વહેલી સવારે પ્રભાત ફેરી, દરિયાદેવનું પૂજન, બાઇકરેલી, બપોરે સમૂહપ્રસાદ અને સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.11
- Advertisement -
વેરાવળમાં સિંધી સમાજના ઈષ્ટદેવ સાઈ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ તેમજ સિંધી સમાજનાં નવવર્ષની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે સમગ્ર દિવસ દરમિયાન પ્રભાત ફરી, દરિયાદેવનું પૂજન, બાઈકરેલી, સમૂહ પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં સિંધી સમાજનાં લોકો જોડાયા હતા. વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ સાઈ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત વેરાવળ ચોપાટી અને બંદર ખાતે બહોળી સંખ્યામાં લોકોએ દરિયાદેવનું પૂજન પણ કર્યું હતુ.ત્યારબાદ લીલાશાહ બાગથી, હવેલી ચોક, પંચવટી સોસાયટી, 80 ફૂટ રોડ સહિતના મુખ્યમાર્ગો પરથી બાઈકરેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા.ત્યારબાદ બપોરે લીલાશાહ બાગ ખાતે સમૂહ પ્રસાદનું આયોજન અને સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા લીલાશાહ ભવનથી શરૂ થઈ સોમનાથ સોસાયટી, પંચવટી સોસાયટી, 80 ફૂટ રોડ, બજરંગ સોસાયટી સહિતના શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈ હતી. અલગ અલગ સંસ્થાઓ, સમાજના લોકો, રાજકીય તેમજ બિનરાજકીય લોકો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી જનરલ પંચાયતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.