ભૌગોલિક તકનિકી દ્વારા વન્યજીવોનાં સંવર્ધન અને જૈવિક સંશોધનાત્મક વિષય પર મંથન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
- Advertisement -
જૂનાગઢ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની જ્યારે પ્રકૃતિ પ્રેમીઓ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢને આંગણે નેશનલ કક્ષાની રીમોટ સેન્સીંગ તથા જીઓસ્પાશીયલ ટેક્નોલોજી વડે વન્યજીવ તથા તેનાં સંરક્ષણ માટે સંશોધન છ વિવસીય કાર્યશાળાનો ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. ખાતે કુલપતિ ડો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમને દિપ પ્રાગક્ટથી પ્રારંભ કરાવી અધ્યક્ષીય ઉદબોધન કરતા યુનિ.નાં કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ભારત ખૂબ જ વિશાળ જૈવવિવિધતા ધરાવતો દેશ છે, જૂનાગઢને વાઈલ્ડલાઇફનો અતુલ્ય કુદરતી વારસો મળ્યો છે, જેનું જતન-સંવર્ધન અને સંશોધન કરવાથી જૂનાગઢને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત થશે એમાંય જૂનાગઢ અને ખાસ કરીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કાર્યક્ષેત્રિય જિલ્લાઓને કુદરતે વનપ્રદેશ અને સાગરતટની અતુલ્ય ભેટ ધરી છે ત્યારે વન્યજીવોનાં સંવર્ધન અને વન્યજીવોની જૈવીક બાબતોનું સંશોધન સાથે દેશનાં છતિસગઢ, મહારાષ્ટ્ર, ઓરીસા, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન, ગ’જરાત સહિતનાં વિવિધ રાજ્યોનાં જૈવ વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક કક્ષાએ તથા પી.એચ.ડી. કરી રહેલા વિદ્યાર્થીઓની છ દિવસીય કાર્યશાળાનો આજથી પ્રારંભ થયો છે.
જેના થકી છાત્રો સંશોધન ડેટા તૈયાર કરી એકબીજા સાથે જ્ઞાનગોષ્ઠી કરી હેન્ડઓન તાલીમ મેળવશે. આ તકે ડો. ચેતન ત્રિવેદીએ પર્યાવરણને હાનિ કરે એવા પ્લાસ્ટીકને બદલે ટકાઉક્ષમ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની જરૂરીયાત હોવાનું જણાવી ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આપણાં ઉકેલો પ્રકૃતિમાં છે અને તેથી પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ કરવુ એ મહત્વપુર્ણ છે.
- Advertisement -
અતકે યુનિ.નાં બોર્ડ ઓફ મેમ્બર ડો. મુકેશ પાનસુરીયાએ વન્યજીવોનાં સંદર્ભ સંશોધન અંગે રાષ્ટ્રી કક્ષાની કાર્યશાળામાં તાલીમાર્થે પધારેલ છાત્રોને આવકારી ગિર અને ગિરનારની સિંહોની ભુમિમાં વિહરતા વન્યજીવો અને તેનાં સંરક્ષક્ષેત્રે થતી પ્રવૃતિની વાત કરી હતી.અને જણાવ્યુ હતુ કે તાલીમ કાર્યક્રમ થકી ગતિશીલ અને સર્જનાત્મક વિદ્યાર્થીઓને જોડવાનો માર્ગ બનશે. જે કુદરતી સંશાધનોનાં વ્યવસ્થાપન અને જૈવ પ્રાણીઓ સૃષ્ટીનાં સંરક્ષણ માટે વધુ જાણવા ઉપયોગી બનશે.