કોર્ટે અગાઉ જ પોલીસની તરફેણમાં ચૂકાદો આપી દીધો હોવા છતાં…
મહેન્દ્રસિંહ પરમાર નામનાં શખ્સએ પોલીસ વિરૂદ્ધ વિડીયો વહેતો મૂક્યો પરંતુ પોતે જ શંકાના પરિઘમાં આવી ગયો!
ખાસ-ખબર સંવાદદાતા
આજથી એકાદ વર્ષ પૂર્વે રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઙજઈં એ.બી. જાડેજા તથા અન્ય પોલીસ કર્મીઓ હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજસિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ તપાસ દરમિયાન રાકેશ પરમાર દ્વારા ખોટા આક્ષેપ કરી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે ગત તા. 29 નવેમ્બર 2023ના રોજ આ કેસના ચુકાદામાં એ.બી. જાડેજા, હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ કોઈ ગુનો બનતો ન હોવાનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. એ.બી. જાડેજા, હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીની તરફેણમાં આ ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં હજુ પણ રાકેશ પરમાર દ્વારા વિડીયો બનાવીને ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે.
બનાવની વિગત અનુસાર એકાદ વર્ષ પહેલાં રાજકોટમાં યુવકને કેટલાક લોકો દ્વારા માર મારવાનો મામલે ઇજાગ્રસ્ત યુવકે રાજકોટ પોલીસ કર્મચારીઓ ઉપર કેટલાક ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. એ આક્ષેપ મુજબ એક વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ પરમાર નામના યુવક સહિત અન્ય 2 યુવકને યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં પૂછપરછ માટે લઈ આવ્યા હતા, પોલીસ દ્વારા યુવકની પૂછપરછના બહાને ત્રણેય યુવકનો એક બીજાના ગુપ્તાંગ મોમાં દેવડવામાં આવ્યા હતા.
પોલીસના કહેવા મુજબ હકીકતમાં આવો કોઈ જ બનાવ બન્યો ન હતો કે પોલીસ દ્વારા કોઈ ગેરકાનૂની કૃત્ય કરવામાં આવ્યું ન હતું. આમ છતાં પોલીસ દ્વારા પૂછપરછમાં લાવવામાં આવેલા ત્રણેય યુવકો દ્વારા કોઈ કારણોસર યુનિવર્સિટી તપાસનીશ એ.બી. જાડેજા, હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
એકાદ વર્ષ પહેલાં ત્રણ યુવકો દ્વારા દાખલ કરેલી ફરિયાદનો ચુકાદો હાલમાં જ એ.બી. જાડેજા, હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીની તરફેણમાં આવ્યો હોવા છતાં હજુ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ પાછી ખેચવા મહેન્દ્રસિંહ નામના યુવકને દબાણ કરવામાં આવતું હોવાના, પોલીસના મળતીયાઓ હર્ષદ બેલીમ અને કાલી નામના દારૂના ધંધાર્થીઓ દ્વારા પોલીસ વિરુદ્ધ કરેલ ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારમારવામાં આવ્યા હોવાના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બહુ સીધી સાદી વાત છે કે, કોર્ટ દ્વારા જે કેસમાં એ.બી. જાડેજા, હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે તે કેસ પાછો ખેંચવા પોલીસ કર્મચારીઓ દબાણ કેમ લાવી શકે? અહીં એટલે જ સ્પષ્ટ છે કે, ફરિયાદી રાકેશ પરમારની તરફેણમાં ચુકાદો ન આવતા હવે તેણે વિડીયો બનાવી એ.બી. જાડેજા, હરપાલસિંહ, જયંતગીરી, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીને બદનામ કરી રહ્યા છે.
- Advertisement -
મહેન્દ્રસિંહએ પોલીસ પર આક્ષેપો કરતો વિડીયો બનાવ્યો, વાસ્તવિકતા અલગ!
આજે સવારથી મહેન્દ્રસિંહ પરમારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. જેમાં તેણે બેફામ આક્ષેપો કર્યા છે. વિડીયોમાં એ જણાવે છે કે, બે બૂટલેગર તેને પોલીસ સાથે સમાધાન કરવા ઉઠાવી ગયા હતાં! જ્યારે વાસ્તવિકતા એ છે કે, આ મામલે કોર્ટે પોલીસની તરફેણમાં અગાઉ જ ચૂકાદો આપી દીધો છે. આવી સ્થિતિમાં મહેન્દ્રસિંહના આક્ષેપો શંકા ઉપજાવનારા છે.