ચૈત્રી નવરાત્રિનો ગઈકાલથી પ્રારંભ થયો હતો ત્યારે ગઈકાલે રાજકોટના પેલેસ રોડ પર આવેલા મા આશાપુરાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મા આશાપુરાને સોળે શણગાર કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા નોરતે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
આજે બીજા નોરતે પણ વહેલી સવારે મા આશાપુરાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાજકોટના પેલેસ રોડ પર આવેલુ આશાપુરા મંદિર પૌરાણિક મંદિર છે. આ મંદિરમાં અનેક ભક્તોને માતાજીના પરચા મળ્યા છે જેના કારણે માતાજીને શણગાર ચઢાવવાની માનતા પણ કરવામાં આવતી હોય છે. રાજકોટ શહેરનું આશાપુરા મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.