ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
જિલ્લામાં 11 ચેકપોસ્ટ કાર્યરત કરી સઘન ચેકિંગ ઝુંબેશ: અવાર-નવાર રેઇડો કરી દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂના કુલ 1401
કેસો કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની કડક અમલવારી થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં 4987 શખ્સો સામે અટકાયતી પગલા ભરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
ગીર-સોમનાથ જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી નિયંત્રણમાં રહે તથા ભયમુકત અને તટસ્થ મતદાન થાય તે હેતુથી અનુરક્ષીતતા ઉભી કરતા માથાભારે વ્યક્તિઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા કુલ 4987 વ્યક્તિઓ ઉપર અટકાયતી પગલા લેવામાં આવેલ છે. તેમજ 1011માથાભારે ઇસમી વિરૂઘ્ધ પાસા તથા હદપારની દરખાસ્ત તેમજ પ્રોહિ-93 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પાસા-40, હદપાર-82, પ્રોહિ-93-889 તેમજ દારૂની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઉપર અવાર-નવાર રેઇડો કરી દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂના કુલ 1401 કેસો કરાયા છે. જેમાં દેશી દારૂ 4761 લીટર, ઇંગ્લીશ દારૂની 5475 બોટલ કબ્જે કરી હતી આ ઉપરાંત હથિયાર લાયસન્સ ધરાવતા વ્યક્તિઓ પાસેથી કુલ-433 હથિયાર જમા લેવામાં આવેલ છે તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા કુલ-4 હથિયાર તેમજ 5ાંચ કાર્ટીસ કબ્જે કરી તેઓ વિરૂઘ્ધ હથિયારધારાના કેસ કરવામાં આવેલ છે તેમજ એનડીપીએસ એકટ હેઠળ માદક પદાર્થ ગાંજો 0.950 કિ.ગ્રા.પકડવામાં આવેલ છે.
- Advertisement -
આ ચેકપોસ્ટ એસએસટી ઉપર સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લામાં આવતો ગેરકાયેસર દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ, કિંમતી ચિજવસ્તુઓની હેરફેર અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે તેને અટકાવવા સારૂ રાઉન્ડ કલોક વાહનોનોું સઘન ચેકીંગ કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં 40 શખ્સો પાસા હેઠળ જેલ ધકેલાયા, 82 લોકોને હદપાર કરાયા
ગીર સોમનાથ જીલ્લામાં લોકસભાની ચુંટણી અંતર્ગત નિર્ભયપણે શાંતિના માહોલમાં લોકો મતદાન કરી શકે તે માટે છેલ્લા એક માસની અંદર અસામાજીક તત્વોને જેલની અંદર અને દારૂ, જુગાર, ડ્રગ્સ હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે જીલ્લા પોલીસે સપાટો બોલાવતી કડક કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એલસીબી, એસઓજી ઉપરાંત જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને અસામાજીક પ્રવૃત્તિઓ ડામી દેવા અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત છેલ્લા એક માસની અંદર એલસીબી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફએ જીલ્લાભરમાંથી માથાભારે વ્યકિતઓ તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા વ્યક્તિઓ સામે અટકાયતી પગલા લીધેલ છે. જેમાં સી.આર.પી.સી. કલમ 107/116 મુજબ કુલ 1856, કલમ-109 મુજબ કુલ 52, કલમ-110 મુજબ કુલ- 2888, કલમ-151 મુજબ કુલ-191 મળી કુલ 4987 જેટલા શખ્સો સામે પગલા લીધેલ છે. આ ઉપરાંત પાસા 40, હદપાર 82 તથા પ્રોહિબીશનમાં 889 મળી કુલ 1011 માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસા તથા હદપારીની દરખાસ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે.