ગત એપ્રીલમાં જ આયાત 6.84 લાખ ટન થઈ
વૈશ્વિક ભાવમાં ઘટાડાને કારણે ભારતની પામ ઓઈલની આયાત એપ્રિલમાં 34.11 ટકા વધીને 6,84,000 ટન થઈ હોવાનું સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસો. ઓફ ઈન્ડિયા (સી)એ જણાવ્યું હતું. એપ્રિલમાં ભારતની 13,04,409 ટનની કુલ ખાદ્યતેલની આયાતમાં પામ તેલનો હિસ્સો 52 ટકા રહ્યો હોવાનું એસો.એ નિવેદનમાં જણાવ્યું હતું, વધુમાં એપ્રિલમાં સૂર્યમુખી અને સોયાબીન તેલની આયાત 6,20,315 ટન રહી હતી.
- Advertisement -
બિન ખાદ્ય તેલ સહિત, એકંદરે વનસ્પતિ તેલની આયાત એપ્રિલમાં 26 ટકા વધીને 13,18,528 ટન થઈ છે જે એક વર્ષ અગાઉ 10,50,189 ટન હતી. મંદીને કારણે રિફાઈન્ડ, બ્લીચ્ડ અને ડીઓડોરાઈઝડ (આરબીડી) પામોલીન અને ક્રુડ પામ ઓઈલ (સીપીઓ)ની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થયો અને અને તેને કારણે નીચા ભાવને કારણે આયાતને પ્રોત્સાહન મળ્યું હતું.
વિતેલા મહિને ભાવ લગભગ 100 ડોલર પ્રતિ ટન ઘટયું હતું. વૈશ્વિક સ્તરે સોયાબીન તેલના ભાવમાં પ્રતિ ટન 40 ડોલરનો ઘટાડો નોંધાયો હતો, જયારે સૂર્યમુખી તેલના ભાવમાં છેલ્લા મહિનામાં માત્ર 15 ડોલર પ્રતિ ટનનો ઘટાડો નોંધાયો હતો. પામ તેલમાં આરબીડી પામોલીનની આયાત વધીને 1,24,228 ટન થઈ છે. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1,12,248 ટન હતી. સીપીઓ (ક્રુડ માપ ઓઈલ) શિપમેન્ટ 3,93,856 ટન કરતા 36 ટકા વધીને 5,36,248 ટન થયું હતું. જયારે ક્રુડ પામ કર્નલ ઓઈલની આયાત 2,990 ટનથી વધુ 6 ગણો વધીને 23,618 ટન થઈ હતી.