ગિરનાર પર માઁ અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી
તા.25 જાન્યુઆરીના અંબાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન માતા અંબાજીના મંદિરે તા.25 જાન્યુઆરીને ગુરુવારે પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. 52 શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનિરુ આયોજન.
સોરઠના પ્રભાસ ક્ષેત્રે ગરવાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ યાને પોશી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એને માતાજીનો જન્મદિવસ આગામી તા. 25 જાન્યુઆરી ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવા પર્વતોના પિતામહ હિમાલયના પર દાદા એવા ગરવાગઢ ગિરનારના 5000 પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવે મંદિરના શ્રી મહંત મોટા પીરબાવા પૂજ્ય તનસુખ ગીરીબાપુ અને નાના પીર હિમાંશુ ગીરીબાપુની મિશ્રામાંહજારો માહી ભક્તોની હાજરીમાં ઉજવણી કરવામાં આવશે.
આ દિવસે માતાજીને વિશેષ સિંગાર સાથે શ્રીસુક્તના પાઠ હોમ હવન ગંગાજળ દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવસે બપોરે મહા આરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસાસે સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે આ મહોત્સવ અંગેની વિસ્તૃત ચર્ચા કરતાં મંદિરના મહંત શ્રી તનસુખ ગીરીબાપુએ જણાવ્યું હતું કે માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયનપીઠ તરીકે ઓળખાય છે અહીં માતાજીના ઉદર પેટનો ભાગ પડેલો છે જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બ્રહસ્પતિ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલું જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રિત કરેલા એકમાત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપતા સતિ પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય જેમાં મારા પતિ શિવ શંકરને આમંત્રણ નથી તેમ છતાં માતા યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદાસહન થતાં અત્યંત દુ:ખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞ કુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યાગી દીધો હતો જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ મારા પાર્વતીના નીસચેતન દેહને ખંભે ઊંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઈ દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કંઈક કરો નહીં તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવીના શરીરના 52 ટુકડા કરી અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે તે સ્થળે માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી હતી. જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.

શ્રીરામ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા દિવસે મંદિરને દીવડાથી ઝળહળિત કરાશે
- Advertisement -
અયોધ્યા પ્રભુ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અંબાજી મંદિરે વિશેષ આયોજન
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આગામી તા,22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તે દિવસે ગિરનાર પર્વત બિરાજમાન માં અંબાના નિજ મંદિરને હજારો દીવડાથી ઝળહળિત કરવામાં આવશે તેમજ વેહલી સવારથી માં અંબાને વિશેષ શૃંગાર સાથે મહા આરતી અને પૂજન અર્ચન કરવામાં આવશે તેની સાથે માતાજીનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પાવન દિવસે ભાવિકો દર્શનના લાભ સાથે પ્રસાદનો લાભ લે તેવું અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરી બાપુએ જણાવ્યું છે.



