લોકસેવાના કાર્યોથી ગુજરાત-સૌરાષ્ટ્રના જનમાનસમાં છવાયેલું નામ : રામભાઈ મોકરીયા
ગામડાંથી લઈને આરોગ્ય, શિક્ષણ, રેલવે અને માર્ગ વિકાસ સુધી અનેક મુદ્દાઓ સંસદમાં ઉઠાવ્યા
- Advertisement -
મૂળ પોરબંદરના વતની અને મારુતિ કુરિયરના સંસ્થાપક તરીકે વ્યવસાયિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર રામભાઈ મોકરીયાએ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી રાજ્યસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે
લોકહિતના વિવિધ પ્રશ્નો માટે સતત રજૂઆતો કરી હતી. જનપ્રતિનિધિઓને મળવું સામાન્ય નાગરિક માટે ઘણી વખત મુશ્કેલ બનતું હોય છે, પરંતુ રામભાઈના જનસેવા કાર્યાલયના દરવાજા સામાન્ય નાગરિકો અને અરજદારો
માટે હંમેશા ખુલ્લા રહ્યા હતા. કોઈ નાગરિક સમસ્યા લઈ પહોંચે ત્યારે તેની હાજરીમાં જ સંબંધિત અધિકારીને ફોન કરી પ્રશ્નના સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયાસ કરતો હતો. લોકોના પ્રશ્નોની યોગ્ય વિભાગ સુધી રજૂઆત
પહોંચાડવા કાર્યાલયમાં નિષ્ણાતોની ટીમ પણ કાર્યરત રાખી હતી. પરિણામે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતના વિવિધ સ્તરે પડતર પ્રશ્નોના ઉકેલ માટે સતત ધ્યાન આપવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ સુધીના રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન રામભાઈ મોકરીયાએ વિવિધ ક્ષેત્રના લોકહિતના મુદ્દાઓ સંસદમાં ઉઠાવ્યા હતા. તેમની કામગીરીમાં ૧૯૦થી વધુ પ્રશ્નો પૂછવા ઉપરાંત ૧૦૦થી વધુ ચર્ચાઓમાં
ભાગ લેવાનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં તેમની હાજરી ૧૦૦ ટકા રહી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ રામભાઈ મોકરીયાએ ભડ ટુકડા (ગોસા), મોકર, કણકોટ સહિત પાંચ ગામોને દત્તક લીધા હતા.
ખેડૂતો અને ગ્રામ વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. હંમેશા શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ. રાજ્યસભાના સાંસદ બન્યા બાદ સૌપ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત
લઈ સિવિલ સર્જન સાથે ચર્ચા કરી હતી. રાજકોટ એઈમ્સની કામગીરીની પણ સમયાંતરે સમીક્ષા કરી હતી. બહારગામથી સારવાર માટે આવતા દર્દીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી
હતી. તબીબોની ટીમની ઉપલબ્ધતા અને આરોગ્ય સેવાઓમાં સુધારા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. રાજકોટમાં હાઇકોર્ટની કાયમી બેન્ચ માટે અનેક વખત રજૂઆત તેમજ અનેક જાહેર હિતના મુદ્દાઓ
સંસદમાં ઉઠાવ્યા હતા. ભ્રષ્ટાચાર સામે પણ અવાજ ઉઠાવી લોકોને પણ જાગૃત થવા અપીલ કરી હતી.
- Advertisement -
રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી મળેલી કુલ રૂ.૧૯,૬૦,૬૩,૦૦૦ની ગ્રાન્ટનો ઉપયોગ વિવિધ લોકોપયોગી વિકાસકામો માટે કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં રૂ.૯,૭૮,૨૫,૦૦૦ જેટલી ગ્રાન્ટમાંથી
આંગણવાડી, વિજ્ઞાન ઉદ્યાન, સીસી રોડ, સામુદાયિક હોલ, સ્મશાનઘાટ અને બસસ્ટેન્ડ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં આંગણવાડી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવા
પણ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં રૂ.૫,૫૮,૦૦,૦૦૦ની ગ્રાન્ટમાંથી આરોગ્ય, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ માટે વિકાસકામો કરવામાં આવ્યા હતા. જ્યારે મહીસાગર જિલ્લામાં
રૂ.૩,૯૬,૦૦,૦૦૦ની ગ્રાન્ટમાંથી વિજ્ઞાન ઉદ્યાન અને આંગણવાડી સહિતના વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા.માર્ગ અને ટોલના પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજૂઆતો, પોરબંદરમાં સંરક્ષણ ઉદ્યોગ અને માછીમારી ક્ષેત્ર
માટે પ્રયાસ
જનસેવાનું કેન્દ્રબિંદુ રહ્યું ‘ઓન ધ સ્પોટ સોલ્યુશન’
રામભાઈ મોકરીયાના રાજ્યસભાના કાર્યકાળની કામગીરીમાં સંસદમાં પ્રશ્નો ઉઠાવવાથી લઈને સ્થાનિક સ્તરે નાગરિકોના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે કરવામાં આવેલા પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા હતા. અરજદારોના પ્રશ્નોને સાંભળી
સંબંધિત અધિકારી કે વિભાગ સાથે સીધો સંપર્ક કરી સ્થળ પર જ ઉકેલ લાવવાની કાર્યપદ્ધતિ તેમની જનસેવાની આગવી ઓળખ બની હતી. કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સુધીના
વિવિધ સ્તરે લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી સતત અનુસરણ કરવામાં આવ્યું હતું. હજારો નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે કરાયેલા આવા પ્રયાસોના કારણે રામભાઈ મોકરીયાનો રાજ્યસભાનો કાર્યકાળ લોકસેવા અને
જનપ્રશ્નોના ઉકેલ માટેની સક્રિય કામગીરીના અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.




