મીટીંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મત્સ્યોધોગ મંત્રી રાઘવજી પટેલ સહિતના અધિકારીઓે ઉપસ્થિત રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સૌરાષ્ટ્રના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી કાર્યલયની મુલાકાત લઈ પડતર પ્રશ્નો તેમજ બંદરોની કામગીરી અંગે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી.જેના પગલે મુખ્યમંત્રીએ પણ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ઘટતુ કરવા સૂચન આપ્યા હતા આ મીટીંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત રાજયનાં મત્સ્યોધોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળના સાગરપુત્ર ફાઉન્ડેશનના માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે માંગરોળ બંદરનાં ફેસ-3 ના અધુરા કામો શરૂ કરીને પૂર્ણ કરવા, ચોરવાડ બંદરે જેટી બનાવવા વેરાવળ તથા ગુજરાતનાં અન્ય બંદરો ઉપર નવનિર્મીત બંદરોની કામગીરી ગુણવતાસભર થાય અને કવોલીટી તેમજ કોન્ટીટી સાથે કોઈ બાંધછોડ ન થાય તે અંગે માછીમાર પ્રતિનિધિ મંડળ દ્વારા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા સ્થળ ઉપર જ ઉપસ્થિત મંત્રી તેમજ સબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ડીઝલની ખરીદી ઉપરની કેન્દ્ર સરકાર પુરસ્કૃત એકસાઈઝ ડયુટી પુન: શરૂ કરવા અંગે, ફીશીંગની ઓફ સીઝન દરમ્યાન માછીમારોને બેકારી ભથ્થુ આપવા અંગે, લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ, ઘેરા ફીશીંગ જેવી પધ્ધતિથી કરવામાં આવતી ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા અંગે, ફાઈબર હોડીઓનાં વપરાશ માટે પેટ્રોલની ખરીદી ઉપર સહાય ચુકવવા અંગેના પ્રશ્નો અંગે તેમજ અમદાવાદ, વડોદરા અને જેતપુર ખાતેનાં ઉધોગોનાં નીકળતા ગંદા પાણીને શુધ્ધિકરણ કરી, પોરબંદરનાં દરિયામાં નિકાલ કરવાની યોજના કેન્સલ કરવા તેમજ વેરાવળ સહિતના અન્ય બંદરો ઉપર જી.એમ.બી. હસ્તકની પડતર જગ્યાઓ માછીમારોનાં આવાસ માટે ફાળવવા અંગે, અન્ય માછીમારોને સ્પર્શતા પડતર પ્રશ્નો પરત્વે પણ વિગતવાર રજૂઆતો કરવામાં આવેલ, જે તમામ પ્રશ્ર્નનો પરત્વે પણ મુખ્યમંત્રી ઘ્વારા સ્થળ ઉપર જ ઉપસ્થિત મંત્રી તેમજ સબંધિત ખાતાનાં ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટતું કરવા જરૂરી સુચનાઓ આપેલ હતા.