By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    23 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    23 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    23 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    1 day ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિસ્થાપિત નહીં થયેલાં કાશ્મીરી પંડિતોની વ્યથા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > વિસ્થાપિત નહીં થયેલાં કાશ્મીરી પંડિતોની વ્યથા
Kinnar Acharya

વિસ્થાપિત નહીં થયેલાં કાશ્મીરી પંડિતોની વ્યથા

Khaskhabar Editor
Last updated: 2024/05/23 at 4:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

આપણે કાશ્મીરી પંડિતોની વ્યથાકથાથી ખૂબ સારી પેઠે વાકેફ છીએ. એ વિષય પર અનેક પુસ્તકો લખાયા છે અને ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી કડવાણી ટાઈપ ફિલ્મો પણ બની ચૂકી છે. 1989માં કાશ્મીરી પંડિતો પર કેવો જુલ્મ થયો હતો તેની વિગતો હવે છાની રહી નથી. પરંતુ આજની તારીખે ય કાશ્મીરના ખીણ વિસ્તારમાં રહેતા પંડિતો અને હિન્દુ પરિવારોની વાત, તેમની વ્યથાઓ અને તકલીફો વિશે જ્વલ્લે જ ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે. હવે તો ભાજપને પણ તેમનામાં રસ નથી રહ્યો. અગાઉ દરેક લોકસભા ચૂંટણી વખતે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કાશ્મીર ખીણમાં વસતાં હિન્દુઓનાં કલ્યાણનો ઉલ્લેખ કર્યો છે, 2024નાં ચૂંટણી ઢંઢેરામાંથી આ મુદ્દાની બાદબાકી થઈ ગઈ છે. કાશ્મીર વેલીમાં વસતાં એક પંડિત અગ્રણીએ હમણાં એક અંગ્રેજી પોર્ટલ સાથે વિગતવાર વાત કરી છે. આ વાતચિતમાં તેમણે કાશ્મીર ખીણ વિસ્તારમાં વસતાં પંડિતો અને હિન્દુઓ અંગે વાત કરી છે. તેમનાં કહેવા મુજબ વેલીનાં હિન્દુઓ વિશે ભાજપે કશો જ ઉલ્લેખ ન કર્યો એ બદલ હિન્દુઓમાં ત્યાં ઘોર હતાશા છે.

કાશ્મીર ખીણમાં રહેતાં પંડિતો અને અન્ય હિન્દુઓ માત્ર પોતાનાં આત્મબળ, હિંમત અને ચતુરાઈને કારણે ત્યાં ટક્યા છે. એમને ભાગ્યે જ કોઈ સંરક્ષણ મળ્યું છે. ઈસ્લામિક આતંક જ્યારે ચરમ પર હતો ત્યારે પણ તેઓ જિદ્દ કરીને ત્યાં રહ્યાં. એમને મોત મંજુર હતું પણ હિજરત કબૂલ નહોતી. હમણાં એક કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે, કલમ 370 સમાપ્ત થઈ તે પછી ખીણમાં 30 હજાર પંડિતો પરત ફર્યા છે. પણ ત્યાંના પંડિતો આ દાવાને બિલકુલ હમ્બર ગણાવે છે. અત્યારે કાશ્મીરના ખીણ વિસ્તારમાં કુલ 272 સ્થળો (ગામડાં, શહેરો, કોલોનીઓ)એ મળી કુલ 808 હિન્દુ પરિવારો રહે છે. તેમાંથી લગભગ 525 પરિવારો કાશ્મીરી પંડિતોનાં છે, બાકીનાં પંજાબી હિન્દુઓ અને ડોગરા હિન્દુઓનાં. પંડિતોની વસતી 2000થી 2250 આસપાસ છે. અહીંના પંડિત સંગઠન પાસે પાક્કા આંકડા છે. 31 ડીસેમ્બર 1989ના રોજ કાશ્મીર વેલીમાં 77137 પંડિત પરિવારો હતાં, 76 હજાર કરતાં વધુ પરિવારોએ સ્વર્ગ સમાન વતન છોડવું પડ્યું. એક જ રાતમાં સ્વર્ગ જાણે નરક બની ગયું.

- Advertisement -

હવે પંડિતોના પુનર્વસન વગેરેની વાતે એક છળ છે, છેતરપિંડી છે. કોઈ ત્યાં આવે નહીં. ચીસો પાડી-પાડીને વિસ્થાપિત-બેઘર થયેલાં પંડિતોના ગળા બેસી ગયા, સ્વરપેટીમાં ઉઝરડાં થઈ ગયા. કોઈ હિન્દુ સંગઠનને કશું સંભળાયું નહીં, કોઈએ કાન ન ધર્યાં. જ્યારે દેશભરમાં હિન્દુઓએ સડક પર ઉતરી જવાનું હતું ત્યારે બધાં અખબારો વાંચીને ફક્ત નિસાસા નાંખતા હતાં. કોઈ દેશની બહુમતિ પ્રજાને તેમનાં જ દેશનાં પ્રાંતમાંથી એક જ દિવસમાં- આટલી મોટી સંખ્યામાં હિજરત કરવી પડી હોય તેવી અન્ય કોઈ ઘટના ક્યારેય બની છે શું?

હિન્દુઓ અને અન્ય પ્રજામાં આ પાયાનો તફાવત છે. શા માટે ત્યારે દેશ આખો ભડકે ન બળ્યો? એવું થવું જોઈતું હતું. જો થયું હોત તો એ પછી બનેલી અનેક દૂર્ઘટનાઓ નિવારી શકાય તેમ હતું. આપણે ધ્યાન ન આપ્યું. પેલેસ્ટાઈનમાં કોઈ મુસ્લિમને છાતીમાં ગોળી વાગે તો દુનિયા આખીનાં મુસ્લિમોની છાતીમાંથી જાણે લોહીની ધાર છૂટે છે. ઈઝરાયલ પર કોઈ વાંકી નજર કરે તો પૃથ્વી પરનાં તમામ યહુદીઓ એક થઈ જાય છે. અહીં કોઈ ચર્ચ સળગાવી દેવાય તો ઠેઠ વેટિકન લગી તેની ઝાળ પહોંચે છે. આપણે તો પડખે જ લાવા વહેતો હતો. પણ, આપણે કહ્યું: મારું ઘર તો સલામત છે ને! પછી એ જ્વાળામુખી કેટલો પ્રસર્યો એ આપણે સૌ જાણીએ છીએ. કેન્સરનો ઈલાજ પ્રથમ સ્ટેજમાં જ કરવો જોઈએ, ચોથા સ્ટેજની રાહ જુએ તે મૂર્ખ ગણાય.

You Might Also Like

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

TAGGED: Kashmiri Pandits
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કિર્ગિસ્તાનમાં ભયાનક હિંસા 500 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા: પરિવારો લાચાર
Next Article શું દાઉદ ઇબ્રાહિમને વિશ્વશાંતિ પર 300 શબ્દોનો નિબંધ લખાવીને માફ કરી શકાય?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?