ચાર દિવસ પહેલાં હત્યાને પગલે મૃતદેહોમાંથી દુર્ગંધ આવતાં ઘટના બહાર આવી
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેની સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ચાર દિવસ અગાઉ આ પરિવારને હત્યા કરાઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. હત્યારો હત્યા બાદ ફરાર થઈ ગયો છે. હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો અને હાલમાં પણ વિનોદ મરાઠીએ પોતાના પરિવાર વિશે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવી નથી, તેને લઈને પણ તેના પર શંકા વ્યક્ત થઈ રહી છે.
બીજી તરફ મૃતકમાં બે બાળકો પણ હોવાનું હાલ સામે આવી રહી છે. ઘરના અલગ અલગ રૂમમાંથી ચાર લાશ મળી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ચાર દિવસ પહેલા થયેલી હત્યામાં આજે મૃતદેહ બહાર આવતા અત્યંત દુર્ગંધ મારી રહી છે. બીજી તરફ હાલ આ હત્યા પાછળ ઘર કંકાસ જોવાનું પ્રાથમિક તારણ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.
- Advertisement -
અમદાવાદમાં મંગળવારના રાતે વિરાટનગરના એક મકાનમા ખૂની ખેલ ખેલાયો હતો. એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ, ઘરનો મોભી જ સમગ્ર કેસમાં ફરાર હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હજી પણ શંકાસ્પદ હત્યારો પોલીસ પકડમાં આવ્યો નથી.
ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર: વિરાટનગરના એક મકાનમાં આસપાસના લોકોને દુર્ગંધ મારતી હતી. જેથી આસપાસના રહીશોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક આવીને મકાનને તોડવાની કામગીરી કરી હતી. જેમાં અંદર ચાર મૃતદેહો પડ્યા હતા. પોલીસ પણ મકાનની અંદરનો ભયાનક નજારો જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ચારેય મૃતદેહ એક જ પરિવારના છે. તેમના નામ સોનલ મરાઠી, સુભદ્રાબેન મરાઠી, ગણેશ મરાઠી અને પ્રગતિ મરાઠી છે. તો સમગ્ર મામલે ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર છે. પોલીસ હાલ વિનોદ મરાઠીને શોધી રહી છે. સમગ્ર હત્યાકાંડ ઘરકંકાસમાં થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં સામુહિક હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. પરિવારના ચારેય સદસ્યોમા એક વૃદ્ધા અને એક માસુમ દીકરી પણ છે. 15 દિવસ પહેલા આ પરિવાર નિકોલથી વિરાટનગરમાં રહેવા આવ્યો હતો. ચારેયના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરાયાના નિશાન છે. પોલીસને શંકા છે કે, પહેલા આ તમામને બેભાન કરાયા હશે અને બાદમાં તેમની નિર્મમ રીતે હત્યા કરાઈ હશે.
- Advertisement -
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, તમામ સદસ્યોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. ચાર દિવસથી તમામનો મૃતદેહ અંદર જ પડ્યો હતો. જેને કારણે મૃતદેહો સડી ગયા હતા અને તેમાંથી દુર્ગંઘ આવવા લાગી હતી. આ દુર્ગંઘ આસપાસના રહીશો સુધી પહોંચી હતી. આખરે કેમ ચાર લોકોના પરિવારજનો દ્વારા કોઈ સંપર્ક કરવામાં ન આવ્યો તે મોટો કોયડો છે. ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક બંધ મકાનમાં ચાર લોકોના હત્યા કરી દેવાઈ હતી. ચાર દિવસ જેટલા સમય પહેલા થયેલી હત્યામાં ચારેયની લાશ અલગ અલગ જગ્યાએ પડી હતી. જેમાં એકની લાશ બાથરૂમમાં, એકની લાશ આગળના રૂમમાંથી અને બેની લાશ પાછળના રૂમમાંથી મળી હતી. મૃતકોનાં નામ આ પ્રમાણે છે સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી, સુભદ્રા મરાઠી.
સાસુ સાથેનો ઝઘડો હત્યાનું કારણ બન્યું હોવાની આશંકા
વિનોદ મરાઠીને તેના સાસુ સુભદ્રા મરાઠી સાથેનો ઝઘડો હત્યાનો કારણ બન્યાની આશંકા પોલીસ વ્યક્ત કરી છે. અગાઉ થયેલા ઝઘડામાં તેણે તેની સાસુને છરી મારી હતી. જો કે તે સમયે તેના સાસુ પડી ગયા હોવાનું કહીને સારવાર કરાવી હતી. આ મુદ્દે કોઈ ફરિયાદ થઈ ન હતી.
આ પણ વાંચો : રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે, 3 વર્ષમાં 10 હજાર બાળક ગુમ થયાં
https://khaskhabarrajkot.com/2022/03/29/9-children-go-missing-every-day-in-the-state-10-thousand-children-go-missing-in-3-years/