રાજકોટ- જસદણ તાલુકાના ઝૂંડાળા ગામે રૂ.૨૨ લાખના ખર્ચે ‘‘વાસ્મો’’ યોજનાના કામો થશે. જેમાં રૂ.૨.૭૦ લાખના ખર્ચે સિંચાઇ-રિપેરીગ કામ થશે. પશુઓની વિનામૂલ્યે સારવાર માટે ૧૯૬૨ મોબાઇલ દવાખાનું મંજૂર થયું છે. જેનો નવા રૂટમાં સમાવેશ થશે.
આ ઉપરાંત ગત વર્ષમાં મંજૂર થયેલ કામો જોઇએ તો, રૂ. ૨ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજાથી લઇ પેવર બ્લોકનું કામ, રૂ.૧ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ, રૂ. ૨ લાખના ખર્ચે રામજી મંદિરની ધારથી મંદિર સુધી ભૂગર્ભ ગટરનું કામ પ્રગતિ હેઠળ છે. જયારે પાદરના અવેડાથી વોકળા તરફ ભૂગર્ભ ગટરનું કામ, રૂ. ૨ લાખના ખર્ચે, બટુકભાઇ પદમાણીના ઘરથી વિનુભાઇ પદમાણીના ઘર સુધી રૂ.૧.૫૦ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ થશે. જયારે સિંચાઇના કામ રૂ. ૨.૭૦ લાખના ખર્ચે થઇ રહયા છે.
- Advertisement -
આ તમામ વિકાસ કામો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના માર્ગદર્શન હેઠળ કરાશે. તેમ જસદણના પ્રાંત અધિકારી પી.એચ.ગલચરની યાદીમાં જણાવાયું છે.