અમદાવાદના સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે 3 પોલીસ સ્ટેશનોમાં સરપ્રાઇઝ વિઝીટ કરી
અમદાવાદમાં કેટલાક પોલીસ સ્ટેશનમાં લોકોની ફરિયાદ ન લેતી હોવાની અનેક ફરિયાદો આવતી હતી
જોઇન્ટ કમિશનરને કોન્સ્ટેબલે ઓળખ્યા વગર તેમને જ અરેસ્ટ કરવાની વાત કરી
અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોમાં ટેક્સ ભરતી જનતા સાથે લોકોના ટેક્સના પૈસા પગાર લેતા પોલીસકર્મીઓ કેટલો ન્યાય અપાવે છે અને કેવો વ્યવહાર કરે છે. તે જાતે ચેક કરવા માટે જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર આમ આદમી બની નિકળ્યા હતા. ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. તેમને ફરિયાદ આપવાની વાત કરતા કાગડાપીઠના પોલીસ કર્મીઓએ તેમને અરેસ્ટ કરવાની ધમકી આપી હતી અને તમે ફરિયાદી નહી પણ ચિટીંગ કરી હોવાનું કહીને ધમકાવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જેસીપી તરીકે આપી તો સામેથી પોલીસકર્મીએ કહ્યું કે, તો મારે શુ લેવા દેવા અરેસ્ટ તો કરવા પડશે. તેમ કહેનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેસીપીએ આજે શહેરના 3 પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ પોલીસની કનડગતનો પર્દાફાશ કર્યો હતો.
શહેરના પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકોની ફરિયાદ ન લેવાતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે વારંવાર આવી ફરિયાદો આવતા શહેરના સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે આ ફરિયાદોને ગંભીર રીતે લીધી હતી. જેથી તાત્કાલીક અસરથી તેમને ચોક્કસ પોલીસ સ્ટેશનો પર સરપ્રાઇઝ વિઝીટ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે મહિલા કોન્સ્ટેબલને પોતાની સાથે સાદા ડ્રેસમાં રાખી અને પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. વિગત વાર વાત કરીએ તો પહેલા તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન જઇ તેમણે પોતાની સ્કુટી અને તેની ડેકીમાં રાખેલા પાસપોર્ટની વાત કરી હતી. સ્થાનિક પોલીસે તેમને કહ્યું ફરિયાદ ન થાય વાહન બે ત્રણ દિવસ શોધો અને આસપાસમાં જ હશે.
- Advertisement -
PI જેસીપીને સાદા ડ્રેસમાં જોઇ ચોંકી ગયા
આખરે તેમને મહિલાએ જાણ કરતા તેઓ શાંતિથી તે તરફ આવ્યા હતા.પીઆઇ આવતા જ તેઓ પણ જેસીપીને સાદા ડ્રેસમાં જોઇ ચોંકી ગયા હતા. આ ઘટનામાં પણ જેસીપીએ ફોન કરી ડીસીપી અચલ ત્યાગીને બોલાવ્યા હતા અને તેમના ત્યા સામાન્ય લોકોની ફરિયાદ લેવાતી ન હોવાની જાણ કરી તેમને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. અમરાઇવાડી પોલીસ સ્ટેશનથી જેસીપી અને મહિલા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા પરંતુ આ પોલીસ સ્ટેશનનો અમુક સ્ટાફ જેસીપી ગૌતમ પરમારને ઓળખી ગયો હતો. જેથી તેઓ ત્યા કોઇ જ વાતચીત કર્યા વગર પરત ફર્યા હતા.
ફરિયાદ લેવામાં પોલીસ રસ ધરાવતી ન હતી
ઉલ્લેખનીય છે કે, સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારની ઓફિસમાં કામ કરતા પ્યુનના બહેનને પતિ હરેના કરતો હોવાથી તેઓ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. જેસીપી ઓફિસમાં હોવા છતાં તેની ફરિયાદ લેવામાં પોલીસ રસ ધરાવતી ન હતી અને સ્પષ્ટ પણે ગલ્લા તલ્લા કરી રહ્યા હતા. તેવામાં જેસીપીના પીએએ પણ નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ફરિયાદ લેવા માટે જાણ કરી હતી અને તે જેસીપી ઓફિસમાં ફરજ બજાવે છે તે અંગે જાણ કરી હતી તેમ છતાં પણ નિકોલ પોલીસે ફરિયાદ લેવામાં ઠાગા ઠૈયા કર્યા હતા. જેથી જેસીપી ગૌતમ પરમારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં શું સ્થિતી છે તે જોવાનું નક્કી કર્યું હતુ. આમ પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકો સાથે જે દુરવ્યવહાર થાય છે તે તેમને જોઇ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને બીજા પોલીસ કોન્સ્ટેબલ તથા અમરાઇવાડીના પણ હેડ કોન્સ્ટેબલ સાથે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ જારી કર્યા હતા.
હેડ કોન્સ્ટેબલે JCPને ધમકાવ્યા!
જેથી જેસીપીએ પાસપોર્ટની વાત કરી અને તેમા ફરિયાદ કરવી જ પડે તેમ જણાવ્યું હતું. ત્યારે હેડ કોન્સ્ટેબલ અને તેની સાથેનો કોન્સ્ટેબલ તેમને ધમકાવવા લાગ્યો અને જણાવ્યુ હતુ કે, પાસપોર્ટમાં કંઇ પ્રોબ્લેમ હશે એટલે જ તમે દબાણ કરી રહ્યો છો તેમને અરેસ્ટ કરવા પડશે. આ ચર્ચા લાંબી ચાલી જેથી જેસીપીએ પોતે સેક્ટર-2 હોવાનુ જણાવ્યુ છતાં કોન્સ્ટેબલે કહ્યું કે, સેકટર -1 કે સેકટર -2 મને કોઇ ફરક નથી પડતો અરેસ્ટ તો કરવા પડશે. જેથી જેસીપીએ એસીપી મિલાપ પટેલને ફોન કરી પોતાને અરેસ્ટ કરવાની વાત અંગે જાણ કરી હતી. આ સાંભળી એસીપી મીલાપ પટેલ અને કાગડાપીઠ પીઆઇ ત્યા દોડી આવ્યા હતા. જેસીપીને આજીજી કરવા લાગ્યા હતા.
- Advertisement -
બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા
બાદમાં કોન્સ્ટેબલને જાણ થઇ હતી. તેમને બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવા આદેશ કર્યા હતા. બીજી તરફ જેસીપી મહિલા કોન્સ્ટેબલ સાથે અમરાઇવાડી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને ત્યા પતિ સામે અત્યાચાર અંગેની ફરિયાદ નોધાવવાની વાત કરી હતી. ત્યારે ફરિયાદ રુમમાં હાજર પોલીસ કોન્સ્ટેબલે તેમને જ્યા તમે રહો છો ત્યા ભાવનગર જવાની સલાહ આપી હતી અને ત્યા ફરિયાદ નોધાવો તો પતિને ત્યા ધક્કા ખાવા પડશે તેમ સમજાવ્યું હતુ. તેમ કહેવા છતાં આમ આદમી બનેલા જેસીપીએ કહ્યું કે, અમારી ભત્રીજીને માર મારે છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યુ હતુ કે, અત્યારે મહિલાને મારી નથી તેમે મારી ત્યારે સારવાર કરાવી હતી, કેમ સારવાર નથી કરાવી તેનું સર્ટીફીકેટ છે તો ફરિયાદ થાય.