમાં શહેરના વિકાસનો નવો રોડમેપ તૈયાર થયો : અમિતભાઇ અરોરા

સંસ્થા અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે : ડો. વલ્લભભાઇ કથીરીયા

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય પ્રકલ્પમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. સંસ્થાને જીજ્ઞેશભાઇ જયંતિભાઇ પટેલ તથા પરિશેષભાઈ જયંતિભાઇ પટેલ તરફથી દાનમાં મળેલ વૈકુંઠયાત્રા વાહિની (શબવાહિની) લોકાર્પણ કાર્યક્રમ નાનો પણ ગરિમાપૂર્ણ રીતે રાજકોટનાં રૈયા સ્મશાન ગૃહ ખાતે યોજાયેલ હતો. સાથોસાથ સ્મશાન પરિસરમાં પ્રસંગની યાદગીરીને જીવંત રાખવા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયેલ હતું.

Contents
રાજકોટનાં વિકાસનાં શિલ્પી અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા : ડો. પ્રદિપભાઇ ડવસમય પાલન અરવિંદભાઇનો મોટામાં મોટો ગુણ : ગોવિંદભાઇ પટેલઅરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય : જ્યોતીન્દ્રભાઇ મહેતાસામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી રહી છે : જેરામભાઇ વાંસજાળીયાઅરવિંદભાઇ મણીઆરના કાર્યકાળમાં શહેરના વિકાસનો નવો રોડમેપ તૈયાર થયો : અમિતભાઇ અરોરાસંસ્થા અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે : ડો. વલ્લભભાઇ કથીરીયા

રાજકોટનાં પ્રથમ નાગરિક, મેયર ડો. પ્રદિપભાઇ ડવે જણાવ્યું હતું કે, ‘રાજકોટનાં વિકાસનાં સ્વપ્નદૃષ્ટા અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા. ખૂબ જ ટૂંકાગાળામાં શહેરના વિકાસ માટે તેમણે કરેલા કાર્યો દાયકાઓ બાદ પણ આપણે જોઈ રહ્યા છીએ. આ મહાનુભાવના નામ સાથે જોડાયેલ સંસ્થાના સેવાકીય કાર્યોમાં મને યાદ કર્યો તે બદલ સહુનો આભાર.’

- Advertisement -

ઉમીયા માતાજી ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ આભાર સહ જણાવ્યું હતું કે, ‘ અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના જ સેવાના ઉદ્દેશથી થઈ છે. સામાજિક સેવામાં સદૈવ અગ્રેસર સંસ્થા વધુ એક પ્રકલ્પ પૂર્ણ કરી સેવાને સાર્થક કરે છે. તેમણે દાતા જયંતિભાઇ પટેલના ભુતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા.’

ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, ‘ અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સામાજિક, શૈક્ષણીક, તબીબી, જ્ઞાનવર્ધક ઉપરાંત અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે. સંસ્થાની મોબાઇલ ડિપેન્સરીમાં ફક્ત રૂા. ૧૦માં નિદાન સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવે છે અને તેનો લાભ દરરોજ અસંખ્ય છેવાડાના લોકો લઇ રહ્યા છે.’

અમિતભાઇ અરોરાએ જણાવ્યું હતું કે, ‘હજુ હમણાં જ રાજકોટમાં આવ્યો છું અને ત્યાં જ સેવાકીય કાર્યોમાં સામેલ થવાનો મોકો મળ્યો તે શુભ સંકેત દર્શાવે છે. અહીં લોકો સાથે થોડી વાતચીતમાં માહિતી મળી છે કે અરવિંદભાઇ મણીઆર રાજકોટનાં ચુંટાયેલા પ્રથમ મેયર હતા અને તેઓના કાર્યકાળમાં વિકાસનો એક નવો રોડમેપ બન્યો જે આજ સુધી સહુ માટે ઉપયોગી બની રહ્યો છે.’

- Advertisement -

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘સમયપાલન એ અરિવંદભાઇ મણીઆરનો મોટામાં મોટો ગુણ હતો. તેમના કદમથી કદમ મિલાવવા એટલે કપરામાં કપરું કાર્ય. પરંતુ જે તેમાં નિપુણ થયા તે શ્રેષ્ઠ થયા. તેમની પારખુ નજરથી કાર્યકરને હીરાની જેમ ચમકાવતા.’

સહકારી અગ્રણી અને સંસ્થાના ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ‘સંસ્થાના વિવિધ સેવાકીય કાર્યો સહુના સાથથી સારી રીતે થઇ રહ્યા છે. આ તકે અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય છે. દાતા પરિવારનાં વડિલ માતુ અંબામાના આશીર્વાદથી જયંતિભાઇ અને તેમના પરિવારજનો દ્વારા સહુને ઉપયોગી સમાજ સેવાનું કાર્ય સાકાર થયું છે.’

સાદગીસભર આ લોકાર્પણમાં ડો. પ્રદિપભાઇ ડવ (મેયર-રાજકોટ મહાનગરપાલિકા), જેરામભાઈ વાંસજાળીયા (પ્રમુખ-ઉમીયા માતાજી ટ્રસ્ટ), જ્યોતીન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ નાફકબ, ન્યુ દિલ્હી), કલ્પકભાઇ મણીઆર (જાણીતા સી.એ.-સહકાર અગ્રણી), બાબુભાઇ ઘોડાસરા (પૂર્વ કલેકટર), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ), ડો. દર્શિતાબેન શાહ (ડે. મેયર-રાજકોટ મહાનગરપાલિકા), પુષ્કરભાઇ પટેલ (સ્ટે. કમીટી ચેરમેન-રાજકોટ મહાનગરપાલિકા), અમિતભાઇ અરોરા (કમીશ્નર-રાજકોટ મહાનગરપાલિકા), કમલેશભાઇ મીરાણી (શહેર ભાજપ અધ્યક્ષ), લાખાભાઈ સખીયા (સામાજિક અગ્રણી), ડી. કે. સખીયા (સામાજિક અગ્રણી), ડો. વલ્લભભાઈ કથીરીયા (મેનેજીંગ ટ્રસ્ટી), હંસરાજભાઇ ગજેરા (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), બાવનજીભાઇ મેતલિયા (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), ડો. માધવભાઇ દવે (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), શ્રી સાંઇ રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (રૈયા સ્મશાન)ના વિજયભાઇ અને સંજયભાઇ, દાતા પરિવારમાંથી જયંતિભાઇ પટેલ તથા જીજ્ઞેશભાઇ પટેલ અને પરિશેષભાઇ પટેલ, અપૂર્વભાઇ મણીઆર (અધ્યક્ષ-સરસ્વતી શિશુ મંદિર), બળવંતભાઇ જાની, મિહીરભાઇ મણીઆર, જયેશભાઇ સંઘાણી, ચમનભાઇ સિંધવ, વિજયભાઇ કારીયા, મુકેશભાઇ દોશી, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, લક્ષ્મણભાઇ મકવાણા, ભુપેન્દ્રભાઇ શાહ, સંજયભાઇ મોદી, ઇન્દ્રવદનભાઇ રાજ્યગુરૂ, જગદીશભાઇ જોષી, મનીશભાઇ શેઠ, ગુણવંતભાઈ ભટ્ટ, રમેશભાઈ પરમાર, ભરતભાઈ અનડકટ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આભારદર્શન ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ અને સરળ-મનનીય સંચાલન નિલેશભાઇ શાહે કર્યું હતું.

You Might Also Like

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન

સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસકા જુના આધેડની આત્મહત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો
Next Article લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર અબુ હુરૈરા સહિત 3 આતંકી ઠાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?