કેન્દ્રની મોદી સરકારનો મોટો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં પ્રદૂષણને અંકુશમાં લેવા અને પરિપત્ર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સુધારાની સૂચના જારી કરી હતી, જે મુજબ 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે. જે વાહનોનું રજીસ્ટ્રેશન (15 વર્ષથી વધુ) રીન્યુ કરવામાં આવ્યું છે તે પણ આપમેળે રદ થયેલ ગણવામાં આવશે. આવા તમામ જૂના વાહનોનો રજીસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર પર નિકાલ કરવાનો રહેશે.
- Advertisement -
કેન્દ્ર સરકારના વાહનો, રાજય સરકારોના વાહનો, કેન્દ્રશાસિત પ્રદેશોના વાહનો, કોર્પોરેશનના વાહનો, રાજય પરિવહનના વાહનો, ઙજઞત (જાહેર ક્ષેત્રના ઉપક્રમો) અને સરકારી સ્વાયત્ત સંસ્થાઓના વાહનો 15 વર્ષથી વધુ જૂના તમામ વાહનોને સ્ક્રેપ કરવાના રહેશે. જો કે આમાં સેનાના વાહનો સામેલ નથી. આ નવો આદેશ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે.
નોંધપાત્ર રીતે, ગયા વર્ષે નવેમ્બરમાં, માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારોના તમામ 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. કોર્પોરેશન અને વાહનવ્યવહાર વિભાગની બસો અને વાહનોને પણ આ નિયમ લાગુ કરવા જણાવાયું હતું. ત્યારબાદ સરકારે ડ્રાફટ પર 30 દિવસમાં સૂચનો અને વાંધા માંગ્યા હતા. હવે સરકાર આ નિયમ લાગુ કરવા જઈ રહી છે.
ગયા નવેમ્બરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે 15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને જંકમાં ફેરવી દેવામાં આવશે. આને લગતી નીતિ રાજયોને મોકલી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ એક ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ 15 વર્ષથી વધુ જૂના ભારત સરકારના તમામ વાહનોને જંકમાં ફેરવવામાં આવશે. મેં આ નીતિ તમામ રાજયોને પણ મોકલી છે, તેઓએ પણ તેને અપનાવવી જોઈએ.
- Advertisement -
રોડ સેફટી એકશન પ્લાન લાગુ
હાઇવેની ખામીથી થતા અકસ્માતો શૂન્ય કરવા સરકારની કવાયત
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર પરિયોજનાની ખામીને કારણે થતા અકસ્માતોને શુન્ય કરવા માટે કમર કસી છે. આ માટે નવા રોડ સેફટી એકશન પ્લાનને 13મીથી લાગુ કરવામાં આવેલ છે. જેમાં કોન્ટ્રાકટરથી લઇને બધા અધિકારીઓ – હિતધારકો, કંપનીઓની ભૂમિકા અને જવાબદારી નક્કી થઇ છે. લાપરવાહી જોવા મળ્યે કાર્યવાહી થશે.
એક વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા પ્લાન હેઠળ બધા રાષ્ટ્રીય રાજમાર્ગને રોડ સેફટી ઓડિટ હેઠળ લાવવામાં આવ્યા છે.સૂત્રોએ કહ્યું હતુ કે, રાજયના આરઓ હેઠળ જુની – એન્જીનીયર રોડ સેફટી ઓફિસર તૈનાત થશે. કોઇ પણ હાઇવેના નિર્માણ પૂર્વે સેફટી ઉપાય 3 માસમાં લાગુ કરવાના રહેશે.
ટ્રક ડ્રાઈવરના કામના કલાકો થશે નક્કી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવરો માટે કામના કલાકો નક્કી કરવા માટે કાયદો લાવવામાં આવશે અને 2025ના અંત પહેલા માર્ગ અકસ્માતમાં 50 ટકા સુધી ઘટાડો કરવાના પ્રયાસો કરવામાં આવશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મંત્રીએ કહ્યું કે ટ્રક ડ્રાઇવરો માટે કામના કલાકો નક્કી કરવા માટે કાયદો લાવવામાં આવશે. આ વર્ષે મંત્રાલયે ‘સ્વચ્છ પખવાડા’ અંતર્ગત 11 થી 17 જાન્યુઆરી સુધી રોડ સેફટી વીકની ઉજવણી ‘સૌ માટે સલામત રસ્તા’ના ઉદ્દેશ્યનો પ્રચાર કરવા માટે કરી હતી.પ્રોપર્ટી વહન કરતા ડ્રાઇવરો દસ કલાકના સતત વિરામ પછી વધુમાં વધુ 11 કલાક સુધી વાહન ચલાવી શકે છે.
ડ્યુટીમાંથી 10 કલાકના વિરામ બાદ ડ્રાઇવરો સતત 14 કલાકથી વધુ સમય સુધી વાહન ચલાવી શકતા નથી. 8 કલાક સુધી વાહન ચલાવે તો તેમણે 30 મિનિટનો વિરામ લેવો પડશે.