By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 hours ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં આજથી નવતપા
    50 minutes ago
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    55 minutes ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    3 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    3 hours ago
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    3 hours ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ
રાજકોટ

વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ

Khaskhabar Editor
Last updated: 2026/05/25 at 4:15 PM
Khaskhabar Editor 36 minutes ago
Share
5 Min Read
SHARE

રાજકોટને અન્યાય : લોકલ ટ્રેનના અભાવે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને શ્રમિકો સૌથી વધુ પરેશાન

રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશન બાદ પણ પ્રજાને રાહત નહીં

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતના સૌથી ઝડપી વિકાસ પામતા શહેરોમાં સ્થાન મેળવનાર રાજકોટ આજે પણ રેલવેની મૂળભૂત લોકલ ટ્રેન સુવિધાથી વંચિત રહેતા પ્રજામાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા છ વર્ષથી રાજકોટથી વાંકાનેર, થાનગઢ અને સુરેન્દ્રનગર વચ્ચે દૈનિક અપડાઉન કરતા હજારો મુસાફરો લોકલ ડેમુ અથવા મેમુ ટ્રેનની માંગ ઉઠાવી રહ્યા છે, છતાં આજદિન સુધી કોઈ સુવિધા શરૂ કરવામાં આવી નથી. હવે પ્રજાએ રાજકોટ-અમદાવાદ રૂટ પર અત્યાધુનિક ‘નમો ભારત’ અથવા ‘અમૃત ભારત’ ટ્રેન શરૂ કરવાની પણ માંગ ઉઠાવી છે. રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ વર્ષો પહેલા પૂર્ણ થઈ ચૂક્યું છે. છતાં રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી. ખાનગી વાહન અથવા બસ દ્વારા મુસાફરીનો ખર્ચ આશરે રૂ.10 પ્રતિ કિલોમીટર સુધી પહોંચે છે, જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનમાં આ ખર્ચ 35 પૈસા પ્રતિ કિલોમીટરથી પણ ઓછો હોવાનું જણાવાઈ રહ્યું છે. આથી મધ્યમવર્ગ, શ્રમિકો અને વિદ્યાર્થીઓ માટે ટ્રેન સૌથી સસ્તું અને સુરક્ષિત પરિવહન માધ્યમ બની શકે તેમ છે. રાજકોટથી વાંકાનેર, થાનગઢ અને સુરેન્દ્રનગર વચ્ચેનો રોડ માર્ગ ભારે ટ્રાફિક અને અકસ્માતો માટે ઓળખાય છે. રોજિંદા અકસ્માતોમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે, જેના કારણે સરકારની આરોગ્ય યોજનાઓ પર પણ વધારાનો ભાર પડે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો નિયમિત લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તો રોડ પર વાહનોનું પ્રમાણ ઘટશે, ઇંધણની બચત થશે, પ્રદૂષણ ઓછું થશે અને અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. વાંકાનેર અને થાનગઢનો સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં ઓળખાય છે. અહીં કામ કરતા હજારો શ્રમિકો દરરોજ રાજકોટ સહિતના વિસ્તારોમાંથી અપડાઉન કરે છે. મહિલાઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વૃદ્ધોને હાલ ખાનગી વાહન કે અનિયમિત બસ સેવા પર નિર્ભર રહેવું પડે છે. મુસાફરોનું કહેવું છે કે નિયમિત ડેમુ/મેમુ ટ્રેન શરૂ થાય તો હજારો પરિવારોને સીધી રાહત મળશે.
સ્થાનિક પ્રજાએ વિસ્તારના ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યો સામે પણ સવાલ ઉઠાવ્યા છે. છેલ્લા છ વર્ષથી પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે, ત્યારે શું એક લોકલ ટ્રેન પણ રાજકોટને અપાવી શકાતી નથી? એવો સવાલ હવે જાહેર મંચો પર ગુંજી રહ્યો છે. પ્રજાની માંગ છે કે રાજકોટ-વાંકાનેર-થાનગઢ-સુરેન્દ્રનગર રૂટ પર તાત્કાલિક ડેમુ/મેમુ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તેમજ રાજકોટ-અમદાવાદ વચ્ચે ઝડપી અને આધુનિક ‘નમો ભારત’ ટ્રેન સેવા શરૂ કરીને સૌરાષ્ટ્રને રેલવે ક્ષેત્રે યોગ્ય ન્યાય અપાય.

દૈનિક અપડાઉન કરતા 25 હજારથી વધુ મુસાફરો પ્રભાવિત

- Advertisement -

આ માંગ માત્ર રાજકોટ પૂરતી મર્યાદિત નથી. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર એમ ત્રણ જિલ્લાઓના લાખો લોકો આ રૂટ સાથે જોડાયેલા છે. રાજકોટ, મોરબી, વાંકાનેર, થાનગઢ, વઢવાણ, મૂળી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં 350થી વધુ ગામડાઓના લોકો માટે આ રૂટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અંદાજે 25 હજારથી વધુ લોકો દરરોજ અપડાઉન કરે છે, જ્યારે કુલ લાભાર્થી મુસાફરોની સંખ્યા 7 લાખથી વધુ હોવાનું જણાવાયું છે.

અમદાવાદ-વડોદરા માટે ડઝનો ટ્રેનો, રાજકોટ માટે એકપણ કેમ નહીં?

સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદથી વડોદરા વચ્ચે માત્ર 110 કિમીના અંતરે દૈનિક 19થી વધુ લોકલ ટ્રેનો દોડે છે, જ્યારે અમદાવાદથી સુરત વચ્ચે 28 લોકલ ટ્રેનો ચાલે છે. તેની સામે રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે 116 કિમીનું અંતર હોવા છતાં એકપણ દૈનિક લોકલ ટ્રેન ઉપલબ્ધ નથી. આંકડા મુજબ અમદાવાદ-વડોદરા રૂટ પર કુલ 1પ2 ટ્રેનો, જ્યારે અમદાવાદ-સુરત રૂટ પર 117 ટ્રેનો દોડે છે. તેની સામે રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ પર કુલ 46 ટ્રેનો હોવા છતાં એકપણ લોકલ ટ્રેન નથી. આ પરિસ્થિતિને લઈને લોકો રાજકોટ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

ટ્રેન ચૂકી જાય તો આખો દિવસ મુશ્કેલી

હાલ રાજકોટથી સુરેન્દ્રનગર જવા માટે સવારે 6 વાગ્યે જામનગર-સુરત ઇન્ટરસિટી (ટ્રેન નં. 22960) મુખ્ય વિકલ્પ માનવામાં આવે છે. જો મુસાફરો આ ટ્રેન ચૂકી જાય તો દિવસ દરમિયાન અન્ય કોઈ અનુકૂળ ટ્રેન ઉપલબ્ધ નથી. વધુમાં, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે આ ટ્રેન પણ મહિનામાં અનેક દિવસો રદ થતી હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી ઓખા-વીરમગામ ટ્રેન હજુ સુધી ફરી શરૂ ન થતાં લોકોમાં રોષ વધુ વધી રહ્યો છે.

2711 કરોડની આવક છતાં એક લોકલ ટ્રેન નહીં?

રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2025 દરમિયાન આશરે રૂ.2711 કરોડની રેકોર્ડ આવક નોંધાઇ છે. ગુડ્સ ટ્રેન દ્વારા માલવહનમાં છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મુસાફરો માટે મૂળભૂત લોકલ ટ્રેન સેવા શરૂ ન થતી હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જ્યારે રાજકોટ રેલવે માટે કમાઉ દિકરો સાબિત થઈ રહ્યું છે, ત્યારે પ્રજાને લોકલ ટ્રેન જેવી જરૂરી સુવિધાથી વંચિત કેમ રાખવામાં આવે છે?

You Might Also Like

ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા

પીડીત પરિવારો ન્યાયની રાહમાં: તમામ આરોપીઓ જામીન મુક્ત

ગંભીર ગુનાઓનું પ્રમાણ ઘટ્યું: મહિલા-બાળ સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર

રાજ્યના 20 માર્ગ પર ₹1147 કરોડના ખર્ચે ક્લાઇમેટ રેઝિલ્યન્ટ રોડ પ્રોજેક્ટ શરૂ થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા
Next Article ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો
હળવદના દેવીપુર નજીક ટ્રેકટર ચાલકના મોત મામલે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ
ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર
જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા
પીડીત પરિવારો ન્યાયની રાહમાં: તમામ આરોપીઓ જામીન મુક્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

પીડીત પરિવારો ન્યાયની રાહમાં: તમામ આરોપીઓ જામીન મુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?