બસમાં બેઠેલા મુસાફરોનો ભરોસો ન તૂટે એ તમારી જવાબદારી : મુખ્યમંત્રી
ચાલુ કાર્યક્રમે સંઘવીએ કહ્યું ‘વ્હોટ્સએપ ચેક કરો અને જઝના 4,742 ઉમેદવારોને મળ્યા નોકરીના ઓર્ડર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ૠજછઝઈના નિમણૂકપત્ર વિતરણ સમારોહમાં એક અનોખી પહેલ જોવા મળી હતી, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાલુ કાર્યક્રમે ઉમેદવારોને ’વ્હોટ્સએપ ચેક કરો’ તેમ કહેતા જ 4,742 ઉમેદવારોના મોબાઈલમાં ડિજિટલ નિમણૂકપત્રો પહોંચી ગયા હતા અને વાતાવરણ હર્ષોલ્લાસથી ભરાઈ ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ.ટી. નિગમના 3,084 ડ્રાઈવર અને 1,658 હેલ્પરને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને મુસાફરોનો ભરોસો જાળવી રાખવાની નૈતિક જવાબદારી સોંપી હતી. ગુજરાત સરકારના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે એકસાથે ડિજિટલ માધ્યમથી નિમણૂકપત્રો આપવામાં આવ્યા હોવાની ઘટના બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, એસટી બસમાં બેસતા લાખો મુસાફરોનો વિશ્વાસ જાળવી રાખવો એ હવે તમારી પ્રાથમિક જવાબદારી છે. રાજ્ય સરકાર જનતાની સુવિધા માટે સતત પ્રયત્નશીલ છે અને તેમાં એસટી નિગમની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસ, આરોગ્ય અને એસટી જેવા વિભાગોની પ્રશંસા કરતા કહ્યું કે, શનિ-રવિ કે તહેવાર જોયા વગર 365 દિવસ સેવામાં તત્પર રહેતા આ જવાનો સાચા જનસેવક છે.
2025માં 1714 નવી બસ પ્રજાની સેવામાં મુકાઈ
ગયા વર્ષે એસટી નિગમે પોતાની ક્ષમતામાં મોટો વધારો કર્યો છે, જેમાં 1714 નવી બસો ઉમેરવામાં આવી છે અને 2320 કંડકટરની ભરતી પણ કરવામાં આવી છે. કાર્યક્રમના અંતે હર્ષ સંઘવીએ નવા ડ્રાઈવરોને બસ અને બસ સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા અને મુસાફરો પ્રત્યે માનવીય અભિગમ રાખવા ખાસ સલાહ આપી હતી. ડિજિટલ માધ્યમથી નિમણૂક પત્ર મોકલવાની આ પદ્ધતિએ વહીવટી કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
- Advertisement -
2027 સુધીમાં રોજના 30 લાખ મુસાફરોની સેવાનો લક્ષ્યાંક
એસટી નિગમની પ્રગતિ વિશે વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 2025ના અંત સુધીમાં રોજના 27 લાખ મુસાફરોનો લક્ષ્યાંક હતો, જે 2026ની શરૂઆતમાં જ સિદ્ધ થઈ ગયો છે. હવે 2027 સુધીમાં રોજના 30 લાખ મુસાફરોને સેવા આપવાનો નવો ટાર્ગેટ નક્કી કરાયો છે. હાલમાં 8 હજાર બસો રોજના 32 લાખ કિલોમીટરનું અંતર કાપી રહી છે અને 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ માટે એસટી સેવાનો ઉપયોગ કરે છે.



