ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
અનેકવાર અજાણ્યા નંબરથી આવતા કોલ્સ ઉઠાવ્યા બાદ ખબર પડે છે કે તે પ્રમોશનલ કોલ છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ જરૂરી કામ કરી રહ્યા હોવ અથવા ડ્રાઇવ કરી રહ્યા હોવ. હવે સબ્સક્રાઇબર્સને પ્રમોશનલ કોલ્સથી રાહત અપાવવા માટે સરકાર તરફથી જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ટેલિકોમ ઓપરેટર્સને કહેવાયું છે કે, આ મહિના સુધી પ્રમોશનલ કોલ્સ પર લગામ લગાવે અને એવું ન કરનાર પર મોટો દંડ લગાવવામાં આવે. મામલાથી જોડાયેલા બે લોકોએ કહ્યું છે કે, અનરજિસ્ટર્ડ મોબાઇલ નંબર્સથી પ્રમોશનલ કોલ્સ કરવાની સ્થિતિમાં તેના પર દંડ લાગશે અને તેમના દ્વારા કરાઈ રહેલા કોલ્સને ખોટા ટ્રેડ પ્રેક્ટિસનો ભાગ માનવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે ટેલિકોમ ઓપરેટર્સ પર ગ્રાહકોની પ્રાઇવસી અને અધિકારોનું હનન કરવા માટે પેનલ્ટી લગાવવાની વાત કહેવાઈ છે.
- Advertisement -
આશા છે કે એવી સ્થિતિમાં પ્રમોશનલ કોલ્સ પર લગામ લગાવી શકાશે. મોબાઈલ સબ્સક્રાઇબર્સને હાલ ઇન્ડિવિઝુઅલ્સની ઓનરશિપવાળા 10 આંકડાના અનરજિસ્ટર્ડ નંબરોથી અસંખ્ય પ્રમોશનલ કોલ્સ કરાઈ રહ્યા છે અને તેના દ્વારા કોમર્શિયલ મેસેજ મોકલવામાં આવે છે. જોકે, આ નંબર કોમર્શિયલ યૂઝ માટે રજિસ્ટર્ડ નથી હોતા અને તેનો ઉપયોગ પ્રમોશનલ કોલ્સ માટે ન કરાવો જોઈએ. હવે એવું કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
ટેલિકોમ કંપનીઓ પર મોટો દંડ લગાવવાનો નિર્ણય ગત અઠવાડિયે સ્ટેકહોલ્ડર્સની સાથે થયેલી મીટિંગ બાદ લેવાયો છે. આ મીટિંગમાં દૂરસંચાર વિભાગ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), ભારત સંચાર નિગમ લિમિટેડ, એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જિયોથી જોડાયેલા લોકો સામેલ થયા. તમામે મળીને સેન્ટ્રલ ક્ધઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ના નિયમોનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે, જે સીધા ડિપાર્ટમેન્ટ ઓફ ક્ધઝ્યૂમર અફેર્સ (DoCA)ને સપોર્ટ કરે છે.
ડ્રાફ્ટ ગાઇડલાઇન્સમાં કહેવાયું છે કે, જે કંપનીઓને અનરજિસ્ટર્ડ કોલ્સથી ફાયદો થાય છે, તેમને તેના માટે જવાબદાર માનવામાં આવશે. ડ્રાફ્ટમાં કોલ કરનારાઓને કમીશન એજન્ટ માનવામાં આવે છે, જે અલગ-અલગ બેન્ક્સ, ઈન્શ્ર્યોરન્સ કંપનીઓ અને રિયલ-સ્ટેટ ફર્મ્સથી જોડાયેલા હોય શકે છે. ટેલિકોમ ઓપરેટર્સને એવા કોલ્સની આઇડેન્ટિટી બતાવવા માટે કહેવાયું છે કે, જે ગ્રાહકો નક્કી કરી શકે તેમને કોલ રિસીવ કરવો કે નહીં.
- Advertisement -
લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જમાં 25%ના ભાવ વધારાની શક્યતા
વધુ એક મોઘવારીનો માર સહન કરવા તૈયાર રહેજો
લોકસભાની ચૂંટણી બાદ ભારતીયો પર મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. ચુંટણી બાદ મોબાઈલ ફોનનું રિચાર્જ મોંઘું થવા જઈ રહ્યું છે. ETના એક રિપોર્ટ મુજબ ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ 25 ટકાનો બિલમાં વધારો કરી શકે છે. કંપનીઓના આ નિર્ણયથી તેમનું રેવન્યુ વધશે. મીડિયા રિપોર્ટ મુજબ, કોમ્પીટીશન વધતા અને 5Gમાં કંપનીઓ દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવતા તેઓ આ વધારો કરવા જઈ રહ્યા છે. સરકારના સમર્થનથી તેઓ આ વધારો કરી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે આ વધારો ભલે વધુ લાગતો હોય પરંતુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આ વધારો મામૂલી છે.
શહેરમાં લોકો 3.2 ટકા ટેલિકોમ પર ખર્ચ કરતા હતા તે વધીને 3.6 ટકા થશે. ગ્રામીણ વિસ્તારના લોકોનો ખર્ચ 5.2 થી વધી 5.9 ટકા થશે. જો ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં 25 ટકા વધારો કરે છે તો કંપનીની એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU)16 ટકા સુધી વધી જશે. મતલબ કે JIOની ARPU 26 રૂપિયા સુધી અને એરટેલની ARPU 29 રૂપિયા સુધી વધશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટો-ડિસે.ના ક્વોટરમાં ભારતી એરટેલની અછઙઞ 208 રુપિયા અને VIની ARPU 145 રુપિયા હતી, તો માર્ચ 2024માં પૂર્ણ થયેલ ક્વોટરમાં JIOની ARPU 181.7 રૂપિયા હતી.