20 જાન્યુઆરીએ હું પ્રમુખપદ સંભાળું તે પૂર્વે તમામ અપહૃયતોની મુક્તિ જરૂરી
મધ્યપૂર્વમાં હમાસ અને તેના ‘આકા’ઓ પર અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો હુમલો કરવા ટ્રમ્પની ચેતવણી
- Advertisement -
માનવતા વિરૂધ્ધ અત્યાચાર કરી રહેલાઓને દંડ અપાશે: હમાસે 250થી વધુ લોકોને બંધક બનાવ્યા છે જેમાં 101 વિદેશી અને ઇઝરાયલી નાગરિકો છે: 33ના મોત થયાનો હમાસનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ વિરુદ્ધ કડક નિવેદન આપ્યું છે. . તેમણે હમાસને ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોની મુક્તિ અંગે ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે જો 20 જાન્યુઆરી 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, જો બંધકોને છોડવામાં નહીં આવે તો, માનવતા વિરુદ્ધ આ અપરાધ કરનારાઓને અમેરિકા ઈતિહાસની સૌથી મોટી સજા આપશે. તેમણે તેને અમેરિકાની પ્રતિષ્ઠા અને ન્યાય માટે ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.તમને જણાવી દઈએ કે ઈઝરાયેલના ડેટા અનુસાર 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલા દરમિયાન 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 101 જેટલા વિદેશી અને ઈઝરાયેલના નાગરિકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. હમાસનો દાવો છે કે આમાંથી 33 બંધકોના મોત થયા છે. નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા લોકોને 20 જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં ‘બરબાદી’ થશે. ઈઝરાયેલના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા 101 વિદેશી અને ઇઝરાયેલી બંધકોમાંથી અડધા જીવંત હોવાનો અંદાજ છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, જો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે કહ્યું, જે લોકોએ આવું કર્યું તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે.ં ટ્રમ્પે કહ્યું કે જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.
- Advertisement -
તે જ સમયે, હમાસે બંધકોની મુક્તિ અને ગાઝામાંથી ઇઝરાયેલની સંપૂર્ણ પીછેહઠના બદલામાં યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી છે. જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં પણ બંધકોની મુક્તિ માટે નેતન્યાહુ વિરુદ્ધ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે. દરમિયાન, સોમવારે, હમાસે કહ્યું કે ગાઝામાં 33 બંધકો મળત્યુ પામ્યા છે, જોકે તેણે તેમની રાષ્ટ્રીયતા જાહેર કરી નથી. તમને જણાવી દઈએ કે હમાસની આગેવાની હેઠળના આતંકવાદીઓએ ઈઝરાયલી સમુદાયો પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલે 7 ઓક્ટોબર, 2023ના રોજ યુદ્ધ શરૂ કર્યું હતું, જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 44,400 થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે અને ગાઝાની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝાનો મોટો વિસ્તાર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. હમાસના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ-હૈયાએ તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈનના પ્રદેશોમાં યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ઈઝરાયેલ સાથે બંધકોની કોઈ વિનિમય કરાર કરવામાં આવશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત થયા વિના કેદીઓની આપ-લે થઈ શકે નહીં.
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી હતી જ્યારે 250 લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી કેટલાકને બે ટૂંકા યુદ્ધવિરામ હેઠળ શરતી રીતે મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણા હુમલામાં માર્યા ગયા હતા. લગભગ 100 બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. તેને મુક્ત કરાવવા માટે સતત દેખાવો થઈ રહ્યા છે. યુદ્ધવિરામ સ્થાપિત કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો થયા છે.