By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    15 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    15 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    14 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    14 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    17 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરા કાંડ : ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરા કાંડ : ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં
AuthorTALK OF THE TOWNTushar Dave

ગાંધીજીનો સાધનશુદ્ધિનો આગ્રહ અને ચૌરી ચૌરા કાંડ : ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 1:16 PM
Khaskhabar Editor 5 years ago
Share
10 Min Read
SHARE

-તુષાર દવે

એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે. એક સેકન્ડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.

- Advertisement -

ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે.

માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના ઈતિહાસના ફલક પર અનેક નેતાઓ આવ્યા અને ગયા. પરંતુ ગાંધી જેટલો શાશ્વત અને એવરગ્રીન નેતા ભાગ્યે જ કોઈ હશે. વર્તમાનની સમસ્યાઓને કે વિકટ સ્થિતિઓને ગાંધીના દૃષ્ટિકોણથી અથવા તો એવી જ કોઈ સ્થિતિમાં ભૂતકાળમાં ગાંધીએ લીધેલા નિર્ણયોના સંદર્ભમાં જોઈએ ત્યારે થાય કે એ માણસ કેટલો દૂરંદેશી હતો!

ગાંધીજીની વાતો, મૂલ્યો અને સિદ્ધાંતો સામે રહેલી અસમહતિઓને બાજુ પર રાખીને જોઈએ તો એ સમયે ગાંધીને ખોટા માનનારા અથવા તો આજે ગાંધીને કોઈ અલગ દૃષ્ટિકોણથી જોઈને ગાંધીને ખોટા માનનારાઓ પણ જો ફરી ફરીને અભ્યાસ કરે તો થશે કે એ બોખુ સ્મિત ધરાવતો વાણીયો ત્યારે પણ કેટલો સાચો હતો અને આજે પણ કેટલો પ્રસ્તુત છે! ટ્રેક્ટર રેલીની હિંસા અને લાલ કિલ્લા પરની ઘટનાને 1922માં અસહકાર આંદોલન દરમિયાન થયેલા ચૌરી ચૌરા કાંડના સંદર્ભમાં જોવા અને સમજવા જેવી છે.

- Advertisement -

કિસાન બિલના વિરોધમાં ખેડૂતો બે મહિના કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યાં છે. બીજી તરફ એ આંદોલનને યેનકેન પ્રકારેણ તોડી પાડવા કેન્દ્રની ભાજપની આગેવાની ધરાવતી સરકાર સામ, દામ, દંડ અને ભેદની એ તમામ નીતિઓ અખત્યાર કરી રહી છે જેવી અન્ના હજારેના આંદોલનને તોડી પાડવા કોંગ્રેસની આગેવાની ધરાવતી યુપીએ સરકારે અપનાવેલી. આમ છતાં ખેડૂતો ટસના મસ થતાં નહોતાં. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા થઈ અને એનાથી આંદોલનને અભૂતપૂર્વ નુકસાન પહોંચ્યું. હિંસા અને અફરા-તફરી ભર્યાં એ એક જ દિવસના કારણે આંદોલનમાં ફાટફૂટ પડી ગઈ. જે ફાટફૂટ હતી એની તિરાડો ખીણમાં પરિવર્તિત થઈ ગઈ અને ખેડૂતોને મળતા લોક સમર્થનનો પાયો હચમચી ગયો. એ પાયો કે જેની શેહ અત્યાર સુધી સરકાર અને મીડિયાને ભરવી પડતી હતી.

આંદોલનકારીઓના એક નાના સમૂહે એવી ભૂલ કરી નાંખી જેની સજા હવે કદાચ તમામ ખેડૂતોએ ભોગવવી પડશે. એકલ-દોકલ નહીં, પણ અઢી ડઝનથી વધુ સંગઠનો હોય અને દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા લોકો હોય અને એમની સંખ્યા ખુબ જ મોટી હોય એ સંજોગોમાં દરેક પર કાબૂ ન રાખી શકાય એ શક્ય છે. બીજું કે કેટલાક તત્વો કોઈ ષડયંત્રના ભાગરૂપે હાથે કરીને આંદોલનને નુકસાન પહોંચે એવા કાર્યો કરતા હોવાના આરોપો થઈ રહ્યાં છે અને આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે. આમ છતાં કારણ ગમે તે હોય, પણ 26મીની ઘટનાનો કોઈ રીતે બચાવ થઈ શકે એમ નથી કે કોઈ રીતે એને જસ્ટિફાઈ પણ કરી શકાય એમ નથી.

લાલ કિલ્લા પર ફરકતા ત્રિરંગાને નુકસાન ન પહોંચાડીને ફરકાવવામાં આવેલા ઝંડાના વિવાદની વાત કરીએ તો એ ઝંડો ખાલિસ્તાની હોય કે ન હોય, પણ એ ઝંડો ફરકાવવાની ઘટના પેટ ચોળીને શૂળ ઊભુ કરવા જેવી જ છે. જો એ ઝંડો ખાલીસ્તાનનો ન હોય, શીખ ધર્મનો હોય અને આર્મીની શીખ રેજિમેન્ટ એને જીતેલી ચોકી પર ફરકાવતી હોય તો પણ એને લાલ કિલ્લા પર ફકાવવાની ઘટના જસ્ટિફાઈ કરી શકાય નહીં. આંદોલન ખેડૂતો માટેનું છે, શીખોનું નહીં. એમાં શીખ ધર્મનો ઝંડો ઘુસેડીને અને આંદોલનકારીઓ દ્વારા કિરપાણ વગેરે શીખ ધર્મના પ્રતિકો જેવા હથિયારોનું પ્રદર્શન કરીને એની કબર ખોદવામાં આવી રહી છે. એક સેકન્ડ માટે કલ્પના કરી જુઓ કે એ ઝંડો શીખ ધર્મનું પ્રતિક નહીં, પણ લીલા રંગનો હોત તો આ દેશમાં એના કેવા પડઘા પડ્યા હોત? કોઈ મુદ્દા આધારિત આંદોલનમાં કોઈપણ ધર્મનો રંગ ભેળવવાની મુર્ખામી અને ગુસ્તાખી માફીને પાત્ર બિલકુલ નથી. વળી જો એ ઝંડો શીખ રેજિમેન્ટ જીતેલી ચોકીઓ પર ફરકાવતી હોય તો પણ અહીં ખેડૂતોએ પોતાની માગો માટે લડવાનુ હતુ, લાલ કિલ્લો ફતેહ કરવાનો નહોતો. કોઈપણ પક્ષની વિચારધારાને ન વરેલો સામાન્ય ભારતીય એ સ્થળે ત્રિરંગા સિવાય કોઈપણ ધ્વજ ફરકાવવાનું જસ્ટિફિકેશન સાંભળે પણ શા માટે? ધેટ વોઝ ડિઝાસ્ટરસ એક્ટ.

ખેડૂતોના દૃષ્ટિકોણથી જોઈએ તો એમાં કેટલાક ખરાબ ઈરાદા ધરાવતા તત્વો ઘુસ્યા હોવાના એકરાર સાથે એ પણ સ્વીકારવું પડે કે દિલ્હી ગયેલા તમામ ખેડૂતો હિંસક નથી, ખાલીસ્તાની પણ નથી અને આંદોલનનો મૂળ હેતુ પણ હિંસા નથી. આંદોલન લાંબા સમયથી ખુબ જ સંયમ સાથે અહિંસક રહ્યું છે. જો તમામ ખેડૂતો હિંસક હોત અને હિંસાના હેતુથી જ દિલ્હીમાં ઘુસ્યા હોત તો કદાચ આખુ દિલ્હી ભડકે બળી રહ્યું હોત અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શાંત પણ ન થયુ હોત. આંદોલનકારીઓની સંખ્યા અને ક્ષમતાની દૃષ્ટિએ 26મીએ જેટલી હિંસા અને અથડામણોની આશંકાઓ હતી એની તુલનાએ તલવારનો ઘા સોયથી ટળ્યો છે. બીજી તરફ સરકાર અને ખાસ કરીને આપણા સુરક્ષાદળોના પણ સંયમને દાદ દેવી પડે.

ખેર, ખેડૂતોને આ કૃત્યમાં ષડયંત્રની આશંકાનો થોડો લાભ મળે છે એ પૂરતો નથી. અન્ય ખેડૂત નેતાઓએ આવું કૃત્ય કરનારાઓની ટીકા કરી છે અને એમના જે પણ સાથીઓ લાલ કિલ્લાની ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. છતાં નુકસાન થઈ ચૂક્યુ છે. આ નુકસાનના સંદર્ભમાં અસહકાર આંદોલન સમયનો ચૌરી ચૌરા કાંડ, એ કાંડ પછીની ગાંધીજીની પ્રતિક્રિયા અને એમનો સાધનશુદ્ધિનો આગ્રહ સમજવો જરૂરી છે.

કટ ટુ અસહકાર આંદોલન. 1922ની વાત છે. ગાંધીજીના આહવાહન પર દેશભરમાં અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું. લોકો વિદેશી કપડાં, ચીજ-વસ્તુઓ અને અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરી અને ચરખો અપનાવી સત્યાગ્રહમાં જોડાઈ રહ્યાં હતાં. અંગ્રેજો વિરુદ્ધ પ્રદર્શનો, વિદેશી કપડાંની હોળી વગેરે કાર્યક્રમો ચાલી રહ્યાં હતાં. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા પરગણામાં પોલીસે બે આંદોલનકારીઓને ધરપકડ કરેલી. એમને છોડાવવા 4 ફેબ્રુઆરી 1922ના રોજ પોલીસ સ્ટેશનની આસ-પાસ હજારો આંદોલનકારીઓ એકત્ર થઈ ગયાં. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું. પરિસ્થિતિ કાબુ બહાર જતાં પોલીસે ફાયરિંગ કર્યું. અનેકને ગોળીઓ વાગી. જેના કારણે ઉશ્કેરાયેલી ભીડ પોલીસની પાછળ પડી. પોલીસવાળા પોલીસ ચોકીમાં સંતાઈ ગયા. ભીડે ચોકીને આગ લગાવી દીધી. ફાયરિંગમાં 11 લોકોના મોત થયા અને ચોકીને આગ લગાડવાની ઘટનામાં 23 લોકોના જીવ ગયા.

આ ઘટનાના કારણે ગાંધીજીને આઘાત લાગ્યો અને એક ચૌરી ચૌરાની ઘટનાના પગલે તેમણે આખા દેશમાંથી અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. એ સમયે ગાંધીજીના એ નિર્ણયથી ઘણાં લોકો નારાજ હતા. એમને અંગ્રેજ સરકાર સામેનો સત્યાગ્રહીઓનો એ ગુસ્સો અને ગુસ્સામાં ભરાયેલુ પગલુ વાજબી લાગતુ હતું. આઝાદીના લડવૈયાઓમાં જ હિંસાના સમર્થક અને ગાંધીજીના સમર્થકોમાં ભાગલા પડી ગયા. પછીથી ગાંધીજી પોતાના મૂલ્યોને વળગી રહ્યાં અને કેટલાક ક્રાંતિકારીઓએ આઝાદી માટે હિંસાનો રસ્તો પકડ્યો.

આજે પણ ઘણા એ ઘટનાને યાદ કરીને એમના એ નિર્ણયને ખોટો ગણાવે છે. ગાંધીવિરોધીઓને લાગતું હતું કે તેઓ લોકોનો ગુસ્સો સમજી નથી રહ્યાં, પણ ગાંધી બહુ દૂરનું જોઈ શકતાં હતાં. તેઓ પણ આઝાદી ઈચ્છતા હતા, પણ તેઓ આઝાદી મેળવવાના સાધનો કદી અશુદ્ધ થવા દેવા નહોતા ઈચ્છતાં. એ એક એવો નેતા હતો જે મહાત્મા કહેવાતો અને જેના આંદોલનો ‘સત્યાગ્રહ’ તરીકે ઓળખતાં. તેમનું માનવું હતું કે જેમની સામે લડી રહ્યાં હોય એમની સામે લડતાં લડતાં એમના જેવા જ થઈ જઈએ તો જે પણ મેળવી લઈએ એ નિરર્થક છે.

ઈનશોર્ટ, ગાંધી ત્યારે પણ સાચા હતા અને આજે પણ પ્રસ્તુત છે. એમની એ સમયની વાતો આજે ટ્રેક્ટર રેલીની હિંસાના સંદર્ભમાં જોઈએ ત્યારે આ વાત સ્પષ્ટ સમજાય છે. આંદોલનકારીઓએ અને આપણે સૌએ એમાંથી ધડો લેવા જેવો ખરો. અસ્તુ.

ફ્રી હિટ :

તમારે માનવતામાંથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા સાગર જેવી છે, જો સાગરના કેટલાક ટીપા ગંદા હોય તો એનાથી કંઈ આખો સાગર ગંદો નથી થઈ જતો. આંખના બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે. વિનમ્રતાથી પણ તમે આખા વિશ્વને હચમચાવી શકો છો.

– મહાત્મા ગાંધી

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમારી ચેટીંગના સ્ક્રિનશોટ લઇને મને બ્લેકમેઇલ કરવા લાગી
Next Article ‘હલકા ફોન’ની ભારે વાતો : વિશ્વની ચોથા નંબરની કંપની, જેના મોબાઈલના સેલ ફ્લિપકાર્ટ ક્રેશ કરી નાંખતા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?