ખાસ-ખબર સંવાદદાતા
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન (ઋઈંઊઘ) એ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર સાથે સંયુક્ત રીતે મોરબી ખાતે આજે શુક્રવારે મોરબી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં એક્સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્સ્પોર્ટરો સાથે વર્તમાન અને આગામી પડકારો તેમજ એક્સ્પોર્ટરોને પડતી તકલીફો અને તેના નિવારણ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વેપારની બદલાતી ઈકોસીસ્ટમ પર વધુ સ્પષ્ટતા લાવવાનો હતો અને ભારત સરકાર દ્વારા નિકાસને સરળ બનાવવા માટે ઓફર કરાયેલ વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તેના વિશે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. એક્સપોર્ટ પોલિસીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનની ભુમિકા પર ચર્ચા અન્વયે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકના હાર્દ સમા મોરબી-જેતપર-અણીયારી રોડનું ટુંક સમયમાં ભુમી પૂજન કરાશે. બજેટમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ગુજરાતના 500 થી વધુ આઈ.ટી.આઈ. માં 24 પ્રકારના ડ્રોન ટેકનોલોજીના કોર્સ 1લી ઓગસ્ટથી શરૂૂ કરાશે તથા બજેટમાં મોરબીના શ્રમિકોની આવાસ સુવિધા માટે શ્રમનિકેતન પણ મંજૂર કરાવી છે.