રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર વધારવાના પગલે
આ બેન્કોએ રીપો બેઝડ લેન્ડિંગ રેટ વધારી દીધા
ખાસ-ખબર સંવાદદાતા
હવે એચડીએફસી, કેનરા, ઇન્ડીયન ઓવરસીઝ સહિત અનેક બેન્કોએ સોમવારે તેના લેન્ડીંગ રેટમાં વધારો કરતાં આ બેન્કોની લોન મોંઘી થશે. બેન્કોમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક અને કરુર વૈશ્ય બેન્ક પણ સામેલ છે.એચડીએફસી બેન્કે એણસીએલઆર 0.25 ટકા વધારીને 7.70 ટકા કરી દીધા છે. કેનરા બેન્કે રીપો લિકિડ લેન્ડીંગ રેટને વધારીને 7.30 ટકા કરી નાખ્યો છે. એમસીએલઆર પણ એક વર્ષ માટે 7.35 ટકા કરી નાખ્યા છે. જ્યારે બેન્ક ઓફ મહારાષ્ટ્ર એમસીએલઆરને 0.15 ટકા વધારી દીધા છે.ત્રણ બેન્કોના નવા દરો 7 મે અને ત્યારબાદની લોન પર લાગુ થશે. આ જ રીતે ઇન્ડીયન ઓવરસીઝ બેન્કે જણાવ્યું હતું કે તેણે રીપો બેઝડ લેન્ડીંગ રેટ 7.25 ટકા કરી નાખ્યો છે. કરુર વૈશ્ય બેન્કે જણાવ્યું હતું કે તેનો ઇબીઆર-આર હવે 7.45 ટકા થશે. નવા દર 9 મેથી લાગુ પડી ગયા છે.