આપણી પાસે પ્રજાકલ્યાણના કામોનું ભાથું, મજબુત નેતાગીરી, કર્મશીલ કાર્યકરો થકી ૨૦૨૨ની ચૂંટણીમાં જ્વલંત વિજયના સંકલ્પ સાથે કાર્યકરો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભાજપાની સફળતાનું રહસ્ય મુલ્યો આધારિત પાર્ટી : મનસુખભાઈ ખાચરીયા
રાજકોટ જીલ્લા ભાજપા મીડિયા વિભાગ જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચનાથી રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય“કમલમ”ખાતે વર્ચ્યુઅલ જીલ્લા બેઠક યોજાઈ જેમાં રાજકોટ જીલ્લાના સંગઠન પ્રભારી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લાના નવનિયુક્ત સંગઠનની રચના થયા બાદ પ્રથમ કારોબારીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્યઓ ગીતાબા જે.જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ, જીલ્લા વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય વલ્લભભાઈ કથીરિયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી કારોબારી બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને દેશ અને રાજ્યમાં ચાલતી સાંપ્રત સમસ્યા, આ સમસ્યામાં કાર્યકર્તાઓએ પોતાના જાનની પરવા કર્યા વગર કરેલા સેવાકાર્યો તેમજ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.
રાજકોટ જીલ્લા ભાજપની પ્રથમ કારોબારી વર્ચ્યુઅલ બેઠકમાં પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણી પાસે પ્રજાકલ્યાણના કામોનું ભાથું, મજબુત નેતાગીરી, કર્મશીલ કાર્યકરો છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત અને સામુહિક કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચી છે. કોરોના અને તાઉ-તે વાવાઝોડાના પડકારો સામે પણ આપણે લોકોની વચ્ચે જઈ સેવા કરી છે એટલે જ તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આપણને પ્રજાએ સુશાસનની અપેક્ષા સાથે બહુમતી આપી છે. હવે ૨૦૨૨માં પણ કોઈપણ જાતી કે વર્ગના ભેદભાવ રાખ્યા વગર આપણે ૭મી વખત વિધાનસભામાં બહુમતી મેળવીને એક હાર્દ બનાવવાનો છે. રાજકોટ જીલ્લા ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળજી અને અટલજીને યાદ કરી એક સદીથી લોકોની વચ્ચે કામ કરી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રહિતના કામ કરનારા કાર્યકરો તેમજ કેન્દ્રમાં છેલ્લા ૭ વર્ષથી અને રાજ્યમાં ૨૦ વર્ષથી સુશાસન આપનાર ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં અને દેશમાં શાંતિનું વાતાવરણ ઉભુ કર્યું છે ત્યારે અનેક પડકારો વચ્ચે પણ આપણે વિદેશી રોકાણ વધારી શક્ય છીએ. તેમજ જણાવી રાજકોટ જીલ્લામાં કોરોનાકાળ દરમ્યાન ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલો, ઓક્સીજનની સપ્લાય, દવા વગેરેની વ્યવસ્થાના કારણે આજે લોકોની સહાનુભુતિ આપણી સાથે જોડાય છે. તેવી વિગતથી કાર્યકરોને વાકેફ કર્યા હતા.
બેઠકમાં જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા દ્વારા રજુ કરાયેલા રાજકીય પ્રસ્તાવને જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડાએ અનુમોદન કર્યું હતું
મહાભારત વાક્ય “જો વ્યક્તિ અપને દુઃખ કો હૃદય સે લગાતા હે, વો નિર્બલ હોતા હે ઔર જો સમાજ કે દુઃખ કો હૃદય સે લગાતા હે વો હી મજબુત હે” દોહરાવી મનસુખભાઈએ કોરોના અને તાઉ-તે વાવાઝોડા દરમ્યાન જીલ્લા ભાજપ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ સફળ થયેલા કાર્યો માટે કર્મઠ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
સંગઠનના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાએ પણ રાજકોટ જીલ્લા ભાજપની પ્રથમ કારોબારીની બેઠકમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા જીલ્લા ભાજપની સમગ્ર ટીમ દ્વારા કોરોનાકાળ દરમ્યાન કરવામાં આવેલી લોકોની સેવા, સંકલનને બિરદાવ્યા હતા અને પ્રદેશકક્ષાની બેઠકમાં જાહેર થયેલા કાર્યક્રમોની માહિતી આપી હતી.
પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ એવું જણાવ્યું હતું કે, ગામડાના દરેક લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાના ફળ માટે તે આપણા સૌની જવાબદારી છે. તેની સાથે આવનારા દિવસોમાં કાર્યકર્તાઓના મૂળ પ્રશ્નોને પણ સમજી દરેકને સાથે રાખી ૨૦૨૨નો સંકલ્પ કરવાનો છે.
કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ રાજ્ય સરકાર દ્વારા દરરોજ મળતી કોર કમિટીની બેઠકમાં નાનામાં નાના ગામડાથી માંડી મોટા શહેરો સુધીના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવામાં આવતા હોવાનું જણાવી વાવાઝોડા અને કોરોનાકાળ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૪ કલાક કંટ્રોલરૂમમાં હાજરી આપી દરેક મંત્રીને જીલ્લાવાર કામગીરી સોંપી હતી અને તેના કારણે આજે કુદરતી આપત્તિઓમાંથી પ્રજાને બહાર લાવી શક્યા હોવાનું જણાવ્યું હતું.
કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે કામગીરી થઇ છે તેને ધ્યાનમાં રાખી પ્રજાની વચ્ચે તેના સુખ-દુઃખમાં સાથી બનવા તમામ કાર્યકરોને અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના વિભાગના પ્રશ્નો માટે રાજકોટ જીલ્લા ભાજપના નેતૃત્વ હેઠળ તમામ ગ્રામપંચાયતોના પ્રતિનિધિઓની બેઠકમાં હાજરી આપવાની ખાતરી આપી હતી.
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કિસાનથી માંડી નાનામાં નાના ગરીબ વર્ગની ચિંતા કરી વિવિધ યોજનાના માધ્યમથી ઉત્થાનના જે પ્રયાસ કર્યા છે. તેની નોંધ વિશ્વકક્ષાએ પણ લેવાઈ છે. તેમ જણાવી સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ રેલ્વે ટ્રેક, ૭ વર્ષમાં સમગ્ર દેશમાં પૂર્ણ કરાયેલી ૧૩૦ સિંચાઈ યોજના, ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ સીધા જ જમા થાય તેવી વ્યવસ્થા, આયુષ્યમાન મેડીકલ યોજના, “નલ સે જલ” જેવી અનેક યોજનાઓની સફળ કામગીરીની માહિતી આપી હતી. રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં જ લોંચ કરાયેલી ગ્રામપંચાયતોને જોડતી એપ્લીકેશનની પણ પ્રશંસા કરી જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરને મોહનભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.
ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યની માહિતી આપી હતી.
આ તકે જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડાએ રાજકોટ જીલ્લામાં કોરોનાના કપરા કાળમાં થયેલા સેવાકીય કાર્યોની માહિતી આપતા કહ્યું હતું કે, જીલ્લાના તમામ ૧૭ મંડલો ઉપર કોવિડ હોસ્પિટલો ખોલીને ૧૦૦૦ બેડની તાત્કાલિક વ્યવસ્થા કરીને લોકોની જાન બચાવવાના પ્રયાસો કર્યા હતા.
આ વર્ચ્યુઅલ કારોબારી બેઠકના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ વંદેમાતરમનું ગાન કરવામાં આવ્યું હતું.
આ રાજકોટ જીલ્લા ભાજપની વર્ચ્યુઅલ કારોબારી બેઠકમાં પ્રદેશકક્ષાના હોદેદારો, જીલ્લાના હોદેદારો, જીલ્લા ભાજપના કારોબારી, આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લાના વિવિધ સેલના કન્વીનર, સહ-કન્વીનરઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓના ચૂંટાયેલા સદસ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ સહીતના મંડલના દરેક કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
પ્રચાર-પ્રસારની જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા તથા ઉદયભાઈ લાખાણીએ જવાબદારી સંભાળેલ હતી.
જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી દ્વારા બેઠકનું સંચાલન કરાયું હતું અને આ બેઠકમાં શોક પ્રસ્તાવ મુક્યો હતો અને કોરોનાના કાળમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રાષ્ટ્રીય કિશાન મોરચાના પ્રમુખ કુવરજીભાઈ જાદવ અને રાજકોટ જીલ્લા ભાજપ તથા મંડલના જે આગેવાનો તેમજ કોરોનાકાળમાં મૃત્યુ પામેલ તમામની આત્માની શાંતિ અર્થે બે મિનીટનું મૌન આપી શ્રધ્ધાંજલિ અર્પી હતી.
આ બેઠકમાં આભારવિધિ જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ કરી હતી તથા બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમો અંગેની માહિતી પૂરી પડી હતી.
સમગ્ર બેઠકનું સંચાલન જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી તથા બેઠકને સફળ બનાવવા માટે તથા વર્ચ્યુઅલ ડીજીટલી વ્યવસ્થા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા, યશ વાળા, કમલ કોરિયાએ જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણ નિર્મળની યાદીમાં જણાવ્યું હતું.


