ખાસ-ખબર ન્યૂઝ રાજુલા,
રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન વિસ્તાર નજીક રોડ પર પાણીનો બેફામ વેડફાડ થઇ રહ્યો છે. છેલ્લા ધણાં સમયથી પાણીની રેલમછેલ થતી જોવા મળી રહી છે. આ રોડ પર બારેય માસ પાણીની નદી વહેતી હોય છે. અહીં આ રોડ પર પીવાના પાણી તથા ગટરના પાણીને કારણે લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતાં. જ્યારે આ રોડ પર શાળા તેમજ કોલેજ આવેલી છે. અને વિધાર્થીઓને સવાર-સાંજ શાળાએ તેમજ ઘર તરફ જતી વખતે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અને વાહન ચાલકોને પણ રોડ પરથી અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ પાણી રોડ પર ફરી વળવાને કારણે અકસ્માત ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે દરરોજ માટે પાણીનો બગાડ થતો હોવાને કારણે ક્યાંકને ક્યાંક વહીવટદાર નગરપાલિકાની ઢીલીનીતી સામે આવી છે.
- Advertisement -
નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવામા આવી છે છતાંપણ પરીણામે શુન્ય. એકતરફ શહેરીજનોને પીવાનુ પુરતુ પાણી નથી મળતુ અહીંયા તો પાણીની બેફામ વેડફાડ થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ ઉભી થયેલ હોવાથી લોકોએ પણ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. રાજુલા નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થઇ ચૂકી છે. ત્યારે હાલમાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે પરંતુ વહિવટ નગરપાલિકા હોવાથી શહેરના પડતર પ્રશ્નો દુર થવા જોઇએ. પરંતુ હજુસુધી કોઇ નિરાકરણ આવ્યુ નથી. અહીંયા વહીવટદાર નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર જ તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે એસ.ટી બસ સ્ટેન્ડ નજીક રોડ પર પાણીનો વેડફાડ થતો અટકાવવા આવે તેવી શહેરજનોની માંગ ઉઠી છે.
આ સામાજીક કાર્યકર ગિરધર ઉનાગરે જણાવ્યુ કે, છેલ્લા ત્રણેક વર્ષથી આ રોડ પર તુટેલી લાઇનો હોવાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. અને શાળાએ જતી વખતે વિધાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. વાંરવાર નગરપાલિકામાં રજૂઆત કરાઇ છતા પરીણામે ઉકેલ થયો નથી તેમજ આ રોડને તોડવામા આવે જેથી રોડ કરીને નીચે પાઇપલાઇન તુટેલી હોય જેને રીપેર કરી ત્યારબાદ રોડનુ સમારકામ કરવામા આવે તો જ આ સમસ્યાનો હલ થશે તેમ છે. અને મે પણ સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નની રજૂઆત કરવામા આવી હતી. હજુસુધી કોઇ નક્કર કાર્યવાહી થયેલ નથી. વહીવટદાર નગરપાલિકા દ્વારા આ પ્રશ્નનુ તાકીદે નીરાકરણ કરવુ જરૂરી બન્યુ છે.