By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    54 minutes ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    20 hours ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    21 hours ago
    સાઉદી અરેબિયા: કેવી રીતે રણ રાષ્ટ્રને તેનું ‘પ્રવાહી સોનું’ મળ્યું
    22 hours ago
    ગાઝામાં બે વર્ષ પછી: 69 હજાર જીવ ગયા, લાખો લોકો બેઘર, માળખાગત સુવિધાનો સંપૂર્ણ વિનાશ
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો
    11 minutes ago
    જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
    29 minutes ago
    સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
    42 minutes ago
    UK PM Visit in India: કીર સ્ટાર્મર આજે એસ જયશંકરને મળવા માટે 2 દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા
    1 hour ago
    ઉત્તરપ્રદેશમાં યોગીના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’ એક્ટિવ: અપરાધ જગતમાં સોપો
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    22 hours ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    6 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    23 hours ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    7 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂજા-અર્ચનાથી અલિપ્ત પ્રાચીન દેવસ્થાન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > પૂજા-અર્ચનાથી અલિપ્ત પ્રાચીન દેવસ્થાન!
AuthorParakh Bhatt

પૂજા-અર્ચનાથી અલિપ્ત પ્રાચીન દેવસ્થાન!

Khaskhabar Editor
Last updated: 2022/03/12 at 2:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!   

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ  

મંદિરોનું મહત્વ શું? પૂરી આસ્થા સાથે ઇશ્વરની ભક્તિ કરી તેમનો સાક્ષાત્કાર કરવો તે. પોતાની જાત સાથે સંવાદ સાધી ખુદને વધુ બહેતર બનાવવા માટેની એક પ્રક્રિયા, બરાબર? મંદિરનું ગર્ભગૃહ, એમાં બિરાજેલ મૂર્તિ અને તેની અસ્તિત્વ-ગાથા સાથે લોકોની શ્રધ્ધા જોડાયેલ હોય છે. પરંતુ ભારતભરમાં એવું કોઇ ધાર્મિક સ્થળ તમારા ધ્યાનમાં આવ્યું, જેનાં મૂળિયા ધાર્મિકતા સાથે જોડાયેલ હોવા છતાં તે અપૂજ હોય? હથિયા દેવળ ભારતનું એવું મંદિર છે, જેનાં ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત હોવા છતાં ગામવાસીઓ તેને પૂજતાં નથી. અરે, પૂજવાની વાત છોડો, એની બાજુમાંથી પસાર થતી વખતે નજર સુદ્ધાં નથી નાંખતા! એવું કયું કારણ હોઇ શકે, જેણે સ્વયં ભગવાનને તેનાં ભક્તથી વિખૂટો પાડી દીધો? ક્યા કારણોસર મંદિરનો દરજ્જો મળવા છતાં હથિયા દેવળને લોકો ધાર્મિક સ્થળ તરીકે નથી પૂજી રહ્યા?

Contents
અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!   મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ  શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે, આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી હથિયા દેવળમાં પૂજા વર્જિત હોવાનું રહસ્ય

ઉત્તરાખંડ રાજ્યના સીમાડે આવેલા જનપદ પિથોરાગઢથી ધારચૂલા માર્ગે લગભગ ત્રેવીસ કિલોમીટર આગળ જઈએ એટલે સભા બલ્તિર નામે એક ગામ આવે. ત્યાં આવ્યું છે અભિશાપિત હથિયા દેવળનું મંદિર! દૂર-દૂરથી લોકો અહીં મંદિરની કલાકારી જોવા માટે આવે છે, પરંતુ એમાંનો દરેકે-દરેક વ્યક્તિ પ્રભુનાં ચરણોમાં મસ્તક નમાવ્યા વગર જ પાછો ફરી જાય છે. અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!

- Advertisement -

શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે, આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી 

મંદિરનું નામ હથિયા દેવળ જ શું કામ રાખવામાં આવ્યું? અર્થ છે : એક હાથથી બનેલું! ખૂબ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતાં આ મંદિરનો ઉલ્લેખ આપણા કેટલાક ગ્રંથો અને અભિલેખોમાં થયેલો છે. એક સમયે અહીંયા કત્યૂરી રાજાનું શાસન હતું. એ સમયે ત્યાંના દરેક શાસકોને સ્થાપત્ય-કળા પ્રત્યે ખૂબ લગાવ રહેતો. ઘણા ઐતિહાસિક સાહિત્યોમાં તો એવું પણ લખાયું છે કે શાસકો વચ્ચે રીતસરની સ્પર્ધાઓ યોજવામાં આવતી. જે શાસક સ્થાપત્ય-કળાનો ઉત્તમ નમૂનો પોતાનાં રાજ્યમાં ઉભો કરી દે, એને વિજેતા ઘોષિત કરી દેવામાં આવતો!

સ્થાનિક ગામવાસીઓનું કહેવું છે કે એ સમયે રાજ્યનાં કોઇક કુશળ કારીગરને મંદિરનું નિર્માણ કરવાની ઇચ્છા હતી. રાજાની આજ્ઞાથી એને કામ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ. કારીગરની સૌથી ખાસ વાત એ હતી કે નિર્માણ-કાર્ય સમયે તેણે ફક્ત એક હાથનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું. અને ખરેખર આખું મંદિર એક રાતમાં તો બનીને તૈયાર પણ થઈ ગયું. નાગર અને લેટિન શૈલીની સ્થાપત્ય કળા ધરાવતાં હથિયા દેવળને એક મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે, મંદિરની અંદર ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને પણ પથ્થરમાંથી કોતરીને લિંગનો આકાર આપવામાં આવ્યો છે. તેનું મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં છે. 1.85 મીટર ઉંચાઈ અને 3.15 મીટર પહોળાઈ ધરાવતાં મંદિરનાં મંડપને જોવા માટે યાત્રાળુઓ દૂર-દૂરથી આવે છે. પરંતુ પૂજા-અર્ચના પર મનાઈ ફરમાવેલ હોવાને કારણે મંદિરનું બાંધકામ જોઇને પરત ફરી જાય છે.

- Advertisement -

હથિયા દેવળમાં પૂજા વર્જિત હોવાનું રહસ્ય

માન્યતા અનુસાર, ગામમાં એક મૂર્તિકાર રહેતો હતો, જે પથ્થરો કાપીને તેમાંથી દેવી-દેવતાઓની અલગ-અલગ ઘાટની મૂર્તિ બનાવતો. રોજબરોજનાં કામમાંથી એનું ઘર ચાલતું હતું. પરંતુ એક દિવસ કશીક ગંભીર દુર્ઘટનામાં તેનો હાથ કપાઈ ગયો. બિચારો થોડા દિવસ માટે તો ગભરાઈ ગયો, કારણકે મૂર્તિ ઘડવાનાં કામમાં તો બંને હાથની જરૂર પડે. જરાક પણ આઘુ-પાછું થાય તો આખો પથ્થર બદલીને નવેસરથી મૂર્તિ ઘડવાનું કામ ચાલુ કરવું પડે. આમ છતાં તેણે હિંમત ન હારી અને ફક્ત એક હાથની મદદ વડે મૂર્તિઓ ઘડવાનો નિર્ધાર કર્યો. પરંતુ સમાજને મોઢે ગળણું થોડું બંધાય છે? બાપડાની સમસ્યા જોઇ તેને ઉત્સાહિત કરવાને બદલે ગામવાસીઓ તેનાં કામની ગુણવત્તા વિશે શંકા કરવા લાગ્યા. એમને થયું કે એક હાથવાળો કારીગર આવડી મોટી મૂર્તિ તો વળી કઈ રીતે બનાવી શકે?

ગામનાં તમામ લોકો પાસેથી આવી હતાશાભરી વાતો સાંભળીને મૂર્તિકાર તો ખિન્ન થઈ ગયો. એણે નક્કી કરી લીધું કે હવે પોતે આ ગામમાં નહીં રહે. એ દિવસે જ તેણે પોતાના બિસ્તરા-પોટલા બાંધી બીજે ગામ સ્થળાંતર કરવાની તૈયારી આટોપી લીધી. રાત્રે પથ્થરો કાપવાના હથિયારો અને મૂર્તિને આકાર આપવા માટેનાં ટાંચા સાધનો સાથે તેણે ગામને અલવિદા કહ્યું અને નીકળી પડ્યો બાજુના ગામે! રસ્તામાં ગામવાસીઓ જ્યાં શૌચ-કર્મ કરતાં હતાં, એ વિસ્તાર તેનાં ધ્યાનમાં આવ્યો. તેની સાવ લગોલગ એક વિશાળ મસમોટો પથ્થર પણ હતો !

પછીનાં દિવસે સવારે, ગામવાસીઓ પોતાનો નિત્યક્રમ પતાવવા ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે કોઇકે રાતોરાત પેલી વિશાળ શિલાને કાપી ત્યાં મંદિરનું નિર્માણ કરી નાંખ્યું છે. બધાની તો આંખો ફાટી ગઈ. પોતે દરરોજ જ્યાં શૌચ-કર્મ કરતાં હોય એ જગ્યાએ ભગવાનનું સ્થાન તો તેઓ કઈ રીતે પૂજી શકે? ગામવાળાઓએ ભેગા થઈને પેલા એક હાથવાળા કારીગરની શોધ આરંભી. આજુબાજુનાં તમામ ગામો ફેંદી નાંખ્યા, એમ છતાં મૂર્તિકારનો પત્તો ન જડ્યો! એ જાણે હવામાં ઓગળી ગયો હતો.

સ્થાનિક લોકોએ જ્યારે મંદિરનાં ગર્ભગૃહમાં બનેલું શિવલિંગ જોયું, તો તેમને ખ્યાલ આવ્યો કે તેનું મુખ વિપરીત દિશામાં બનાવી દેવાયું છે. ગામવાસીઓએ વિચાર્યુ કે રાતના કાળા-ડિબાંગ અંધકારમાં નિર્માણ-કાર્ય થયું હોવાને લીધે આમ બન્યું હોવું જોઇએ. કોઇકે ગામમાંથી પૂજારીને બોલાવી શિવલિંગની પૂજા-અર્ચના માટેનો આદેશ આપ્યો, પરંતુ પૂજારીનું કહેવું હતું કે શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે. એમના જીવનમાં કશુંક અનિષ્ટ બનવાની સંભાવના પણ વધી જાય છે.

આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી. નજીકમાં જ એક સરોવર છે, જેને સ્થાનિક ભાષામાં ‘નૌલા’ કહે છે. બાળકોને યજ્ઞોપવિત, મુંડન વગેરે સંસ્કાર માટે આ સરોવરમાં સૌપ્રથમ સ્નાન કરાવી ત્યારબાદ આગળની વિધિનો આરંભ કરવામાં આવે છે. બીજી એક માન્યતા એવી પણ છે કે, અહીંના રાજાએ પોતાનાં રાજ્યનો સૌથી કુશળ કારીગર બીજા કોઇ પ્રદેશમાં જઈને ઉત્તમ સ્થાપત્ય-નિર્માણ ન કરી શકે એ માટે, તેનો ફક્ત એક હાથ કાપી તેને હંમેશ માટે અપંગ બનાવી દીધો હતો. મૂર્તિકારનો જુસ્સો છતાંય ઓછો ન થયો અને તેણે એ રાત્રે હથિયા દેવળ મંદિરનું બાંધકામ કરી હંમેશા માટે ગામ છોડીને ચાલ્યો ગયો. બીજા દિવસે આ વાત ત્યાંની પ્રજાને ખબર પડતાં તેઓ ખૂબ દુ:ખી થઈ ગઈ. ભોલેનાથમાં એમની શ્રધ્ધા અડગ રહી, પરંતુ પોતાનાં રાજાના આ દુષ્કૃત્યનો વિરોધ કરવા માટે તેમણે હથિયા દેવળની પૂજા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. આજદિન સુધી આખો પ્રદેશ વેરાન છે અને મુસાફરો/યાત્રાળુઓ સિવાય અહીં ચકલું પણ નથી ફરકતું!

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વગર સત્તાએ કલેક્ટર
Next Article મનોજ બાજપેયી V/S ઝઘડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
UK PM Visit in India: કીર સ્ટાર્મર આજે એસ જયશંકરને મળવા માટે 2 દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા
‘ગુજસીટોક’ કેસ: જૂનાગઢના જયેશ ઉર્ફે જાવો સોલંકીને હાઈકોર્ટમાંથી જામીન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?