વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સાથે જ આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રોજેક્ટ્સમાં પાવર, રોડ અને રેલ્વે જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ સામેલ છે, જેનો ઉદ્દેશ્ય રહેવાસીઓ માટે જીવનની સરળતામાં સુધારો કરવાનો છે.
એક તરફ વડાપ્રધાને અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા તો બીજી તરફ મમતા સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી સરકારે બંગાળના લોકોને નિરાશ કર્યા છે. TMC અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ છે.
- Advertisement -
आज मां-माटी और मानुष, सभी TMC के कुशासन में रो रहे हैं। pic.twitter.com/XOULCVgaH3
— Narendra Modi (@narendramodi) March 2, 2024
- Advertisement -
પશ્ચિમ બંગાળના નાદિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ટીએમસીના કુશાસનમાં આજે માતા, માટી અને મનુષ્ય બધા રડી રહ્યા છે. સંદેશખાલીની બહેનો ન્યાય માટે આજીજી કરતી રહી પરંતુ ટીએમસી સરકારે તેમની વાત સાંભળી નહીં. રાજ્ય સરકાર સંદેશખાલીના ગુનેગારની કદી ધરપકડ થાય તેવું તેઓ ઈચ્છતા ન હતા, પરંતુ જ્યારે બંગાળની આ મહિલા શક્તિ દુર્ગા બનીને ઊભી થઈ અને ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે ઊભા રહ્યા, ત્યારે રાજ્ય સરકારને નમવું પડ્યું.”
પીએમ મોદીએ કહ્યું, “અહીં જે રીતે ટીએમસીની રાજ્ય સરકાર ચાલી રહી છે, તેણે બંગાળને નિરાશ કર્યું છે. પશ્ચિમ બંગાળના લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે ટીએમસીને વારંવાર આટલો મોટો જનાદેશ આપ્યો, પરંતુ ટીએમસી અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગયું છે. TMCની પ્રાથમિકતા બંગાળનો વિકાસ નથી પરંતુ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ છે.”
આગળ પીએમ મોદીએ કહ્યું કે ‘TMCનો અર્થ બદલાઈ ગયો છે. T એટલે તું, M એટલે મેં અને C એટલે કરપ્શન..ટીએમસી બંગાળના લોકોને ગરીબ રાખવા માંગે છે જેથી તેની રાજનીતિ ચાલતી રહે.