ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢનું પ્રમુખ તીર્થ અને લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર એવા દામોદર કુંડની અવદશાથી શ્રદ્ધાળુના દિલમાં ઠેસ પોહચી છે. કહેવાય છે કે નરસિંહ મહેતા અહીં દરરોજ સ્નાન કરી દામોદરજી પ્રભુનું ભજન અને સ્મરણ કરતા હતા આજે બેજવાબદાર તંત્ર – એસી ઓફિસમાં બેસી સ્થળ ખરાઈ કર્યા વગર ફક્ત ફોટાથી સંતોષ માની લેતા સાફ સફાઈની કામગીરી સાંભળતા અધિકારીઓ – અને સફાઈકર્મીઓની એજન્સી સાથેની સાંઠગાંઠને કારણે આ તીર્થની સાફાસફાઈ માટે સરકાર તરફથી કરોડો રૂપિયા ચુકવાતા હોવા છતાં ફક્ત કાગળ પર જ કામગીરી થાય છે અને ખરેખર આ તીર્થ ક્ષેત્રની સાફ સફાઈ થતી નથી.
- Advertisement -
બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવતા યાત્રાળુઓ કુંડમાં રહેલી ગંદકી જોઈ અહીં સ્નાન કરતા અચકાય છે.ઠેર ઠેર આ પવિત્ર કુંડમાં કચરાનું સામ્રાજ્ય છે.કુંડનું પાણી દુર્ગંધ મારે છે.અસ્થિ વિસર્જન માટે આવતા ડાઘુઓ પણ કોચવાતાં મને અહીં અસ્થિ વિસર્જન કરે છે. ત્યારે શુ વાંક પ્રજા નો છે ? શુ વાંક મહાનગરપાલિકા નો છે.? કે પછી સાફ સફાઈ માટે નિયુક્ત થયેલ એજન્સી ડી.જી.નાકરાણીનો ? આવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે તો હવે કરવાનું શુ હવે માત્રને માત્ર આ પ્રશ્ર્ન અમે દામોદરકુંડના તીર્થ પુરોહિતો અને યાત્રીઓ માત્ર મિડિયા સમક્ષ રજૂઆત કરીને જ મન મનાવી રહ્યા છે.