ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં પ્રાચીન જગન્નાથજી મંદિર આવેલુ છે. જગનનાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગનાથજીની રથયાત્રાનું આયોજ કરવામાં આવે છે. મહોત્સવ અંતર્ગત તા.5 થી 7 જુલાઇ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જગન્નાથજી મંદિરે યોજાનાર ત્રણ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે તા.પ જુલાઇના સવારે 9 થી બપોરે 4 વગ્યા સુધી વિષ્ણુયાગ યજ્ઞ, રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા, તા.6ને શનિવારે રાત્રે રાધાકૃષ્ણ ભક્તિ સંગીત ગૃપ દ્વારા ભજન સંઘ્યાનો કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
તા.7 જુલાઇને રવિવારે અષાઢી બીજાના દિવસે સવારે 7 થી 11 વાગ્યા સુધી ભગવાનનું શાહી સ્નાન, ત્યાર બાદ હાંડી ભોગ આરતી, બપોરે 3 કલાકે સંતો, મહંતો, રાજકીય, સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ર0મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામના રથને પુરૂષો,બહેન સુભદ્રાજીના રથને મહિલાઓ દ્વારા દરડા વડે ખેંચવામાં આવશે. સાંજે રથયાત્રા સંપન્ન થયાબાદ મંદિરે મહાઆરતી યોજવામાં આવશે. આ રથયાત્રાનાં રૂટમાં ફેરફાર કરાયો છે જેમાં જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરી દીવાન ચોક, માલીવાડા રોડ, આઝાદ ચોક, એમ.જી.રોડ, દાતાર રોડ, ભીડભંજન મંદિર થઇને જગન્નાથ મંદિર પરત ફરશે.