ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 56 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે અને બઢતી સાથે સાથે તમામની બદલી પણ કરવામાં આવી છે. આ બઢતી અને બદલીનો ઘાણવો નિકડ્યો છે તેમાંથી એક પીએસઆઈને મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યા છે જેમાં પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા રોહિતકુમાર નટવરલાલ ભટ્ટની પીએસઆઈ તરીકે બઢતી આપીને મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરબદલ થઈ રહ્યા છે અને તાજેતરમાં જ આઈપીએસ અને ડીવાયએસપીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે એએસઆઈની પીએસઆઈ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે તો હજુ પણ 50 જેટલા આઈપીએસની બદલીનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.