By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    8 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    8 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    7 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    8 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રહસ્યમય દાડમ: પૃથ્વીના કેટલાક પ્રાચીનતમ ફ્રૂટમાંનું એક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > રહસ્યમય દાડમ: પૃથ્વીના કેટલાક પ્રાચીનતમ ફ્રૂટમાંનું એક
મનીષ આચાર્ય

રહસ્યમય દાડમ: પૃથ્વીના કેટલાક પ્રાચીનતમ ફ્રૂટમાંનું એક

Khaskhabar Editor
Last updated: 2023/12/23 at 5:40 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

દાડમમાં રહેલા પોલીફિનોલસ ઘટકો દીર્ઘાયુષ્યને ઉત્તેજન આપતા પોસ્ટબાયોટિક્સના નિર્માણને ઉત્તેજિત કરે છે

દાડમ એટલે કે પ્યુનિકા ગ્રેનાટમ આ પૃથ્વી પરના મનુષ્ય દ્વારા ખવાતા પ્રાચીનતમ ફળોમાંનું એક છે; દુનિયાભરના કઈ કેટલાય દેશોના ઇતિહાસના પૃષ્ઠ પર તેની વિસ્તૃત નોંધ છે. હજારો વર્ષોથી, વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓને તે આહાર અને ઔષધીય વસ્તુઓ પ્રદાન કરતું આવ્યું છે. દાડમની ઉત્પતિ વીશે પ્રાચીન કાળમાં થોડી ગેરસમજ હતી પણ અત્યારે ઘણા તથ્યો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. દાડમના જીનસને આપવામાં આવેલું નામ પુનિકા ઉત્તર આફ્રિકાના એક પ્રાચીન શહેર કાર્થેજના રોમન નામ પરથી ઉપજી આવ્યું છે, તેથી રોમનો એવું ગેરસમજથી આફ્રિકાને દાડમનું મૂળ વતન સમજી બેઠા હતા. હકીકતમાં દાડમના મૂળ ઈરાન પ્રાચીન ભારત અને અફઘાનિસ્તાનના ભાગોમાં છે. દાડમના ફળને શાસ્ત્રીય લેટિન નામ માલુમ ગ્રેનાટમ પણ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે “દાણાદાર સફરજન”.વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ દાડમ એક પ્રકારના બેરી છે. સાચા બેરી એ ભરાવદાર ફળો છે જે એક અંડાશયવાળા એક ફૂલમાંથી આવે છે અને સામાન્ય રીતે ઘણા બીજ હોય છે. દાડમના ફળનું સૂકું બાહ્ય આવરણ બે સ્તરોથી બનેલું છે; એક તો બહારનું કઠ્ઠણ પડ જેને એપીકાર્પ કહેવાય છે અને બીજું આંતરિક નરમ પડ જેને મેસોકાર્પ કહેવાય છે આંતરિક મેસોકાર્પ અલગ વિશિષ્ટ આકારની ચેમ્બર બનાવે છે જેમાં એરિલ તરીકે ઓળખાતા કસદાર આવરણ સાથે બીજ હોય છે.
રોગ સામે લડતો યોદ્ધો એટલે દાડમ
દાડમના ફળ, ફૂલો, છાલ, મૂળ અને પાંદડાઓમાં પોલિફીનોલ્સ જેવા રસાયણો હોય છે, જેનો ઉપયોગ સંખ્યાબંધ રોગો અને અસ્વસ્થ પરિસ્થિતિઓ સામે લડવામાં થઈ શકે છે. તેમાં વિટામિન સી અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. પ્રાચીન સંસ્કૃતિઓ દાડમના સ્વાસ્થ્ય લાભોને સમજતી હતી અને તેનો ઉપયોગ પાચન સંબંધી વિકૃતિઓ, ચામડીની વિકૃતિઓ અને આંતરડાના પરોપજીવીઓનો નાશ

- Advertisement -

તંદુરસ્ત વૃદ્ધત્વ અને દીર્ઘાયુષ્યના સ્વપ્નને દાડમ કેવી રીતે સંભવ બનાવે છે ?

હેડ્સ અને પર્સેફોનની પૌરાણિક કથામાં પણ દાડમની ઘણી વાતો છે

કરવા માટેના ઉપાય તરીકે કરતી હતી. આધુનિક સમયના સંશોધનો દર્શાવે છે કે દાડમ હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર પરિસ્થિતિઓને અટકાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે.
મૃત્યુ અને ફળદ્રુપતાનું પ્રતીક
ગ્રીક પૌરાણિક કથાઓમાં, દાડમને ’મૃતકના ફળ’ તરીકે ઓળખવામાં આવતું હતું, કારણ કે તેઓની એવી માન્યતા હતી કે તે એડોનિસ નામના દેવતાના લોહીમાંથી ઉદ્ભવ્યું છે. હેડ્સ અને પર્સેફોનની પૌરાણિક કથામાં પણ દાડમની ઘણી વાતો છે. આ જ શ્રેણી અંતર્ગત એવું વિવરણ છે કે અંડરવર્લ્ડના દેવતા હેડ્સ દાડમના બીજનો ઉપયોગ પર્સેફોનને દર વર્ષના થોડા મહિનાઓ માટે અંડરવર્લ્ડમાં પાછા લાવવા માટે કરતા હતા. જોકે તેનાથી બિલકુલ વિપરીત રીતે પ્રાચીન ગ્રીસ અને રોમમાં દાડમ માનવીય ફળદ્રુપતાનું પ્રતીક ગણાતું હતું. પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઇટ તેમજ લગ્ન અને બાળજન્મની ગ્રીક દેવી હેરા સાથે દાડમની અનેક વાતો જોડાયેલી છે. પ્રાચીન રોમમાં નવવિવાહિત સ્ત્રીઓ દાડમના પાંદડામાંથી વણાયેલા તાજ પહેરતી હતી અને દાડમના રસનો ઉપયોગ વંધ્યત્વને દૂર કરવા માટે કરવામાં આવતો હતો. કુરાનમાં એવું કહેવાયું છે કે દાડમ જન્નતના બગીચામાં ઉગે છે. તેમાં તેને અનેક જગ્યાએ અલ્લાહની ઉત્કૃષ્ઠ સર્જન તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક અત્યંત રસપ્રદ વાત એવી છે કે પ્રાચીન ઈરાની ખ્રિસ્તી ધર્મના સાહિત્ય અને ઉપદેશમાં દાડમને ઈડનના બગીચાનું ફળ ગણાવી સફરજનને નહી બલ્કે દાડમને વધુ જોખમી (! ) ઠેરવી તેના સેવનની મનાઈ ફરમાવવમાં આવી હતી! બીજી તરફ બિન-ખ્રિસ્તી ઈરાની પરંપરા “યાલ્દા નાઈટ” દરમિયાન લોકો શિયાળાની પરાકાષ્ઠાની રાતોએ એકઠા થઇ સમૂહમાં દાડમનું સેવન કરીને તેને અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી તરીકે મનાવતા હતા આજે પણ કેવના ટેમ્પરેટ હાઉસમાં તેના પૌષ્ટિક અને ઔષધીય ગુણધર્મોના સન્માન રૂપે તેના સુંદર ફળો સંપૂર્ણ ઉનાળા અને વસંતઋતુમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ક્યુ ના ડ્યુક ગાર્ડનમાં દાડમની સેકડો વેરાઈટીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. પવિત્ર કુરાનમાં પણ દાડમના સુંદર ચિત્રો છે.
દાડમમાં રહેલા પોલિનોલ્સ શું છે?
નારંગી, સફરજન, દ્રાક્ષ, પીચીસ, ગ્રેપફ્રૂટનો રસ, ચેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા ફળ, પાલક, ડુંગળી, શલોટ્સ, બટાકા, કાળા અને લીલા ઓલિવ, ગ્લોબ બ્રોકોલી, શતાવરીનો છોડ અને ગાજર જેવા શાકભાજી, આખા અનાજના ઘઉં, રાઈ અને ઓટનો લોટ જેવા અનાજ, કેટલાક કઠોળ ઉપરાંત બદામ જેવા સુકામેવામાં પોલીફિનોલસના અદભૂત તત્વો હોય છે. પણ તો પછી દાડમની તેમાં શું નવાઈ શુ?? વાસ્તવમાં દાડમે પોતાના દીર્ધાયુષ્ય ઉત્તેજક ગુણધર્મો માટે ભારે ચર્ચાઓ જગાવી છે. દાડમમાં રહેલા પોલિફીનોલ્સ સાથે વૃદ્ધત્વ કેવી રીતે જોડાયેલું છે તે સમજવા જેવી વાત છે. દાડમ અનેક પ્રકારના પોલિફીનોલ્સથી સમૃદ્ધ છે જે દાહ વિરોધી એન્ટીઑકિસડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ( કેન્સર પ્રતિરોધક ) અસરો ધરાવે છે પણ, સવાલ હવે એ ઊભો થાય છે કે દાડમમાં એવુ તે શું છે જે તંદુરસ્ત વૃદ્ધત્વ માટે મહત્વપૂર્ણ બની રહે છે? બીજા ખાદ્ય પદાર્થોમાં પણ આ ગુણ હોય જ તો દાડમની આ પારાયણ અહી શા માટે?વાસ્તવમાં માનવ શરીર દાડમના પોલિનોલ્સનો કેવી રીતે ઉપયોગ કરે છે તે સમજવું બહુ રસપ્રદ છે. દાડમમાં રહેલા પોલીફિનોલસ ઘટકો દીર્ધાયુષ્યને ઉત્તેજન આપતા પોસ્ટબાયોટિક્સનું નિર્માણ સતેજ કરે છે. આવું જ એક પોસ્ટબાયોટિક દાડમમાંના પોલિફીનોલ્સમાં મળી આવે છે, તે છે યુરોલિથિન! એ જે સ્વસ્થ વૃદ્ધત્વ માટે મહત્વપૂર્ણ ફાયદાઓ ધરાવતું હોવાના પ્રમાણભૂત સંશોધનો છે
વનસ્પતિ આધારિત સુપરફૂડ્સ અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે “પોલિફેનોલ્સ” શબ્દ જાણકારોને ખાસ અજાણ્યો તો નહી જ લાગે. તો ચાલો તે શું છે તેના પર તમારી યાદશક્તિને થોડું દબાણ આપો. આ પહેલા કેરડા પરના અમારા લેખમાં અમે ફાયટોકેમિકલની વાત કરી હતી છતાં યાદ અપાવી દઉં કે ફાયટોકેમિકલ્સ

- Advertisement -

દાડમનું મૂળ વતન પ્રાચીન ભારત-અફઘાનિસ્તાન અને ઈરાન છે

પ્રાચીન ઈરાની ખ્રિસ્તી ધર્મમાં સફરજનને નહીં બલ્કે દાડમને જોખમી(!) ફળ કહેવાયું છે

એટલે જૈવિક અને પર્યાવરણીય વિપરીતતાઓ સામે વનસ્પતિને ટકી રહેવાની ક્ષમતા આપતા વનસ્પતિની પોતાની અંદર રહેલા તત્વો. આ તત્વો જ છોડને તેમની આરોગ્ય-પ્રોત્સાહક શક્તિઓ આપતા હોય છે. તેઓ વનસ્પતિનો સાચા અર્થનો હોર્સ પાવર છે. અનેક ફળો, શાકભાજી, આખા અનાજ અને ચા જેવી વનસ્પતિઓમાં તે વિપુલ માત્રા અને વૈવિધ્યપૂર્ણ સ્વરૂપમાં હોય છે.
દાડમના દીર્ઘાયુષી તત્વોનું રહસ્ય
તાજેતરના અભ્યાસોએ દાડમના તંદુરસ્ત-વૃદ્ધત્વ બક્ષતા મુખ્ય રહસ્યોમાંથી એકને ખોલ્યું છે. દાડમમાં રહેલા પોલિફીનોલ્સ આપણાં આંતરડામાં યુરોલિથિન અ નામના દીર્ધાયુષ્યને પ્રોત્સાહન આપતા સંયોજનનું ઉત્પાદન કરે છે. યુરોલિથિન અ એ મિટોફેજી નામની એન્ટિ-એજિંગ પ્રક્રિયાને ટ્રિગર કરતા એન્ટી ઓક્સિજન તરીકે સુપ્રસ્થપિત છે. શરીરમાં મિટોકોન્ડ્રિયાના ભંગાણ સામે તે કુદરતી સંરક્ષણ છે. જ્યારે આપણે સ્વાસ્થ વૃદ્ધિ માટે પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે સ્વસ્થ મિટોકોન્ડ્રિયા પર આધાર રાખીએ છીએ. તે મિટોકોન્ડ્રિયા એ છે જે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ઊર્જામાં પરિવર્તિત કરે છે, જે શરીરને ખીલવવામાં ભાગ ભજવે છે! સમય જતાં, આપણું મિટોકોન્ડ્રિયા ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, ત્યારે આ મિટોફેજી પ્રક્રિયા શરીરના ક્ષતિગ્રસ્ત મિટોકોન્ડ્રિયાને ઓળખે છે અને તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપીને તેનું નવસંસ્કરણ કરે છે. કમનસીબે મિટોફેજી પ્રક્રિયા સમય જતાં ધીમી પડી ભાંગે છે. આ એ તબક્કો છે જ્યાં યુરોલિથિન અ ની ભૂમિકા આવે છે, જે મિટોફેજીને ઉત્તેજિત કરે છે અને શરીરને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે. યુરોલિથિન અ પોસ્ટબાયોટિક છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં પોસ્ટબાયોટીક્સ હોતા નથી, પરંતુ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે શરીરને પોસ્ટબાયોટીક્સ બનાવવા માટે જરૂરી ઘટકો પૂરા પાડે છે. ખાસ કરીને દાડમની છાલમાં રહેલા એલાજીટેનીન એ તે ઘટકો છે જેને આપણા આંતરડામાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ (પ્રોબાયોટીક્સ) યુરોલીથિન અમાં રૂપાંતરિત કરી શકે છે. તો આપણે યુરોલીથિન અ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં એલાગીટાનીન મેળવવા દાડમની છાલનું સેવન કરવું જોઈએ. વાસ્તવમાં આપણાં આયુર્વેદમાં આ વાત હજજારો વર્ષ પહેલાં કહેવાઇ છે.

પ્રાચીન રોમમાં નવવિવાહિત સ્ત્રીઓ દાડમના પાનમાંથી વણાયેલા તાજ પહેરતી

દાડમના રસનો ઉપયોગ વ્યંધ્યત્વને દૂર કરવા માટે કરાતો હતો

દાડમના ફળ, ફૂલો, છાલ, મૂળ અને પાંદડાઓમાં પોલિફીનોલ્સ જેવા રસાયણો હોય છે, જેનો ઉપયોગ સંખ્યાબંધ રોગો અને અસ્વસ્થ પરિસ્થિતિઓ સામે લડવામાં થઈ શકે છે

દાડમનું ફળ કે દાડમનો રસ?
દાડમના ફળમાં તેના જે ગુલાબી બીજ હોય છે તેને એરિલ્સ કહેવાય છે. બીજની આસપાસ રહેલ બંધારણ અને છાલનો સમાવેશ થાય છે. એન્થોકયાનિન અને ફ્લેવોનોલ્સ સહિત પોલિફીનોલ્સ, દાડમના ફળના સામાન્ય રીતે ખાવામાં આવતા ભાગોમાં જોવા મળે છે.ઉપર દર્શાવ્યા મુજબ, છાલ, ખાસ કરીને એલાગિટાનીનથી સમૃદ્ધ છે, પરંતુ તે એકદમ તુરાશ પડતી હોય છે, જેના કારણે લોકો તે ખાતા અચકાય છે. આનાથી કેટલાક લોકો વિકલો તરીકે દાડમના રસનો ઉપયોગ કરવા પ્રેરાય છે. અલબત્ત દાડમના રસમાં પણ પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ ફળની છાલમાં કુલ ફિનોલિક પ્રવૃત્તિ સર્વાધિક હોવાનું જાણવા મળ્યું છે. દાડમના રસમાં જે પોલિફેનોલ્સ મળી આવે છે તેમાં ટેનીન, એન્થોકયાનિન અને ઈલાજિક એસિડ ડેરિવેટિવ્ઝનો સમાવેશ થાય છે. જો કે વિવિધ પ્રકારના દાડમના રસમાં મોજૂદ પોલિફેનોલ્સની માત્રામાં મોટા પ્રમાણમાં તફાવત હોય શકે છે. તે અલગ અલગ રસોમાં ખાંડના
પ્રમાણમાં પણ મોટો તફાવત હોય છે. આ બન્ને તફાવત બે થી ચાર ગણા હોય શકે છે, તેથી સારી ગુણવત્તાના દાડમ મેળવવા પ્રયાસ કરવો. બીજી તરફ આધારભૂત અભ્યાસો સ્પષ્ટ કરે છે કે આપણામાંથી મોટાભાગના લોકો પાસે આપણા આહારમાંથી યુરોલિથિન અ બનાવવા માટે જરૂરી એવા યોગ્ય સૂક્ષ્મજીવાણુઓ નથી. તેનો અર્થ એ છે કે આપણે ગમ્મે એટલે દાડમ ખાઈએ કે આપણે ગમ્મે એટલો દાડમનો રસ પીએ તેનું ખાસ મહત્વ જ રહેતું નથી જ્યાં સુધી યુરોલીથીન અ બનાવવા માટે આપણા શરીરમાં યોગ્ય માત્રામાં સૂક્ષ્મ જીવો ન હોય. સંક્ષિપ્તમાં આ વાતનો નિષ્કર્ષ આપીએ તો, દાડમ પોલીફેનોલ્સથી ભરપૂર હોય છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. દાડમના સેવનના મહત્વના ફાયદાઓમાંનો એક એ છે કે આંતરડામાં યુરોલિથિન અનું ઉત્પાદન થાય છે, જે મિટોફેજીની પ્રક્રિયા દ્વારા તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપવાનું મુખ્ય સંયોજન છે. અને ચાલો દાડમના બીજના ફાયદાઓ વિશે ભૂલશો નહીં. આપણામાંના મોટાભાગના લોકો માટે, દરરોજ નોંધપાત્ર માત્રામાં દાડમ અથવા દાડમના રસનું સતત સેવન કરવું ખૂબ જ મુશ્કેલ છે, અને આપણા આંતરડામાં યુરોલિથિન અ ઉત્પન્ન કરવાની આપણી ક્ષમતા પણ અનિશ્ચિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે, તેના લાંબા આયુષ્યના લાભોનો આનંદ માણવા માટે ઉચ્ચ ગુણવત્તાની યુરોલિથિન અ સપ્લિમેન્ટની શોધ થવી જોઈએ, પણ એક અસરકારક હાથવગા ઉપાય તરીકે એન્ટિબાયોટિક દવાઓ લેવાનું તદ્દન બંધ કરો અને આહારમાં મોળી પાતળી છાશ તથા તાજા દહીં તેમજ સ્વસ્થ આથાવાળા પદાર્થ ખાવાનો શરૂ કરો તો દાડમ જેવી દિવ્ય વનસ્પતિનો ઉપયોગ કરી આપણે ચોક્કસ જ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી શકીએ.

 

You Might Also Like

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

વેદોના ચિંતન વૈભવને જાણો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

TAGGED: AncientFruits, Pomegranate
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી બે દિવસ 37 હજાર આહીરાણીઓ મહારાસ રમશે
Next Article કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?