બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો, મધુબની જિલ્લાના જંજારપુરં નિર્માણાધિન બ્રિજ શુક્રવારે ધરાશાયી થયો. છેલ્લા 11 દિવસમાં પુલ ધરાશાયી થવાની આ પાંચમી ઘટના બની છે.
બિહારમાં પુલ ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. બિહારમાં છેલ્લા 11 દિવસમાં હવે પાંચમો બ્રિજ ધરાશાયી થયો છે. બિહારના મધુબનીમાં બની રહેલો 77 મીટર લાંબા બ્રિજનો ભાગ શુક્રવારે નદીમાં ખાબક્યો. ઝંઝારપુરમાં બની રહેલો 77 મીટર લાંબા બ્રિજના બે પિલર વચ્ચે આવેલો 77 મીટર લાંબો ગર્ડરનો ભાગ ધરાશાયી થયો. એટલું જ નહીં, સમગ્ર ઘટનાને છૂપાવવા હાજર ઇજનેરોએ ધરાશાયી થયેલા ભાગને કાળા પ્લાસ્ટિકથી ઢાંકી દીધો. જેથી કોઈને પુલ ધરાશાયી થયાની કોઈ જાણ ન થાય. જો કે આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના કોઈ અહેવાલ નથી.
- Advertisement -
બિહારમાં પુલ ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. બિહારમાં છેલ્લા 11 દિવસમાં હવે પાંચમો બ્રિજ ધરાશાયી થયો છે. બિહારના મધુબનીમાં બની રહેલો 77 મીટર લાંબા બ્રિજનો ભાગ શુક્રવારે નદીમાં ખાબક્યો. ઝંઝારપુરમાં બની રહેલો 77 મીટર લાંબા બ્રિજના બે પિલર વચ્ચે આવેલો 77 મીટર લાંબો ગર્ડરનો ભાગ ધરાશાયી થયો. એટલું જ નહીં, સમગ્ર ઘટનાને છૂપાવવા હાજર ઇજનેરોએ ધરાશાયી થયેલા ભાગને કાળા પ્લાસ્ટિકથી ઢાંકી દીધો. જેથી કોઈને પુલ ધરાશાયી થયાની કોઈ જાણ ન થાય. જો કે આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના કોઈ અહેવાલ નથી.
ધરાશાયી થયેલા પુલ માટે સરકારે 3 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. મધુબનીના આ પુલનું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બિહાર સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા થઈ રહ્યું હતું. ત્યારે 3 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં જતાં બિહારમાં સ્થાનિક ક્ષેત્રે ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે.
11 દિવસમાં પાંચ પુલોએ લીધી જળ સમાધિ
- Advertisement -
નોંધનીય છે કે બિહારમાં છેલ્લા 11 દિવસમાં પુલ ધરાશાયી થવાની આ પાંચમી ઘટના છે. આ પછી પોલીસ બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. જણાવી દઈએ કે 18 જૂનના રોજ આ વિસ્તારમાં 12 કરોડ રૂપિયાના ખર્ચે બકરા નદી પર બનેલો પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ પછી 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. કહેવાય છે કે આ પુલ લગભગ 40-45 વર્ષ જુનો હતો.
આ પછી, 23 જૂનના રોજ, પૂર્વ ચંપારણમાં લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો પુલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે પુલ ધરાશાયી થયો છે. જયારે 27 જૂને, બિહારના કિશનગંજમાં, કનકાઈ અને મહાનંદા નદીઓને જોડતી એક નાની ઉપનદી નદી પર બનેલો પુલ તૂટી પડ્યો.