ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા દ્વારા જીલ્લામાંથી હદપારી થયેલ ઇસમો જીલ્લામાં ન પ્રવેશે અને જો પ્રવેશ પામે તો તેની પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અનુસંધાને એલ.સી.બી.પીઆઇ એમ.એન.રાણા તથા સ્ટાફ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ સંયુકત બાતમી આધારે ભરત બાબુભાઇ ગોહિલ રહે.આલીદર તા.કોડીનાર વાળાને ઉના સબ ડીવીઝનલ મેજી.સા.ના હદપારી તા.15/12/2023 ના હુકમ અન્વયે ગીર સોમનાથ જીલ્લામાંથી 6 માસ માટે હદપારી કરેલ હોવા છતા કોડીનારના આલીદર ગામમાં પ્રવેશ કરેલ હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવેલ છે.