વર્ષ 2022માં પંજાબના ભારસિંહપુર ગામમાં હિંદૂ પુજારીની હત્યા કરવાનો આરોપ લગાવ્યા બાદ NIAએ હરદીપ સિંહ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
ખાલિસ્તાન ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મોતના મહિનાઓ બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ગોળીમારવા પાછળ ભારત સરકાર પર આરોપ લગાવ્યો છે.
- Advertisement -
એક રિપોર્ટ અનુસાર જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે દેશની સુરક્ષા એજન્સિઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની વચ્ચે સંબંધની તપાસ કરી રહી છે.
શું કહ્યું જસ્ટિન ટ્રૂડોએ?
જસ્ટિન ટ્રૂડોએ ઓટાવામાં હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું, “કેનેડાઈ સુરક્ષા એજન્સિઓ ભારત સરકારના એજન્ડા અને કેનેડાઈ નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાની વચ્ચે સંભવિત સંબંધના વિશ્વસનીય આરોપો પર સક્રિય રીતે કામ કરી રહી છે.” તમને જણાવી દઈએ કે હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં 18 જૂને એક ગુરૂદ્વારાના બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
PM મોદી અને જસ્ટિન ટ્રૂડોની વાતચીત
જસ્ટિન ટ્રૂડોએ એવું પણ કહ્યું છે કે તેમણે જી20 શિખર સમ્મેલનમાં પણ આ મુદ્દાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે ઉઠાવ્યો હતો. કેનેડાએ ભારત સરકારના મુખ્ય ખુફિયા સુરક્ષા અધિકારીઓને પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું હું ગયા અઠવાડિયે જી20માં તે વાતોને વ્યક્તિગત રીતે અને સીધી પ્રધાનમંત્રી મોદીની સામે કહી હતી.
- Advertisement -