લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટશે
51 કુંડી મહામારુતિ યજ્ઞ, ધજાજી આરોહણ ઉત્સવ, ચોકલેટ અન્નકૂટ, બર્થડે સેલિબ્રેશન, મહાઆરતી, ભવ્ય આતશબાજી સહિતના વિવિધ કાર્યક્રમો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ તા.20
શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત રાજકોટ સ્થિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન જયંતીના પવિત્ર દિવસની ભવ્યાથી ભવ્ય અને આતશબાજી સાથે ઉજવણી થશે , રાજકોટ વાસીઓનાં દુ:ખ દૂર કરતા , કસ્ટ હરતા ,સુખ કરતા દાદા એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ અને આપણા દાદાનો જન્મદિવસ ત્યારે શ્રી બાલાજી મંદિર આયોજિત મંદિરના મહંત પુ. વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી પૂ.રાધારમણ દાસજી સ્વામી , વયોવૃદ્ધ કોઠારી પૂ.હરિચરણ દાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં તા.23-4-2024 , મંગળવાર અને હનુમાન જયંતીના પવિત્ર દિવસે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સવારે સાડા 5 કલાકે દાદાની મંગળા આરતી ,શણગાર આરતી 6.45 કલાકે , સવારે 8.30 કલાકે 51 કુંડી નિ:શુલ્ક મહામારૂૂતિ યજ્ઞ ,ચોકલેટ અંન્નકૂટ સવારે 9.30 કલાકે ત્યારબાદ જય શ્રી રામ અને જય બાલાજીના નાદ સાથે શ્રી ધજાજી આરોહણ ઉત્સવ સાથોસાથ પંજાબી ઢોલના સંગાથે વાજતે ગાજતે શ્રી બાલાજી મંદિરના પટાંગણમાં ધ્વજારોહણ થશે તેમજ બપોરે 12 કલાકે દાદાની રાજભોગ આરતી થશે અને ભવ્ય આતશબાજી સાથે બર્થડે સેલિબ્રેશન થશે ,સાંજે 7 કલાકે રાજોપચાર પદ્ધતિથી દાદાની મહા આરતી થશે તેમજ આખો દિવસ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે
- Advertisement -
તો આ પાવન અવસરે મારા બાલાજી દાદાના જન્મદિવસને ,મારા હનુમાનજી મહારાજના જન્મદિવસને આપણે સૌ સાથે ઉજવીએ તો આ પ્રસંગે લાખોની સંખ્યામાં દાદાના ભકતો દાદાના દર્શને પધારશે ,અને રાજકોટ બાલાજી મંદિર મહાપ્રતાપી બાલાજી દાદાના નામે ગુંજી ઉઠશે , આપ પણ પરિવાર સાથે દાદાના દર્શને પધારો તેમજ 51 કુંડી નિ:શુલ્ક મહામારુતિ યજ્ઞનો અલભ્ય લાભ લો જે કોઈ ભક્તોએ દાદાના યજ્ઞમાં બેસવા ઇરછતા હોય તેમણે બાલાજી હનુમાનજી મંદિરમાં ઓફિસમાં પોતાનું નામ નોંધાવી દેવું તેમ મંદિરના કોઠારી પૂ.મુનિવત્સલ દાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે તો ચાલો પરિવાર સાથે દાદાના દરબારમાં જય બાલાજી જય શ્રી રામ.