જર્જરિત મકાનમાં રિનોવેશનના નામે ગેરકાયદે બાંધકામ, જો કોઈ જાનહાનિ થઈ તો કોની જવાબદારી?
ગેરકાયદે બાંધકામ સ્થાનિક વિવાદિત કોર્પોરેટરની દયામાયાથી થઈ રહ્યું હોવાની ચર્ચા
રણછોડનગર શેરી નંબર 5માં જય આશાપુરા કૃપા મકાનમાં બેફામ ક્ધસ્ટ્રકશન
- Advertisement -
ટાઉન પ્લાનિંગ શાખામાં અનેક અરજી છતાં ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટના સામા કાંઠે ફરી એકવાર ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. ચૂંટણી આચારસંહિતામાં રોકાયેલા અધિકારીઓની વ્યસ્તતાનો લાભ લઈ શહેરના વોર્ડ નં. 6માં ગેરકાયદે બાંધકામ ચાલી રહી રહ્યું છે. સદ્દગુરુ રણછોડનગર શેરી નં. 5માં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ મામલે ટી.પી. શાખામાં અનેક અરજી પણ કરવામાં આવી છે, આમ છતાં આજ સુધી ગેરકાયદે બાંધકામ અટકાવવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
- Advertisement -
રણછોડનગર શેરી નં. 5માં જય આશાપુરા કૃપા નામના મકાનમાં ટી.પી. શાખાના નિયમોનો ઉલાળીયો કરીને ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ મામલે જાગૃત નાગરિક દ્વારા ટી.પી. શાખામાં અરજી પણ કરવામાં આવી છે, પરંતુ ભેદી કારણોસર ગેરકાયદે બાંધકામ વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. સમગ્ર મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદે બાંધકામ સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓની દયામાયાથી જ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.