જો વરિષ્ઠ નાગરિકોને એક જ વારમાં પ્રીમિયમ ચૂકવવામાં પડી રહી છે મુશ્કેલી, તો તેઓને હપ્તામાં ચુકવણી કરવાની સુવિધા
પૂર્વ-અસ્તિત્વમાં રહેલી તબીબી પરિસ્થિતિઓ ધરાવતા લોકોને આરોગ્ય નીતિઓ પ્રદાન કરવાનો આદેશ
વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ 1 એપ્રિલથી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદનારાઓ માટેની વય મર્યાદા દૂર કરી છે. અગાઉ નવી હેલ્થ પોલિસી ખરીદવાની છૂટ 65 વર્ષની ઉંમર સુધી જ હતી.
- Advertisement -
1 એપ્રિલ, 2024થી સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે અમલમાં આવેલા આ નવા નિયમમાં, IRDAIએ વીમા કંપનીઓને કોઈપણ પ્રકારની પૂર્વ-અસ્તિત્વમાં રહેલી મેડીકલ કંડીશન ધરાવતા લોકોને સ્વાસ્થ્ય પોલિસી પ્રદાન કરવાનો આદેશ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો વરિષ્ઠ નાગરિકોને એક જ વારમાં પ્રીમિયમ ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે, તો તેમને હપ્તામાં ચુકવણીની સુવિધા મળવી જોઈએ. આયુષ સારવાર કવરેજ પર કોઈ મર્યાદા નથી. આયુષ સારવારમાં કોઈપણ મર્યાદા વિના વીમા રકમ કવરેજ ઉપલબ્ધ થશે. પરિપત્ર મુજબ, IRDAI એ સ્વાસ્થ્ય વીમાનો વેઇટિંગ પિરિયડ પણ ઘટાડીને 48 મહિનાને બદલે 36 મહિના કરી દીધો છે. IRDAI એ વીમા કંપનીઓને કોઈપણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી તબીબી સ્થિતિ ધરાવતી વ્યક્તિઓને સ્વાસ્થ્ય વીમા પોલિસી ઑફર કરવાનો આદેશ પણ આપ્યો છે. તે વીમા કંપનીઓને હૃદય, કેન્સર અને એડ્સ જેવા ગંભીર રોગોથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઇનકાર કરવા પર પણ પ્રતિબંધ મૂકે છે.
કલેમ ખારિજ નહીં કરી શકે વિમા કંપની
નવા નિયમો લાગુ થયા બાદ કંપનીઓ હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને હેલ્થ પોલિસીનો ઇનકાર કરી શકશે નહીં. આરોગ્ય વીમા કવરેજ 60 મહિના અથવા પાંચ વર્ષ સુધી ચાલુ રહે તે પછી, કંપની કોઈપણ બહાને વીમા દાવાને નકારી શકશે નહીં. સવાલ એ છે કે શું કંપનીઓ વરિષ્ઠ નાગરિકો માટે નવી પ્રોડક્ટ્સ લાવશે?
ઈન્સ્યોરન્સ બ્રોકર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (IBAI)ના પ્રમુખ સુમિત બોહરા કહે છે, ’આ એક સારું પગલું છે, પરંતુ આ વયજૂથ માટે યોગ્ય પ્રોડક્ટ્સ ડિઝાઇન કરવાનું વીમા કંપનીઓ પર છોડી દેવામાં આવશે. નવા 5્રોડકસ ચોક્કસપણે પૂર્વ-રોગ માટે રાહ જોવાનો સમયગાળો ઘટાડવો જોઈએ. ગ્રેડેડ ક્લેમ પે-આઉટ પ્રથમ ત્રણ વર્ષમાં હોવો જોઈએ અને જ્યાં સુધી સતત રીન્યુલની વાત છે ત્યાં સુધી સંપૂર્ણ દાવો 4 વર્ષ પછી હોવો જોઈએ.
- Advertisement -
સીનીયર સીટીઝન હેલ્થ ઇન્સ્યુરન્સ બજાર વિશાળ છે. નાની રકમના વીમાના કિસ્સામાં કાં તો કોઈ કવરેજ નથી અથવા નબળું કવરેજ છે જે હાલના હોસ્પિટલના બીલ ચૂકવવા માટે પૂરતું નથી. આવનારા સમયમાં કેટલું પરિવર્તન આવે છે તે જોવું રહ્યું. રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના સીઈઓ રાકેશ જૈન કહે છે કે કંપનીને હવે એવા ઉત્પાદનોની ડીઝાઇન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જેમાં પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોનો સમાવેશ થાય છે. જો કે, કંપનીઓએ વીમા પ્રદાન કરવા સાથે સંકળાયેલા જોખમોને અસરકારક રીતે સંચાલિત કરવા માટે કામ કરવું પડશે.
શું નવા પ્રોડકટસ ખૂબ મોંઘા હશે?
વીમા નિષ્ણાંતોનું કહેવું છે કે, IRDAના નવા નિયમો ઉદ્યોગમાં મોટા ફેરફારો લાવશે. કંપનીઓએ એવી પ્રોડક્ટ્સ લાવવાની રહેશે જેમાં પોલિસીના સમયગાળા માટે પ્રીમિયમ બદલાતું નથી. હપ્તામાં પ્રીમિયમ ચૂકવવાની સુવિધા આપી શકે છે. વીમા કંપનીઓ પોલિસીધારકોને વહેલા પ્રવેશ, વારંવાર નવીકરણ, સુખાકારીની આદતો અને રોગોની અગાઉથી જાહેરાત કરવા માટે પ્રોત્સાહન આપી શકે છે.
તંદુરસ્ત વરિષ્ઠ નાગરિકોને ઓછું પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે અને IRDAI એ તે જ તર્જ પર નિયમો જારી કર્યા છે. તો આવી સ્થિતિમાં તે કેવી રીતે આગળ વધે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.