By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    1 hour ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    32 minutes ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    41 minutes ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    54 minutes ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    59 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવત્વ જેવું સગપણ: દરેક જીવમાં એક શિવ વસે છે, અને દરેક શિવનું એક હળાહળ ઝેર છે..!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શિવત્વ જેવું સગપણ: દરેક જીવમાં એક શિવ વસે છે, અને દરેક શિવનું એક હળાહળ ઝેર છે..!
Author

શિવત્વ જેવું સગપણ: દરેક જીવમાં એક શિવ વસે છે, અને દરેક શિવનું એક હળાહળ ઝેર છે..!

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આપણા ધાર્મિક શાસ્ત્ર અનુસાર પૂરા બ્રહ્માંડનું ઉદગમ બિંદુ એટલે મહાદેવ..!ધર્મ, સંપ્રદાય, અને જાતિના વાડા ને વેગડા કરીએ તો દરેક જીવ ની ઉત્પતિ શિવ માંથી થયેલી છે. આવું આપણા સનાતન હિંદુ ધર્મના પૌરાણિક શાસ્ત્રમાં લખાયેલું છે.આ સત્યના અનુસંધાને ચાલીએ તો દરેક જીવત્વના આરાધ્ય શિવને ગણી શકાય.
સત્યમ શિવમ સુન્દરમશિવજીનો સત્ય સાથે એક અતૂટ સંબંધ છે. સત્ય એટલે જ શિવ અને જ્યાં શિવત્વ જીવંત છે તે દરેક વસ્તુ સુંદર છે.

- Advertisement -

આજના આ સમયમાં શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ કરી તેને રીઝવવાના પ્રયત્નોમાં લાગેલા આપણે સૌ શિવત્વ ને કેટલા પચાવી શક્યા છીએ.? તે અગત્યનો પ્રશ્ર્ન છે. શિવત્વ એટલે સત્યનો પર્યાયદરેક ના જીવનમાં કેટલાક સત્ય હોય છે જે બહારની દુનિયાથી કદાચ અજાણ હોય.સામાન્ય રીતે લોકો દંભ અને દેખાવ કરીને વાસ્તવિકતાઓને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હોય છે.પરંતુ સત્ય તેની જાતે અને તેના સમયે ઉજાગર થઈને જ રહેતું હોય છે.

શાસ્ત્રોમાં વર્ણવેલી સમુદ્ર મંથનની ઘટનાને વ્યવહારિક દ્રષ્ટિકોણ થી મૂલવીએ તો દરેક વ્યક્તિની અંદર એક સમુદ્ર મંથન જીવન પર્યંત ચાલતું રહેતું હોય છે ક્ષીર સાગર એટલે મનુષ્યની જીવન યાત્રા,મંદરાચલ પર્વત(મેરુ પર્વત)એટલે વ્યક્તિના આદર્શો-સિદ્ધાંતો,વાસુકી નાગ એટલે સમય ચક્ર..!વાસુકી નાગ નાં બન્ને છેડે જોડાયેલું રહે છે, સત્ય અને અસત્ય.ઝજ્ઞ બય જ્ઞિ ક્ષજ્ઞિં જ્ઞિં બય..!વ્યક્તિ જીવનભર સમયાંતરે સારા-ખરાબ,સફળતા-નિષ્ફળતા,અજવાસ અને અંધકાર વચ્ચે વલોવાતો રહે છે. સમુદ્ર મંથન ને અંતે નીકળેલા અમૃત કળશ રૂપી સમૃદ્ધિ અને સફળતા માટે ઘણા જ સબંધો હકદાર બની જતા હોય છે.પરંતુ જીવનની ડાર્ક સાઈડ સમાન કલાકુટ વિષ પીનાર શોધ્યું પણ જડતું નથી..! બસ અહીંયા જ તફાવત પડે છે શિવ અને જીવ વચ્ચેનો.જે સંબંધ જે વ્યક્તિ તમારા જીવનના સત્યરૂપી હળાહળ ઝેર ને પચાવી શકે એ જ સંબંધ એ જ લાગણી તમારી આરાધ્ય બની શકે..!

દરેક વ્યક્તિ માં ગુણ અને અવગુણ બન્ને હોવાના.એવું ક્યારેય શક્ય ન બને કે કોઈ એક વ્યક્તિત્વ સર્વ ગુણ સંપન્ન હોય.પરંતુ આપણે દ્રષ્ટિગોચર માત્ર અવગુણને જ કરીએ છીએ અને ગુણોમાં રહેલા સૌદર્ય ને બાદ કરી દઈએ છીએ.આપણે બધા મેકઅપના યુગમાં જીવીએ છીએ.ચહેરાની કુરૂપતા છુપાવતા મોહરાઓ પહેરી ને લીપા પોતી કરતાં સમાજ માં જીવીએ છીયે. કહેવાનો ભાવાર્થ એ બિલકુલ નથી કે વ્યક્તિએ દરેક સામાજિક દરજ્જાઓ પ્રત્યે પારદર્શી રહેવું.આવું શક્ય ન બની શકે એ સહજ બાબત છે. પરંતુ કમ સે કમ જે અંગત છે જેને આપણે સ્વજન કહીએ છીએ તેમની પાસે તો પારદર્શિતા જ જીવવી જોઈએ .
આપણે માત્ર ગુણોને જ આવકાર્ય છીએ અને વ્યક્તિમાં રહેલી ક્ષતિઓને અવગણીએ છીએ . બસ ત્યાંથી જ સંબંધોના વિચ્છેદની શરૂઆત થતી હોય છે.કારણ કે ગુણને સ્વીકારનાર તો ઘણા મળી રહેશે.દરેક વ્યક્તિ ઉજાસ ને આવકારે છે.પરંતુ જે અંધકારને અજવાસી શકે અથવા વ્યક્તિમાં રહેલી ક્ષતિ,ખામી કે અવગુણોનો સ્વીકાર કરી અને સાથે ચાલી શકે એ સંબંધ એ લાગણી અને એ સંવેદના જ કાયમી જોડાઈને રહી શકે. પરંતુ મહદઅંશે સંબંધોની દુનિયામાં આવા ગુણ પારખું સગપણ નહીવત જોવા મળે છે.

- Advertisement -

દરેક વ્યક્તિના સ્વભાવની કેટલીક મર્યાદાઓ હોય છે .જે આપણે તેની સાથે સંબંધમાં જોડાયા પહેલાં જ જાણતા અને સમજતા પણ હોઈએ છીએ છતાં સ્વીકારી શકતા નથી અને ત્યાંથી જ લાગણીઓ વચ્ચે અહમની પાતળી દીવાલ ચણાવવાનું શરૂ થઈ જાય છે.થોડા સમય પહેલા ટીવીમાં એક જાહેરાત આવતી.. ૠ‘₹ 9ઇં *0 .ૠ0 9ઇં! આમ તો આ કોઈ ખાદ્ય પદાર્થની જાહેર ખબર હતી. પરંતુ જો આ વાક્યને સંબંધો ની ફિલોસોફી બનાવી દેવામાં આવે તો કેટલી લાગણી કેટલા સંબંધો જે માત્ર નાના મોટા અહમ દોષના કારણે છૂટી ગયા હોય એ સબંધો ખરેખર ફરી થી જીવંત થઈ શકે.

જીવનમાં ભૂલ કરવી એ બહુ સહજ બાબત છે. ભૂલનો સ્વીકાર કરવો એ પણ સ્વાભાવિક છે.પરંતુ એ ભૂલને માફ કરી અને ભૂલી જવી એ ખરેખર અઘરી બાબત છે.!જ્યારે આપણે કોઈ વ્યક્તિની સ્વભાવગત મર્યાદાથી જાણકાર હોઈએ છતાં સંજોગો પરિસ્થિતિ અનુસાર તેમના દ્વારા જાહેર માં કરાયેલા વર્તનને કારણે તે સ્વજન પ્રત્યે મનમાં ફરિયાદો રહેતી હોય છે.પરંતુ એ સમયે આપણે એ સત્ય ભૂલી જઈએ છીએ કે તે વ્યક્તિની સ્વભાવ ગત મર્યાદા કે ક્ષતિ માત્ર આ એક સંબંધ પૂરતો જ સીમિત નથી આ સ્વભાવગત દોષ તેમનાં અન્ય સંબંધમાં પણ જોવા મળે છે. પરંતુ આપણે તેને માફ કરી શકતા નથી અથવા અન્ય સાથે સરખામણીમાં ઉતરી પડીએ છીએ . જ્યારે બે વ્યક્તિ વચ્ચે સરખાપણું શોધવા જઈએ તો ક્યારેય મળતું નથી. કારણ કે જો બે વ્યક્તિએ સાથે ચાલવું હશે તો એક વ્યક્તિ એ બીજી વ્યક્તિનો ડાબો હાથ જ પકડવો પડશે બંને જમણા હાથ પકડી સાથે ક્યારેય નહીં ચાલી શકે..! આવી જ રીતે દરેક વ્યક્તિના સત્ય પણ જુદા જુદા હોય છે.જો સ્વજન પ્રિય હોય તો તેના સત્ય પણ પ્રિય હોવા જોઈએ.જે વ્યક્તિ અવગુણ નો સ્વીકાર કરી શકે તે જ વ્યક્તિ તમારા માં ગુણની ખીલવણી પણ કરી શકે.જે સંબંધ અમાસની કાળી રાતે તમારો હાથ પકડી અજાણ્યા રસ્તા ઉપર ચાલવાની હિંમત દાખવી શકે તે જ વ્યક્તિ તમારા જીવનમાં પૂનમનો અજવાસ પણ પ્રગટાવી શકે. જો જીવનમાં પરસ્પર સત્યનો સ્વીકાર થાય તો જ શિવત્વને પામી શકાય અને શિવત્વને પામેલાં સંબંધ થી ઉત્તમ સુંદર દુન્યવી કોઈ સંબંધ ન હોય શકે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: Shiva
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સેબીનાં ચેરપર્સને ઘણી વસ્તુઓ સ્વીકારી’
Next Article લાઇબ્રેરીયન કે પત્રકાર મોટે ભાગે ઉમદા પણ ખાસ વાચક હોતા નથી !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?