“જ્ઞાનકુંજ” પ્રોજેક્ટ અમલિકૃત 431 શાળાઓમાં 1377 સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ત્રિ-દિવસીય ક્ધયા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 717 પ્રાથમિક શાળા, 223 માધ્યમિક શાળા ખાતે 73 રૂટ દ્વારા આંગણવાડીમાં કુલ – 2828 બાળકો, બાલવાટીકામાં કુલ – 8441 બાળકો, ધોરણ-1 માં કુલ – 6507 બાળકો, ધોરણ-9 માં કુલ – 11,777 વિદ્યાર્થીઓ, ધોરણ-11 માં 8188 વિદ્યાર્થીઓ એમ કુલ – 37,741 ભૂલકાઓ-વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી ઉમંગ ઉલ્લાસ વચ્ચે પ્રાથમિક-માઘ્યમિક શાળાઓમાં પ્રવેશ અપાયો છે. સાથો સાથ પર્યાવરણ જતનના સંદેશ આપી દરેક સ્કુલ ખાતે મહાનુભાવો, ગામજનો, બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ સહીત ધારાસભ્યો અને કાલકેટર સહીતના આગેવાનો સતત ત્રણ દિવસ ગામડે-ગામડે દરેક સ્કુલ ખાતે ઉપસ્થિત રહી કુલ – 37,741 બાળકોને શિક્ષણ ક્ષેત્રે પા-પા પગલીઓ કરાવી બાળકોને કુમ-કુમ તીલક સાથે પ્રવેશ કીટ આપી શાળાઓમાં પ્રવેશ કરાવ્યો છે. સાથો સાથ ઈઊઝ પરીક્ષા, ગખખજ પરિક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓ, જ્ઞાનશક્તિ/રક્ષા શક્તિ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવેલ બાળકો, ગત વર્ષમાં 100% હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ યોજનાઓ દ્વારા સરકારી શાળાઓમાં “જ્ઞાનકુંજ” પ્રોજેક્ટ અમલીકૃત 431 શાળાઓમાં 1377 સ્માર્ટ ક્લાસ, આઈસીટી લેબ ધરાવતી 284 શાળાઓમાં 4260 કમ્પ્યુટર્સ, “સ્કુલ ઓફ એક્ષલેસ” 277 શાળા, એમ.ડી.એમ. કીચન ધરાવતી 687 શાળા, રમત-ગમતના મેદાન ધરાવતી 713 શાળા, કમ્પાઉન્ડ વોલની સુવિધા ધરાવતી 701, આર.ઓ./યુ.વી. પ્લાન્ટ, ઈન્ટરનેટની સુવિધા, સેનીટેશનની સુવિધા, વિજળીકરણની સુવિધા ધરાવતી કુલ 717 શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અમલી બનતા બાળકોને વિવિધ ક્ષેત્રે આધુનીક શિક્ષણ સાથે તેમના કૌશલ્યમાં વધારો થઈ રહ્યો છે.તથા જિલ્લાની કુલ 378 ક્ધયાઓને રૂ.3747 લેખે વિદ્યાલક્ષી બોન્ડની પાકતી મુદતની કૂલ રકમ રૂ.14,16,366નું પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન ચૂકવણી કરવામાં આવેલ છે.