મનપાના મેયર સહિતના નેતાઓએ મૃતકોના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી આશ્ર્વાસન અને દિલાસો આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની કંપની રાજકોટ રાજપથ લિ.સંચાલિત શહેરમાં સિટી બસ સેવા પૂરી પાડવામાં આવે છે. ગત તા.16/04/2025, બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસથીથયેલ અકસ્માતના કારણે 04(ચાર) વ્યક્તિઓ મૃત્યુ પામેલ હતા. આ દુ:ખદ ઘટનાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.15 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.2 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મૃતકોના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી, પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરી દિલાસો વ્યક્ત કર્યો છે.