ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
ગુજરાત રાજ્ય ઠાકોર-કોળી વિકાસ નિગમના પૂર્વચેરમેન, માંધાતા ગ્રુપ (ગુજરાત)ના સ્થાપક, તળપદા કોળી સમાજ ભવનાથના પ્રમુખ ભુપતભાઈ ડાભી જ્ઞાતિ જોગ એક વિજ્ઞપ્તિમાં જણાવે છે કે ભારતીય જનતા પક્ષે કોળી સમાજને ગુજરાતમાં 7 ટિકિટ ફાળવેલી છે, રાજકીય ક્ષેત્રે ઘણું આપેલ છે. હાલમાં જ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકો પર કોળી સમાજના ઉમેદવારને ત્રણ ટિકિટ આપી છે. ઉપરાંત રાષ્ટ્રપતિથી લઈને રાજ્યસભામાં પણ કોળી સમાજને પ્રતિનિધિત્વ આપેલ છે.
- Advertisement -
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો તેમજ મંત્રી મંડળમાં પણ પૂરતુ સ્થાન આપ્યું છે. આવી સાનુકુળ પરિસ્થિતિ વચ્ચે અમુક વિઘ્નસંતોષી લોકોના હાથા બની ભાજપનો વિરોધ કરવો યોગ્ય નથી. આમ કરવાથી સમાજને જ નુકસાન થશે અને રાજકીય રીતે સમાજને વિનંતી કરતા જણાવે છે કે ભાજપનો ખોટી રીતે વિરોધ કરી સામાપુરે તરવાને બદલે ભાજપની સાથે રહી દેશ અને દુનિયાના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા આથી જણાવે છે. સમસ્ત કોળી સમાજ આખા ગુજરાતનો ભારતીય જનતા પાર્ટી સાથે છે.