દરરોજ હજારો યાત્રિકો આવે છે તેવા યાત્રાધામ બેટ-દ્વારકામાં સરકારી નિયમ-કાયદાનો સરેઆમ ઉલાળિયો કરાઈ રહ્યો છે
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે પરંતુ
- Advertisement -
અહેવાલ : બુધાભા ભાટી
બેટ-દ્વારકામાં થોડા જ સમય પહેલા પી.આઈ.ની પોષ્ટ ધરાવતું સ્વતંત્ર પોલીસ સ્ટેશન ખુલ્લું મુકાયું છે પરન્તુ ટ્રાફિક નિયમન જેવું કંઈ જ દેખાતું નથી. 500 થી વધુ રિક્ષા ચાલકો ખુલ્લેઆમ નિયમોનાં ઉલાળિયા કરે છે. તમામ રિક્ષા ચાલકો પાસે જરુરી વાહનનાં આધાર કે ડ્રાઈવિંગ લાયસન્સ છે કે નહીં તે કોણ ચકાસણી કરશે ? મુખ્ય મંદિરનાં પગથિયાંનાં રોડ ઉપર જ પાર્કિંગ પોઇન્ટ બનાવી ને ટ્રાફિક અને યાત્રિકો ને બાધિત કરાઈ રહ્યા છે. બેટ-દ્વારકાની હોટેલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, અન્નક્ષેત્ર, ધાર્મિક સ્થાનો ઉપરાંત અસંખ્ય ખાણીપીણીની દુકાનો વગેરે કોઈ પાસે ફાયર ગઘઈ ન હોવા છતાં બધું રાબેતા મુજબ ધમધમે છે ! રાજકોટનાં અગ્નિકાંડ એટલે કે ઝછઙ ગેમ ઝોન (મયફવિં ુજ્ઞક્ષય નાં દુખદ બનાવ બાદ રાજ્ય સરકારનું સરકારી તંત્ર જાણે મોટી ઉંઘમાંથી ઉઠીને સફાળું જાગ્યું છે. ગુજરાત રાજ્યનાં મહાનગરો અને નગરોમાં સેંકડોની સંખ્યામાં હોટેલ, મોલ, ગેમ ઝોન, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, ધર્મ શાળા, સિનેમા, ફયુલ પંપ, વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે. આવા સમયે ખાસ કરીને જ્યાં દરરોજનાં હજારો લોકો એકઠા થતા હોય તેવા ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો કે વાણિજ્ય હેતુનાં સ્થળોએ આમ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે સરકારનાં બનાવાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવું સરકારનાં સ્થાનિક તંત્રની જવાબદારી હોય છે
પરન્તુ હજુ ઘણા વિસ્તારોમાં આળસુ તંત્રનાં અધિકારીઓનાં કાને આ ફરમાન પહોંચ્યું હોય તેવું દેખાતું નથી. બેટ-દ્વારકા યાત્રાધામમાં આવતા આ લોકો માટે ખાસ કરીને સુરક્ષા અને સલામતી ઉપરાંત આરોગ્ય અંગે શું શું સરકારનાં નિયમો પડાવાઈ રહ્યા છે તે જોઇએ તો બેટ-દ્વારકામાં અનેક ધાર્મિક સ્થાનો, હોટેલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, અન્નક્ષેત્ર, ઉપરાંત અનેક ખાણીપીણીનાં એકમો આવેલા છે. આ તમામ જગ્યાએ દરરોજ હજારો લોકો એકઠા થઈ રહ્યા છે ત્યારે અમારી ટીમએ બેટ-દ્વારકાના આ તમામ સ્થળોની મુલાકાત લેતા કોઈપણ સ્થળે ફાયર ગઘઈ સર્ટિફિકેટ કે આગ બુઝાવવાનાં સાધનો ઉપલબ્ધ જણાતા નથી. આ ઉપરાંત બેટ-દ્વારકામાં થોડા સમય પહેલા જ એક સ્વતંત્ર પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. પી.આઈ.ની પોસ્ટ વાળું આ ગુજરાતનું પહેલું ટાપુ પરનું પોલીસ સ્ટેશન છે. સુદર્શન બ્રીજના બનવા પછી બેટ-દ્વારકામાં રિક્ષાચાલકોની માંગ વધી અને તે રીતે આજે 500 થી વધારે રીક્ષા ચાલકો બેટ-દ્વારકામાં કાયેરત છે. આ તમામ રિક્ષા ચાલકો પાસે સરકારનાં નિયમ પ્રમાણે દરેક જરૂરી પ્રમાણપત્રો હોવા ઉપરાંત ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે પરંતુ અહીં રીક્ષા ડ્રાઇવરો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે અને આ રીક્ષા ચાલક ડ્રાઇવિંગ લાઇસન્સ વિના રીક્ષા ચલાવે છે તો તેનું મોનિટરિંગ કોને કરવું જોઈએ ? એ સ્થાનિક પોલીસ એ જોવાનું રહ્યું આ ઉપરાંત જે રીક્ષાઓ ચાલે છે તે રીક્ષા ચાલકો ટ્રાફિક નિયમોનો કોઈપણ નિયમ પાડતા નથી મંદિરની આસપાસના ભરચક વિસ્તારોમાં ખુલ્લેઆમ રિક્ષાચાલકો દાદાગીરી કરીને કાયમી માટે રીક્ષા પાર્કિંગ કરીને યાત્રિકોને પરેશાન કરી રહ્યા છે આ ઉપરાંત જે રીતે બહારથી યાત્રિકો આવે છે તેમને પાર્કિંગથી મંદિર સુધી લાવવા જવા માટે પણ આ રીક્ષા જ ચાલે છે ત્યારે સ્થાનિક તંત્ર એ બેટ-દ્વારકામાં ચાલતી રીક્ષાઓ માટે ભાડા પત્રક બનાવવું જરૂરી હોવા છતાં પણ રિક્ષાચાલકો યાત્રિકોને બેફામ લૂંટી રહ્યા છે.
- Advertisement -
વળી,આ રિક્ષા ચાલકો પોતાની રિક્ષા મન ફાવે તેમ પાર્કિંગ કરીને સરકારનાં ટ્રાફીક નિયમનનાં લિરા ઉડાળાય છે. આ ઉપરાંત યાત્રિકોની સલામતી અને સુરક્ષાની વાત કરવામાં આવે તો જે લગભગ ત્રણ કિલોમીટરનો સુદર્શન બ્રીજ રોડ બનેલ છે તેમાં ક્યાંય પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી અને મોટર વ્હીકલ માટે 80સળ/વ અને ટ્રોલી કે ટ્રક માટે 60 સળ/વ કેપેસિટીનાં બોર્ડ લગાવેલા છે. આ બ્રિજ ઉપર કોઈપણ વાહન 60 થી 80 સળ/વ ની સ્પીડે ચાલે અને આ બ્રિજ ઉપર હજારો યાત્રિકો પોતાના વાહન પાર્ક કરીને સેલ્ફી અને રિલ્સ બનાવી રહ્યા હોય ત્યારે અકસ્માત થવાનો પુરેપુરો ખતરો રહેલો છે. જો સુદર્શન બ્રીજ પર વાહન સ્પીડ ઘટાડાય, સ્પીડ બ્રેકર મુકાય અને બ્રીજ ને નો પાર્કિંગ ઝોન જાહેર કરાય તો જ ભવિષ્યમાં અકસ્માતો નિવારી શકાય. સ્થાનિક સરકારી તંત્ર ને આ સમસ્યા દેખાતી નથી. અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે ત્રણ માસમાં આ સુદર્શન બ્રિજ ઉપર નાના-મોટા પાંચથી વધુ અકસ્માતો થયા છે જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. આમ, રાજકોટનાં અગ્નિકાંડ બાદ જે રીતે ગુજરાતની રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોએ રાજ્યના વિવિધ શહેરોમાં નગરોમાં અને ગામોમાં કાયદાના પાલન કરવા માટે હુકમો આપ્યા છે તે હુકમોનું પાલન ઓખા નગરપાલિકાનાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે થતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ક્યાંય દેખાતું નથી. હાલ અમે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમાન શુક્લા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવેલ કે હું ગાંધીનગર મિટિંગમાં આવ્યો છું મંગળવારે ઓખા ઓફિસે હાજર થઈશ. બેટ-દ્વારકા યાત્રાધામ બાબતે તેમને જણાવેલ કે ફાયર એનઓસી અને અન્ય જોખમી પરિબળો વિશે ઓખા નગરપાલિકા પાસે જે કાંઈ સ્ટાફ છે તેમને કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઓખા નગરપાલિકાના પ્રમુખ નો સંપર્ક કરતા તે હાલ થોડા દિવસ કોઈ ધાર્મિક પ્રસંગે બહારગામ હોય હાલ ઓખા નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર મળી શકેલ નથી.