વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ અને જાણીતા સેવાભાવિ રઘુવંશી સમાજના અગ્રણી સુરેશભાઈ સાદરાણી દ્વારા રામપરા મુકામે ચાલતી ભાગવત સપ્તાહ દરમિયાન રૂપલમાંનું સન્માન કરેલ હતું અને તેઓએ રૂપલમાંના આશીર્વાદ સાથે ઈશ્વર તેમને વધુમાં વધુ લોકોની તથા દિન દુખીઓની સેવા કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ મેળવ્યા હતા.
ત્યારે રામપરા ખાતે ચાલી રહેલ સપ્તાહ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમ સાથે સંતવાણી અને નામાકીંત કલાકારો દ્વારા લોક ડાયરો યોજાય રહ્યો છે અને વિશ્વ શાંતી કલ્યાણ અર્થે ધાર્મિક સમરસતાના દર્શન થાય છે.અને માઇ ભક્તો આ ધાર્મિક અવસરે ખુબ મોટી સંખ્યમાં રામપરામાં ચાલતી સપ્તાહ દરમિયાન મહાપ્રસાદ સાથે ધાર્મિક મહોત્સવમાં પધારી રહ્યા છે.