By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    3 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    3 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    16 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    3 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    5 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    7 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    7 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂજા-અર્ચનાથી અલિપ્ત પ્રાચીન દેવસ્થાન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પૂજા-અર્ચનાથી અલિપ્ત પ્રાચીન દેવસ્થાન!
AuthorParakh Bhatt

પૂજા-અર્ચનાથી અલિપ્ત પ્રાચીન દેવસ્થાન!

Khaskhabar Editor
Last updated: 2022/03/12 at 2:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!   

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ  

મંદિરોનું મહત્વ શું? પૂરી આસ્થા સાથે ઇશ્વરની ભક્તિ કરી તેમનો સાક્ષાત્કાર કરવો તે. પોતાની જાત સાથે સંવાદ સાધી ખુદને વધુ બહેતર બનાવવા માટેની એક પ્રક્રિયા, બરાબર? મંદિરનું ગર્ભગૃહ, એમાં બિરાજેલ મૂર્તિ અને તેની અસ્તિત્વ-ગાથા સાથે લોકોની શ્રધ્ધા જોડાયેલ હોય છે. પરંતુ ભારતભરમાં એવું કોઇ ધાર્મિક સ્થળ તમારા ધ્યાનમાં આવ્યું, જેનાં મૂળિયા ધાર્મિકતા સાથે જોડાયેલ હોવા છતાં તે અપૂજ હોય? હથિયા દેવળ ભારતનું એવું મંદિર છે, જેનાં ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત હોવા છતાં ગામવાસીઓ તેને પૂજતાં નથી. અરે, પૂજવાની વાત છોડો, એની બાજુમાંથી પસાર થતી વખતે નજર સુદ્ધાં નથી નાંખતા! એવું કયું કારણ હોઇ શકે, જેણે સ્વયં ભગવાનને તેનાં ભક્તથી વિખૂટો પાડી દીધો? ક્યા કારણોસર મંદિરનો દરજ્જો મળવા છતાં હથિયા દેવળને લોકો ધાર્મિક સ્થળ તરીકે નથી પૂજી રહ્યા?

Contents
અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!   મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ  શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે, આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી હથિયા દેવળમાં પૂજા વર્જિત હોવાનું રહસ્ય

ઉત્તરાખંડ રાજ્યના સીમાડે આવેલા જનપદ પિથોરાગઢથી ધારચૂલા માર્ગે લગભગ ત્રેવીસ કિલોમીટર આગળ જઈએ એટલે સભા બલ્તિર નામે એક ગામ આવે. ત્યાં આવ્યું છે અભિશાપિત હથિયા દેવળનું મંદિર! દૂર-દૂરથી લોકો અહીં મંદિરની કલાકારી જોવા માટે આવે છે, પરંતુ એમાંનો દરેકે-દરેક વ્યક્તિ પ્રભુનાં ચરણોમાં મસ્તક નમાવ્યા વગર જ પાછો ફરી જાય છે. અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!

- Advertisement -

શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે, આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી 

મંદિરનું નામ હથિયા દેવળ જ શું કામ રાખવામાં આવ્યું? અર્થ છે : એક હાથથી બનેલું! ખૂબ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતાં આ મંદિરનો ઉલ્લેખ આપણા કેટલાક ગ્રંથો અને અભિલેખોમાં થયેલો છે. એક સમયે અહીંયા કત્યૂરી રાજાનું શાસન હતું. એ સમયે ત્યાંના દરેક શાસકોને સ્થાપત્ય-કળા પ્રત્યે ખૂબ લગાવ રહેતો. ઘણા ઐતિહાસિક સાહિત્યોમાં તો એવું પણ લખાયું છે કે શાસકો વચ્ચે રીતસરની સ્પર્ધાઓ યોજવામાં આવતી. જે શાસક સ્થાપત્ય-કળાનો ઉત્તમ નમૂનો પોતાનાં રાજ્યમાં ઉભો કરી દે, એને વિજેતા ઘોષિત કરી દેવામાં આવતો!

સ્થાનિક ગામવાસીઓનું કહેવું છે કે એ સમયે રાજ્યનાં કોઇક કુશળ કારીગરને મંદિરનું નિર્માણ કરવાની ઇચ્છા હતી. રાજાની આજ્ઞાથી એને કામ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ. કારીગરની સૌથી ખાસ વાત એ હતી કે નિર્માણ-કાર્ય સમયે તેણે ફક્ત એક હાથનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું. અને ખરેખર આખું મંદિર એક રાતમાં તો બનીને તૈયાર પણ થઈ ગયું. નાગર અને લેટિન શૈલીની સ્થાપત્ય કળા ધરાવતાં હથિયા દેવળને એક મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે, મંદિરની અંદર ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને પણ પથ્થરમાંથી કોતરીને લિંગનો આકાર આપવામાં આવ્યો છે. તેનું મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં છે. 1.85 મીટર ઉંચાઈ અને 3.15 મીટર પહોળાઈ ધરાવતાં મંદિરનાં મંડપને જોવા માટે યાત્રાળુઓ દૂર-દૂરથી આવે છે. પરંતુ પૂજા-અર્ચના પર મનાઈ ફરમાવેલ હોવાને કારણે મંદિરનું બાંધકામ જોઇને પરત ફરી જાય છે.

- Advertisement -

હથિયા દેવળમાં પૂજા વર્જિત હોવાનું રહસ્ય

માન્યતા અનુસાર, ગામમાં એક મૂર્તિકાર રહેતો હતો, જે પથ્થરો કાપીને તેમાંથી દેવી-દેવતાઓની અલગ-અલગ ઘાટની મૂર્તિ બનાવતો. રોજબરોજનાં કામમાંથી એનું ઘર ચાલતું હતું. પરંતુ એક દિવસ કશીક ગંભીર દુર્ઘટનામાં તેનો હાથ કપાઈ ગયો. બિચારો થોડા દિવસ માટે તો ગભરાઈ ગયો, કારણકે મૂર્તિ ઘડવાનાં કામમાં તો બંને હાથની જરૂર પડે. જરાક પણ આઘુ-પાછું થાય તો આખો પથ્થર બદલીને નવેસરથી મૂર્તિ ઘડવાનું કામ ચાલુ કરવું પડે. આમ છતાં તેણે હિંમત ન હારી અને ફક્ત એક હાથની મદદ વડે મૂર્તિઓ ઘડવાનો નિર્ધાર કર્યો. પરંતુ સમાજને મોઢે ગળણું થોડું બંધાય છે? બાપડાની સમસ્યા જોઇ તેને ઉત્સાહિત કરવાને બદલે ગામવાસીઓ તેનાં કામની ગુણવત્તા વિશે શંકા કરવા લાગ્યા. એમને થયું કે એક હાથવાળો કારીગર આવડી મોટી મૂર્તિ તો વળી કઈ રીતે બનાવી શકે?

ગામનાં તમામ લોકો પાસેથી આવી હતાશાભરી વાતો સાંભળીને મૂર્તિકાર તો ખિન્ન થઈ ગયો. એણે નક્કી કરી લીધું કે હવે પોતે આ ગામમાં નહીં રહે. એ દિવસે જ તેણે પોતાના બિસ્તરા-પોટલા બાંધી બીજે ગામ સ્થળાંતર કરવાની તૈયારી આટોપી લીધી. રાત્રે પથ્થરો કાપવાના હથિયારો અને મૂર્તિને આકાર આપવા માટેનાં ટાંચા સાધનો સાથે તેણે ગામને અલવિદા કહ્યું અને નીકળી પડ્યો બાજુના ગામે! રસ્તામાં ગામવાસીઓ જ્યાં શૌચ-કર્મ કરતાં હતાં, એ વિસ્તાર તેનાં ધ્યાનમાં આવ્યો. તેની સાવ લગોલગ એક વિશાળ મસમોટો પથ્થર પણ હતો !

પછીનાં દિવસે સવારે, ગામવાસીઓ પોતાનો નિત્યક્રમ પતાવવા ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે કોઇકે રાતોરાત પેલી વિશાળ શિલાને કાપી ત્યાં મંદિરનું નિર્માણ કરી નાંખ્યું છે. બધાની તો આંખો ફાટી ગઈ. પોતે દરરોજ જ્યાં શૌચ-કર્મ કરતાં હોય એ જગ્યાએ ભગવાનનું સ્થાન તો તેઓ કઈ રીતે પૂજી શકે? ગામવાળાઓએ ભેગા થઈને પેલા એક હાથવાળા કારીગરની શોધ આરંભી. આજુબાજુનાં તમામ ગામો ફેંદી નાંખ્યા, એમ છતાં મૂર્તિકારનો પત્તો ન જડ્યો! એ જાણે હવામાં ઓગળી ગયો હતો.

સ્થાનિક લોકોએ જ્યારે મંદિરનાં ગર્ભગૃહમાં બનેલું શિવલિંગ જોયું, તો તેમને ખ્યાલ આવ્યો કે તેનું મુખ વિપરીત દિશામાં બનાવી દેવાયું છે. ગામવાસીઓએ વિચાર્યુ કે રાતના કાળા-ડિબાંગ અંધકારમાં નિર્માણ-કાર્ય થયું હોવાને લીધે આમ બન્યું હોવું જોઇએ. કોઇકે ગામમાંથી પૂજારીને બોલાવી શિવલિંગની પૂજા-અર્ચના માટેનો આદેશ આપ્યો, પરંતુ પૂજારીનું કહેવું હતું કે શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે. એમના જીવનમાં કશુંક અનિષ્ટ બનવાની સંભાવના પણ વધી જાય છે.

આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી. નજીકમાં જ એક સરોવર છે, જેને સ્થાનિક ભાષામાં ‘નૌલા’ કહે છે. બાળકોને યજ્ઞોપવિત, મુંડન વગેરે સંસ્કાર માટે આ સરોવરમાં સૌપ્રથમ સ્નાન કરાવી ત્યારબાદ આગળની વિધિનો આરંભ કરવામાં આવે છે. બીજી એક માન્યતા એવી પણ છે કે, અહીંના રાજાએ પોતાનાં રાજ્યનો સૌથી કુશળ કારીગર બીજા કોઇ પ્રદેશમાં જઈને ઉત્તમ સ્થાપત્ય-નિર્માણ ન કરી શકે એ માટે, તેનો ફક્ત એક હાથ કાપી તેને હંમેશ માટે અપંગ બનાવી દીધો હતો. મૂર્તિકારનો જુસ્સો છતાંય ઓછો ન થયો અને તેણે એ રાત્રે હથિયા દેવળ મંદિરનું બાંધકામ કરી હંમેશા માટે ગામ છોડીને ચાલ્યો ગયો. બીજા દિવસે આ વાત ત્યાંની પ્રજાને ખબર પડતાં તેઓ ખૂબ દુ:ખી થઈ ગઈ. ભોલેનાથમાં એમની શ્રધ્ધા અડગ રહી, પરંતુ પોતાનાં રાજાના આ દુષ્કૃત્યનો વિરોધ કરવા માટે તેમણે હથિયા દેવળની પૂજા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. આજદિન સુધી આખો પ્રદેશ વેરાન છે અને મુસાફરો/યાત્રાળુઓ સિવાય અહીં ચકલું પણ નથી ફરકતું!

You Might Also Like

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વગર સત્તાએ કલેક્ટર
Next Article મનોજ બાજપેયી V/S ઝઘડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?