કોંગ્રેસ દ્વારા આગેવાનો-નગરજનોને રેલીમાં જોડાવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જમ્મુ કાશ્મીરના પહેલાગામ હુમલામાં હુમલામાં નિર્દોષ નાગરિકના મૃત્યુ થયા બાદ કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે એરસ્ટ્રાઇક કરી અને આજે જયારે યુદ્ધ જેવા હાલાત થયા છે ત્યારે ભારતના નવ જવાનનું મનોબળ વધારવા જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આજે સાંજે શહીદ પાર્કથી જય હિન્દ યાત્રાનું આયોજન કરાયું છે. ભારતીય સૈન્ય દ્વારા હાલ આંતકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હેઠળ એક મિલિટરી અભિયાન ચાલી રહ્યું છે. સરહદ પર દેશની આન, બાન અને શાનની રક્ષા કરતા ભારતીય મિલિટરીનાં ત્રણેય દળનાં વીર જવાનોના સપોર્ટમાં જય હિંદ યાત્રાનું આયોજન હોય આપ સૌ પક્ષના આગેવાનો અને શહેરના નાગરિકોને આ યાત્રામાં જોડાવા આહવાન છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની એક યાદીમાં આજે સાંજે 6 કલાકે શહીદ પાર્ક, તળાવ ફાટક પાસેથી આ જય હિન્દ યાત્રા ની રેલી નીકળશે જેમાં શહેરના તમામ નગરજનો જોડાય તેવો અનુરોધ કર્યો છે.