By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    10 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    13 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    11 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    12 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    12 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    12 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    12 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    11 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    11 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    12 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.
રાજકોટ

વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 4:47 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

રાજ્યના સંવેદનશીલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે તા. ૦૨/૦૮/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.

સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે “સેવા સેતુ” કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે અને ઈસ્ટ ઝોન માટેનો સેવા સેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ત્રણ સેવાઓનો શુભારંભ થયો.

Contents
રાજ્યના સંવેદનશીલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે તા. ૦૨/૦૮/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બે સ્થળોએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો.સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીસેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે “સેવા સેતુ” કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે અને ઈસ્ટ ઝોન માટેનો સેવા સેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો.

• પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ

- Advertisement -

• જી.આઇ.એસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ

• તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિવસના અનુસંધાને તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ સેવા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો હતો.

- Advertisement -

ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમ કહ્યું હતું કે, સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે. નવ દિવસમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કોઇ પણ રાજ્યના વિકાસની પ્રાથમિક શરતો રાજકીય સ્થિરતા, રાજકીય ઇચ્છાશક્તિ, ઈમાનદારી, નિર્ણાયકતા, સંવેદનશીલતા, પ્રગતિશીલતા છે. આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનું સુકાન સંભાળી રહેલ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જનભાગીદારીના આધારે વિકાસનો જે પાયો નાખ્યો હતો, ત્યાંથી આગળ વધતા સરકારે ગુજરાતની પ્રગતિ માટે શ્રેણીબદ્ધ વિકાસકામો કર્યા છે અને ભવિષ્યમાં પણ આ સિલસિલો જળવાઈ રહેશે.

માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર દ્વારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા. એ ખરેખર “સેવા યજ્ઞ” છે. આ કપરા સમયમાં પણ રૂ.૧૬,૦૦૦ કરોડના વિકાસ કાર્યો સરકારે કર્યા છે. આજના દિવસે સાચા અને નાના લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની ચિંતા સરકારે કરી છે. અમારી સરકાર લોકોની આકાંક્ષા પૂરી કરવાવાળી સરકાર છે. અમે વોટ બેંક ઉભી કરવા માટે નહિ પરંતુ, લોકોના હિત અને પ્રગતિ માટે આવ્યા છીએ. અમારી સરકાર સત્તા માટે નહિ પરંતુ, લોકોની સેવા માટેની સરકાર છે. અત્યાર સુધીના સેવા સેતુના કાર્યક્રમોમાં કરોડો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો છે. હવે સરકાર ઈ-સેવા સેતુની નવી પહેલ કરશે. લોકોને દરરોજ સમયસર સેવાનો લાભ મળતો રહે તે માટે આયોજન કરેલ છે. માન.મુખ્યમંત્રી એ એમ કહ્યું કે, સરકાર પારદર્શકતાના આધાર પર ફેઈસલેસ વ્યવસ્થા, અલગ અલગ વિભાગમાં ઓનલાઈન સેવા શરૂ કરશે.

મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર સદાને માટે અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે. રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે.

રાજ્યના સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને સંવેદનશીલ તથા લોકાભિમુખ બનાવવાના પ્રયત્નોની પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છણાવટ કરી હતી અને નાગરિકોના સહકારની અપેક્ષા ઉચ્ચારી હતી.

પોતાની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે મુખ્યમંત્રી એ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રી એ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રી એ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘‘એક વાલી યોજના’’ તથા “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના”, રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ” અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.

આ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે સંવેદના સાથે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની ટૂંકી વિગતો આપી હતી.

કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો મંત્રી ઈશ્વરભાઈ પરમારે આભાર માન્યો હતો.

આ પ્રસંગે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” , “એક વાલી યોજના” અને “ગંગાસ્વરૂપ મહિલા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” ની વિગતો રજૂ કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રી સહિતના આમંત્રીતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, અને પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટને પ્રદાન કરેલા વિકાસલક્ષી પ્રકલ્પો બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મુખ્ય સચિવ અનિલ મુકીમ,  અગ્રસચિવ કે. કૈલાશનાથન, સચિવ સુનયના તોમર અને કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ, અધિક કલેક્ટર એન.આર. ધાધલ, અને એન. એફ. ચૌધરી,  પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,  સિદ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, અગ્રણી મતિ અંજલીબેન રૂપાણી,  કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ, સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરમ્યાન ઈસ્ટઝોન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ડે.કમિશનર આશિષ કુમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ઈસ્ટઝોનના વોર્ડના કોર્પોરેટર ઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવેલ, ઉપરાંત  રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટેની મોબાઈલ – એપ

રાજકોટ શહેર માટેની જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, કે જે મોબાઇલ એપ થકી મુસાફરોને પરિવહન સેવાઓ હેઠળની તમામ બસના રૂટ તથા સમય પત્રકની માહિતી તેઓના મોબાઇલ પર સરળતાથી મળી શકશે તેમજ શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ બસની ટીકીટ મોબાઇલ એપ થકી મેળવી શકાશે.

GIS ઈનેબલ્ડ સિટિઝન પોર્ટલ – ( gis.rmc.gov.in )

રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત GIS (Geographic Information System) પ્રોજેક્ટ હેઠળ સિટીઝન પોર્ટલ (gis.rmc.gov.in) બનાવવામાં આવેલ છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત GPR (Ground Penetration Radar) ટેકનોલોજી નાં ઉપયોગ વડે શહેરના ૪,૦૦૦ (ચાર હજાર) કલોમીટર રસ્તાઓની નીચે રહેલ વિવિધ પ્રકાર ની યુટિલિટી  જેવી કે પાણી ની પાઈપ લાઈન, ડ્રેનેજ પાઈપ લાઈન , જુદા જુદા કેબલ નેટવર્ક  વિગેરેનો સર્વે કરી મેપ પર પ્લોટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોર્ટલ પરથી નીચે મુજબની વિવિધ પ્રકારની માહિતીઓ જેવી કે ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, વોર્ડઓફિસ, શાળાઓ, હોકર્સઝોન, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને બગીચાઓ , geo-tagged કરેલા મિલકત, રસ્તાઓ,  રોડ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર, અંડર ગ્રાઉન્ડ નેટવર્ક , ટી.પી.સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી અને સિટી સર્વે નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી અને નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વિગેરે મેળવી શકાશે.

જન્મ મરણનાં દાખલાઓ વોર્ડ કક્ષાએથી મળવાનો શુભારંભ

રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક  વોર્ડ પરથીજ જન્મ-મરણના પ્રમાણ પત્ર મળી રહે તેમાટે રાજકોટ મહાનાગરપાલીકાની ઝોનલ કચેરી  ઉપરાંત તમામ ૧૮ વોર્ડ ઓફીસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આં ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે.

You Might Also Like

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે તપાસ સમિતિ બનશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થસેવાકાર્યો દ્વારા ભુપતભાઇ બોદર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી
Next Article બોલિવૂડ એક્ટર વિ.જે.ભાટીયા અને સાયન્ટીસ્ટ ડૉ. જે.જે.રાવલના હસ્તે જૈન અગ્રણી. કેતનભાઈ સંઘવી નું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?