ઝૂ, આયુર્વેદ ગાર્ડન, ડેમસાઈટ, પાવર પ્રોજેક્ટ સહિતની કામગીરી નિહાળી
આજે પાવાગઢ મંદિરે ધજાજીની પૂજા કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વરિષ્ઠ રાજકીય અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તાજેતરમાં ગુજરાતની શાનસમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આ સંકુલમાં આવેલ ઝૂ, આયુર્વેદ ગાર્ડનની વિસ્તૃત જાણકારી મેળવવાની સાથોસાથ બોટ સફારીનો પણ આનંદ માણ્યો હતો અને ડેમ સાઈટ તથા પાવર પ્રોજેક્ટ સહિતના વિભાગોની કામગીરી પણ નિહાળી હતી.
- Advertisement -
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લાના એસ.ઓ.યુ.ના ડે. કલેકટરે વજુભાઈ વાળાને આવકાર્યા હતા. વજુભાઈની સાથે રાજકોટના વોક ગ્રુપના મેમ્બરો પણ જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ આજે વજુભાઈ વાળા પ્રસિદ્ધ અને પૌરાણિક મહાકાળી માતાજીના પાવાગઢ મંદિરે ધજાજીની પૂજા કરશે.