By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    23 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    23 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    24 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    1 day ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 day ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 day ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 day ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 day ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 21મી સદીમાં પણ સૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > 21મી સદીમાં પણ સૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું
લાઇફ સ્ટાઇલ

21મી સદીમાં પણ સૌરાષ્ટ્ર શુકન અપશુકનની માન્યતામાંથી હજુ બહાર નથી આવ્યું

Khaskhabar Editor
Last updated: 2021/06/30 at 11:04 AM
Khaskhabar Editor 5 years ago
Share
13 Min Read
SHARE

શુકન-અપશુકન વિશે લગભગ બધાંએ સાંભળ્યું હશે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્વ ખુબ વધી જાય છે. બિલાડી આડી ઉતરે તો સારા કામમાં વિઘ્ન આવશે તેનો એકવાર વિચાર આજે પણ આપણને આવી જ જાય છે. સંસાર માત્ર શુકન અને અપશુકનની વચ્ચે છે.શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા નિશ્ચિત જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.

આપણા સમાજમાં ઘણી માન્યતાઓ કે અંધશ્રદ્ધા, શુકન – અપશુંકન સાથે જોડાયેલી છે. કોઈ એક વ્યક્તિ સાથે અપશુંકન થાય એનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિ સાથે સમાન ઘટના ઘટે. આ માટે આપણે નસીબને દોષ દઈએ છીએ. પરંતુ એકવાર થાય તે દરેક સમયે બંને એવુ હોતું નથી. આ બધી અમુક સમયે આપણા મગજમાં ઘર કરી ગયેલી માન્યતાઓ અને આપણા વિચારોનો મતભેદ છે. હકીકતમા આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનને સાબિત કરી દીધું છે કે આ બધી વસ્તુ માત્ર માનસિક બીમારી જ છે અને તે યોગ્ય તપાસ અને સારવાર દ્વારા સંપૂર્ણ રીતે મટી શકે છે.

- Advertisement -

આવા વહેમના ઉપદ્રવ થવા માટે ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે.:-
– બાળ ઉછેર દરમ્યાનની ઘટનાઓ
– વાતાવરણની અસર
– શિક્ષણનો અભાવ
– વાસ્તવિકતાથી વાકેફ ન હોવું.
– પ્રતિકૂળ સંજોગો
– અપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચેનો તફાવત ન સમજવો
– કોઈના કહ્યા પ્રમાણે જ કરવું પોતાની અંગત માન્યતાને અથવા વિચારોનો અમલ ન કરવો
– બીજાની વાતોમાં આવી જવું.
– રૂઢિગત માન્યતાઓમાં પરિવર્તન ન કરવું

અપશુંકન વિશે લોકોની માન્યતા અંગે 1260 લોકો પર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ડિમ્પલ રામાણીએ સર્વે કર્યો. જેમાં 71.10% ગામડાના લોકો શુકન અપશુકનમાં માને છે અને 54% શહેરી વિસ્તારના લોકો શુકન અપશુકન વિશે માને છે. પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ અપશુકન વિશે વઘુ દ્રઢ માન્યતા ધરાવે છે.

* 89% લોકો બિલાડી આડી ઉતરે તો અપશુંકન થાય એવુ માને છે.

- Advertisement -

* 92% લોકો માને છે કે કલકલીયો ઘર પર બોલે તો ઘરમાં કંઈક અજુગતું થાય જ ઝઘડાઓ થાય છે . જે અપશુંકનીયાળનું પ્રતિબિંબ મનાય છે.

* 95 % લોકોનું માનવું છે કે દૂધનું ઢોળાવું તેને અપશુકન માનવામાં આવે છે. તે નજીકના ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થવાનો સંકેત આપે છે.

* આપણી પરંપરામા છે જયારે કોઈ ઘરનું વ્યક્તિ બહાર જાય એટલે ચાલતી વેળાએ ચા નું ન કહેવાય.
87% લોકો એવુ માને છે કે બહાર જતી વખતે ચા નું પૂછીએ તો અપશુંકન ગણાય.જરૂરી કામ પર જતાં સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે. માટે બહાર જતી વખતે કોઈને જમવાનું કે ચા પીવાનું ન કહેશો તેનાથી અપશુકન થાય છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી નથી અને ધાર્મિક તહેવારો વ્યવસ્થિત ઉજવાતા નથી તૅ મોટુ અપશુકન છે તેવું 63.99% લોકો માની રહ્યા છે. *રથયાત્રા નીકળશે અને ભગવાન જગન્નાથ શેરીએ શેરીએ ફરશે એટલે મહામારીનો કોપ ગાયબ થશે તેવું 45% લોકો માની રહ્યા છે.

* આપણે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરીએ છીએ. છતાં 74% લોકો એવુ માને છે કે રસ્તામાં જતા સાપ આડો ઉતરે તો તે અપશુંકન કહેવાય.

* 69% લોકો એવુ માને છે કે કોઈ સારા કામમા છીંક આવવી એ અપશુંકનની નિશાની ગણાય.

 

* 58 % લોકો માને છે કે ઘરના કોઈ સભ્યો બહાર જાય પછી તરત જ કચરા કઢાય નહિ. નહીંતર અપશુંકન થાય. કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને તેના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે.

* 64 % લોકોનું માનવું છે કે જરૂરી કામ પર જતી સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો,તેમાં સામાન્ય રૂપે તમને અસફળતા હાથ લાગી શકે છે.જે અપશુંકન ગણાય છે. કોઈને કોઈ વિઘ્ન આવે છે.

* 71% લોકોનું માનવું છે કે ઘરની આજુબાજુ કૂતરું રડે તે અપશુંકન મનાય છે.

* 56 % લોકોનું કહેવું છે કે મહત્વપૂર્ણ કામ પર જતા સમયે જો ઘરની બહાર કોઇ કૂતરૂ શરીર ખંજવાળતું જોવા મળે  તો કાર્યમાં બાધા આવી શકે છે.જે અપશુંકન ગણાય છે.

* 52 % લોકોનું માનવું છે કે ઘરની બહાર નીકળતી વખતે જો કાળાં કપડાં પહેરેલી કોઈ વ્યક્તિ સામે મળે તો તેને અપશુકન માનવામાં આવે છે.

* 67% લોકોનું માનવું છે કે, બહાર જતી વખતે કોઈ ‘ક્યાં જાવ’ એવું કહે એટલે અપશુકન થાય છે. અથવા ધારેલું કાર્ય પાર પડતું નથી. કેટલીક વ્યક્તિ બહાર જતા હોય અને કોઈ પાછળથી એવું કહે કે, ‘ક્યાં જાવ છો’ તો તરત કહેશે કે, આમ બહાર જતા હોઈ ત્યારે ‘ક્યાંકારો’ શું કરે છે, મારુ કામ બગડશે.

મનોવિજ્ઞાન ભવનમાં ફોન કોલ્સ દ્વારા આવેલ કિસ્સાઓ :-

(1)કોરોનામાં દીકરીનો જન્મ થવો એ ખરાબ વાત છે?મારાં ઘરે દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારથી મારાં દીકરાનો ધંધો ઠપ થઈ ગયો છે.દિકરીનો જન્મ જ ખરાબ છે. બધા કહે છે દીકરી ન હોવી જોઈએ.આ અપશુંકનિયાળ છોકરી છે. આનું શું કરવું? અનાથ આશ્રમમા મૂકી આવવાનું મન થાય છે .

જવાબ :- દીકરીનો જન્મ એ નસીબદારના ઘરે થાય છે. દીકરી આપશુંકનીયાળ ક્યારેય ન હોય શકે. દીકરીને તુલસીનો ક્યારો, ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. જન્મ મરણ એ કુદરતના હાથની વાત છે . તમે ખુદ કોઈની દીકરી છો તો તમે તમારા જ દીકરાની દીકરી માટે આવા શબ્દોનો કેમ ઉપયોગ કરી શકો. રહી વાત તમારા દીકરાના ધંધાની તો આ કોરોના બીમારી અને લોકડાઉન દરમ્યાન બધા ધંધા ઠપ થઇ ગ્યા છે. તમારે એક ને જ નુકસાન થયું છે એવુ નથી. માટે તમારા ઘરમાં પધારેલ લક્ષ્મી વધાવો. આવી માનસિકતામાંથી બહાર આવો.

(2) આ કોરોનામાં અમારા હજુ હમણાં જ લગ્ન થયાં છે. મારાં પપા કોરોનામાં મૃત્યુ પામ્યા. તેને કિડનીનો પ્રોબ્લેમ હતો. જેથી તે સક્ષમ જ નોતા. પરંતુ મારાં ઘરના અને મારાં સબંધીઓ મારી પત્નીને આપશુંકણિયાળ માને છે. હવે કહે છે કે તારા આ ઘરમાં આવ્યા પછી જ મારો પતિ મરી ગયો. માટે તું અપશુંકનિયાળ છો. તારું આ ઘરમાં રહેવું શક્ય નથી.

જવાબ :- એક પત્ની એના પતિના ભરોસે તેના સાસરિયામા પગલા માંડે છે. માટે આ પરિસ્થિતિમા તમારે તમારી પત્નીનો સાથ આપવો જરૂરી હોય છે. પણ એનો અર્થ એવો નથી કે તમારા મમીને છોડીને જતા રહો. તમારા મમીને સમજાવો કે એ કોઈની દીકરી છે, કોઈની બહેન છે.કહો મારી બહેન સાથે કોઈ આવુ વર્તન કરે તો?જીવન મરણ કુદરતના નિયમને આધીન છે જ્યાં કોઈનું ચાલે નહિ. બધાને એકવાર જવાનુ જ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નકી છે. કોઈ અમર જીવનની પટી લઈને નથી આવ્યું. માટે સમજાવો કે જે વ્યક્તિ જતું રહ્યું છે એ હવે પાછુ નહિ આવે પણ જો તમારી વહુને આવા મેણાટોણા મારી કાઢી મુકશો તો તમારી આબરૂ પર કલંક લાગશે.સાથે તમારા પપાની બીમારીથી વાકેફ કરાવો કે માત્ર કોરોના એક જ બીમારી તમારા પપાના મૃત્યુનું કારણ ન હતી તેમની બંને કિડની ફેઈલ હતી જેથી તે હવે ટકી શકે કે બીમારી સાથે લડી શકે એમ ન હતા.

(3) આ મહામારી દરમિયાન માંડ માંડ ધંધા શરુ થયાં.પ્રથમ દિવસ જ ખરાબ. આ બિલાડીએ તો મારું બધું બગાડ્યું.હું જયારે ઓફિસે જવા ઘરેથી નીકળ્યો અને વચ્ચે બિલાડી આડી પડી. આ બિલાડી એક તો અપશુંકનિયાળ ગણાય જ છે એમાં મારું બધું બગાળ્યું. ઓફિસે પ્રથમ દિવસે જ અધિકારી સાથે ઝગડો થયો જેના કારણે હવે હું ખૂબ સ્ટ્રેસમા રહુ છું. હું માનસિક રીતે અસ્વસ્થતા અનુભવું છું.

જવાબ :- કોઈપણ કાર્ય પાછળ કારણ કોઈપણ હોય શકે.જરૂરી નથી કે તમે જે બિલાડી પર આરોપ મુકો છો એ જ હોય. એમાં કોઈ શંકા નથી કે બિલાડી એ અપશુંકનિયાળ મનાય છે. પણ બિલાડીનો જન્મ એ પણ કુદરતી નિયમોને આધીન છે. તો બિલાડી સાથે કશુક થાય તો એ આપણને અપશુંકનીયાળ માનતી હશે ને? આપણને મનુષ્ય અવતાર મળેલો છે તો એનો અર્થ એ નથી કે બીજા કોઈ પ્રાણીમાં જીવ નથી. ઘણીવાર જવાબદાર આપણે હોય છીએ અને આરોપો બીજા પર મૂકીએ છીએ. જેને મનોવિજ્ઞાનનિ પરિભાષામા આરોપણ પ્રયુક્તિ કહેવાય છે. આ આપણા વિચારોની માન્યતા ઓ છે. માટે તમે ચિંતા નહિ કરો અને ફરીથી ઓફિસે જવાનુ શરુ કરી દો. તમારો પરિવાર મહત્વનો છે. ઝગડો નહિ.

(4)મારા દીકરાનો જન્મ થયો ત્યાર પછી અમારા ઘરમાં બધું સારું સારું થતું હતું. પણ હવે મારા સાસુને એમ થાય છે કે, મારા દીકરાના જન્મના કારણે આ બધું થાય છે. ઘણીવાર એવું કહે કે, ઘરમાં તારા દીકરાના કારણે જ બધુ બગડે છે.

જવાબ: તમારા દિકરાના કારણે પેલા બધું સારું થતું જ હતું. અત્યારે કાઈ થાય છે તો એ પરિસ્થિતિના કારણે કંઈક નાનું મોટું થાય આમા તમારા દીકરાનો જન્મના કારણે નહીં પરંતુ તમારી નબળી માનસિકતાને કારણે આ બધું થાય. અને તમારા સાસુને સમજાવો કે આ બધું થાય બધાના ઘરમાં એવું થતું હોઇ. અને કહો કે, થોડા દિવસમાં સારું થઈ જશે.
કોઈ વ્યક્તિના જન્મ કે જન્મ પછી કાઈ નાનું મોટું ઘરમાં થાય તો આ બનવા જોગ હોઈ એ બને જ. આમ કોઈ વ્યક્તિના જન્મને આપણે અપશુકનિયાળ ન કહી શકાય.

(5)જ્યારે પિરિયડ્સમાં હોઇ કોઈ વસ્તુ ઘરમાં અડવાની નહીં. બધું અલગ જ રાખવાનું હોઈ છે. મારુ બાળક હજુ 8 મહિનાનું છે. મારા ઘરના મને મારા બાળકને રમાડવાની ના પાડે છે. હવે એ તો બાળક છે સ્વાભાવિક છે. બાળક માં વગર ના રહી શકે. અને આટલું નાનું બાળક માં વગર કેમ રહે ઘણીવાર રડતું હોઇ છતાં મને તેને અડવા નથી દેતા. એક માં તરીકે મારા બાળકને આમ રડતું જોઇ શકતી નથી.

જવાબ. સૌ પ્રથમ તો તમારા ઘરના સભ્યોને સમજાવો કે, પીરિયડ્સએ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં બાળક ને આમ દૂર કરવું યોગ્ય નથી. કેમ કે, વધુ વખત એવું થશે તો એ બીમાર પડી શકે છે. અને આમ પીરિયડ્સ હોઈ ત્યારે કઈ થાય નહીં માટે બાળકને મારાથી દૂર ન કરો અને એને શાંતિથી મારી પાસે રહેવા દો.

(6) આજે સ્ત્રી જન્મ શું એ કોઈ ગુનો છે? અમારા ઘરમાં એવો રિવાજ છે કે અમારે બધાને ક્યાંક બહાર જવાનુ થાય ત્યારે અમારે લોકોએ 1 કલાક પહેલા તૈયારી કરવી પડે છે એટલે કે અમારે સરસ અને વ્યવસ્થિત તૈયાર થઈને અને સાજ શણગાર સજીને જ જવાનુ. અમારે જવું ન હોય તો પરાણે સાથે જવાનુ. મુખ્ય કારણ કોણ તો કે અપશુંકન. આ લોકોને અપશુંકનના ભયના કારણે એટલે કે આ લોકોનું માનવું એવુ છે કે આ લોકો સામે જો બિલાડી આડી ઉતરે અથવા દૂધ વાળો સામે જોવા મળે અથવા કોઈ કાળા કપડાં પહેરેલી વ્યક્તિ સામે આવે તો અમે સાથે હોય તો આ લોકોને કોઈ વિઘ્ન ન આવે અથવા અપશુંકનની અસર જ ન થાય. આ એક પ્રકારનો અમારો ઉપયોગ કરે છે.

જવાબ :- તમારી વાત સાચી છે કે આ એક પ્રકારનો ઉપયોગ થયો કહેવાય.પણ હું તમને એક વાત કહું. ઘણી સ્ત્રીઓ એવી છે જેને ઘરની બહાર નીકળવા મળતું નથી, બહાર જવા દેવામાં આવતી નથી, ચાર દીવાલની વચ્ચે જ રહેવાનું,નહિ ફરવા જવાનુ કે નહિ બહારની દુનિયા જોવાની.આ વો એક પ્રકારે ત્રાસ આપવામાં આવે છે. અહીં તમને કોઈ એક નિષેધક કારણને લીધે બહાર જવા તો મળે છે. બહારની દુનિયા તો જોવા મળે છે. તમે સ્વસ્થ રહી શકો છો. બીજાનું જોઈને અમુક બાબતો શીખી શકો છો. અમુક બંધનમાંથી મુક્ત તો છો. આપણા પરિવાર માટે જ કરવું તો હકારાત્મક વિચારો રાખવા.

-ડૉ .ડિમ્પલ જે.રામાણી
-ડૉ. યોગેશ જોગસણ

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં રાંદેરના સુરતી મોઢ વણિક સમાજના આઘેડના અંગદાનથી પાંચને નવજીવન મળ્યું
Next Article આજથી ૩૦ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી અને બે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?