By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    18 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    21 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    18 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    18 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    18 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    20 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    18 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    21 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    7 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    20 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    20 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    20 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?
TALK OF THE TOWNરાજકોટ

નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?

Khaskhabar Editor
Last updated: 2021/11/15 at 3:51 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનો

નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!

ખાસ-ખબર સંવાદદાતા
જસદણ ખાતે યોજાયેલા પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પટેલ સમાજના અગ્રણી નેતાઓ નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ, ગીતા પટેલ સહિતનાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. પાટીદાર નેતાઓના આ નિવેદનમાં સમાજને એક કરવાની વાત ઓછી અને સરકારને દબાવવાની વાત વધુ છે. અગાઉ પણ પાટીદાર નેતાઓ અનેકવાર પટેલ સમાજને એક કરવાની વાતમાં પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સંતોષતા જોવા મળ્યા છે ત્યારે ફરી એકવખત જસદણ ખાતે પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવું જ ચિત્ર ઉપસ્થિત થયું છે જેમાં સરકારને સિડી બનાવી પાટીદાર સમાજની પ્રગતિ કરવાની વાત તેના સમાજના નેતાઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, પાટીદાર નેતાઓ ફક્ત પોતાના સમાજની જ એકતા અને પ્રગતિની વાત કરતા જોવા મળે છે પરંતુ અન્ય સમાજ કે સર્વે સમાજને સાથે રાખી ચાલવાની વાત કરી શકતા નથી. અધૂરામાં પૂરું પાટીદાર નેતાઓ સરકાર પર અધિકાર જમાવવાની અને આગામી ચૂંટણીમાં પટેલ સમાજ કોના તરફે રહેશે એવું કહી પોતે જ સર્વસ્વ હોવાનો દાવો કરે છે. સરકાર દ્વારા પાટીદાર સમાજને ઘણું મળ્યું છે અને મળી રહ્યું છે છતાં હજુ પણ પાટીદાર સમાજનો સરકાર પ્રત્યેનો અસંતોષ દર્શાય આવે છે જે પાટીદાર નેતાઓનો વ્યક્તિગત અસંતોષ લાગી રહ્યો છે. પહેલાથી જ પાટીદાર સમાજ પ્રગતિશીલ સમાજ છે. એક સમાજ છે છતાં પાટીદાર સમાજની એકતાની વાતો કરી પાટીદાર નેતાઓ પોતાના અને અન્ય સમાજના લોકો સમક્ષ વિવિધ નિવેદનો આપી આડકતરી રીતે ઉશ્કેરી રહ્યા છે. સરકાર સામે સમયાંતરે કરવામાં આવેલી પાટીદાર નેતાઓની વિવિધ માંગણીઓનો શાંતિપૂર્વક નિવેડો લાવવામાં આવ્યો છે. આમ છતાં જો પાટીદાર સમાજને સંતોષ ન હોય તો શું હવે પાટીદાર સમાજને અલગ ’પાટી’સ્તાન જોઈએ છે?

Contents
નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનોનરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યોસ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’ 

ચૂંટણીઓમાં પાટીદાર સમાજ કોની સાથે છે એ સમય આવ્યે બતાવીશું : નરેશ પટેલ

- Advertisement -

પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે ફરી સરપંચથી સાંસદ સુધી તમામ પાટીદારો જ હોય તેવો રાગ આલાપતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પણ ઘણાં પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ યોગ્ય સ્થાને તેમને ન બેસાડવામાં આવે તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા. પાટીદારો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. આ તમામ કેસ પાછો ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજમાં કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું.

હવે અમારા મુખ્યમંત્રી છે એટલે અમે હક્કથી માંગણીઓ કરીશું : ગીતા પટેલ

પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાસ નેતા ગીતા પટેલે કહ્યું હતું કે, 2017માં પાટીદાર આંદોલન પછી કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે પણ અમારી માંગ આ જ હતી અને હવે તો અમારા મુખ્યમંત્રી છે. હવે તો અમે હક્કથી માંગણીઓ કરીશું.

- Advertisement -

‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’

જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’ 

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણીઓ ત્યાં હાજર રહ્યાં હતાં. એ દરમિયાન બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પાટીદારો અંગે કંઇક વિશેષ વાતો કરતા તેમના નિવેદને ભારે જોર પકડ્યું છે.

રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત અપૂર્વમુની સ્વામીએ જસદણમાં પાટીદારો, ઈંડા તેમક્ષ જ નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખી દરેક કામ કરો. સરદાર વલ્લભભાઈનું માથું શરમના કારણે ઝુકી ન જાય તેનું ધ્યાન પાટીદારોએ રાખવાનું છે. આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે. આજના સમયમાં પાટીદાર સમાજમાં કેટલાંક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. ત્યારે પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ.’

ગમ્મે તેટલાં ખકઅ-ખઙ હોય, જરૂરિયાત સમયે સાથે ઉભા ન રહે તો શું કામનું? : હાર્દિક


જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને કરેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે. આ સાથે હાર્દિકે જણાવ્યુ કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી, ભેગા થવુ, ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું પરંતુ સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે. આ સાથે હાર્દિકે પાટીદાર આંદોલનને યાદ કરતા જણાવ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 ખકઅ હતા તેમ છતા આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો તથા આંદોલનમાં 14 લોકો શહીદ થયા હતા. હાર્દિક પટેલે પાટીદાર ધારાસભ્યો તથા સાંસદોને અનુલક્ષીને કહ્યુ કે ગમે તેટલા ખકઅ-ખઙ હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભા રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેઓને ફેંકી દેવા હાર્દિકે હુંકાર ભર્યો હતો.

જઙૠ અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા
પાટીદાર સમાજના જઙૠના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે.

ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે અગાઉ શું કહ્યું હતું ?
ઉલ્લેખનીય છે કે,ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

You Might Also Like

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમ? શાશ્ર્વતતા, જીવંતતા, સુંદરતા, જિંદગી…
Next Article 1947ની આઝાદી ભીખ નથી, આઝાદી ભીખમાં મળતી નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?